કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સરકારી અને ખાનગી બેંકોને સલાહ આપી હતી કે તેઓ સંવેદનશીલ અને માનવીય રીતે વ્યવહાર કરી લોનની વસૂલાતના ક્રમમાં કઠોરતાથી વ્યવહાર ન કરે.સોમવારે મંત્રી સીતારમણે નાના વેપારીઓ,ઉધાર લેનારાઓની દેવાની ચુકવણી પ્રક્રિયાને લગતા પ્રશ્નોત્તરી કાર્યક્રમમાં દરમિયાનગીરી કરી હતી.તેમણે કહ્યું કે લોનની ચુકવણીના મામલે બેંકો જે રીતે કઠોર વ્યવહાર કરી રહી છે તે તેમના ધ્યાન પર આવ્યું છે.આ મામલામાં સરકાર બેંકોને સૂચન કરી રહી છે કે તેઓ આ મામલાઓ સાથે કઠોર વર્તન કરવાને બદલે માનવતા સાથે સંવેદનશીલતાથી વ્યવહાર કરે.કેન્દ્રિય મંત્રીએ સ્પષ્ટ કર્યું કે આ જોગવાઈ જાહેર ક્ષેત્રની બેંકો તેમજ ખાનગી ક્ષેત્રની બેંકોને લાગુ પડશે.શિવસેનાના સાંસદ ધૈર્યશીલે સંસદમાં ઝીરો અવરમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.તેઓએ કહ્યુ હતુ કે સરકાર આ અંગે શું પગલાં લઈ રહી છે.