ભારતીય જવાનોના શોર્યની કહાની એટલે કારગિલ વિજય દિવસ અને હાલ કારગિલ વિજય દિવસની 24મી વર્ષગાંઠ ઉજવાઈ રહી છે.તેમાં લદ્દાખમાં કારગિલ જિલ્લાના દ્રાસ સેક્ટરમાં કારગિલ યુદ્ધની 24મી વર્ષગાંઠની ઉજવણી ચાલી રહી છે.કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે દ્રાસ ખાતેનું યુદ્ધ સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે,ભાગ લેવા માટે દેશભરમાંથી ભારતીય સેનાના વોર વેટરન્સ પહોંચ્યા છે.ઉજવણી અને કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને યાદ કરવા.સેનાના સૂત્રોનું કહેવું છે કે રક્ષામંત્રી રાજનાથ સિંહ 26 જુલાઈના રોજ મુખ્ય સમારોહમાં હાજરી આપશે.તેઓ કારગિલ યુદ્ધ દરમિયાન શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપશે.