ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ISRO એ ચંદ્રયાન-3ને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી ચંદ્રની ભ્રમણકક્ષામાં મોકલવાની તારીખ 1લી ઓગસ્ટ નક્કી કરી છે.ઈસરોએ 1લી ઓગસ્ટના રોજ બપોરે 12 થી 1 વાગ્યાની વચ્ચે ચંદ્રયાન-3 ના થ્રસ્ટર્સને ફાયર કરશે.ચંદ્રયાન-3 હવે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચવામાં માત્ર 6 દિવસ દૂર છે.ટ્રાન્સ-લુનર ઈન્જેક્શન પ્રક્રિયા પૂર્ણ થવામાં 28 થી 31 મિનિટનો સમય લાગશે.આ પ્રક્રિયા મધ્યરાત્રિએ કરવામાં આવશે.ઉપરાંત ચંદ્રયાન-3ના ઓનબોર્ડ થ્રસ્ટર્સને ત્યારે છોડવામાં આવશે જ્યારે ચંદ્રયાન-3 પૃથ્વીની સૌથી નજીકના બિંદુ પર હશે.ત્યારે ઈસરોના વૈજ્ઞાનિકો ઉપરાંગ સમગ્ર દેશ અને દુનિયાની નજર પણ ત્યા ટકેલા રહેશે.