રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ અને સ્નેહનું પ્રતિક છે. આ વખતે શ્રાવણ મહિનો બે મહિનાનો છે, જેમાં ભદ્ર કાળ વચ્ચે આવી રહી છે જેના કારણે 30 અને 31 ઓગસ્ટે રક્ષાબંધન મનાવવામાં આવશે. રક્ષાબંધન ક્યારે છે? શુભ સમય કયો છે? તેને લઈને લોકો મૂંઝાયા છે તો આવો તમને આ અંગે વિગતે જણાવીએ
રક્ષાબંધન દરમિયાન ભદ્રકાળ ક્યારે પડે છે?
આ વર્ષે ભદ્રા કાળના કારણે રક્ષાબંધન 30 અને 31 ઓગસ્ટે છે. આ વર્ષે પૂર્ણિમા તિથિ 30 ઓગસ્ટના રોજ સવારે 10:58 વાગ્યાથી શરૂ થશે જે 31 ઓગસ્ટ 2023ના રોજ સવારે 07:05 વાગ્યા સુધી ચાલશે. મળતી માહિતી મુજબ ભદ્રકાળની શરૂઆત પણ પૂર્ણિમાથી થશે. હિન્દુ કેલેન્ડર મુજબ રાખડી બાંધવી શુભ નથી. આવી સ્થિતિમાં એક જ દિવસે પૂર્ણિમા અને ભદ્ર કાળ આવવાના કારણે તમારે મુહૂર્તનું વિશેષ ધ્યાન રાખવું પડશે.
રક્ષાબંધનનો શુભ સમય
રક્ષાબંધનનો શુભ સમય 30 ઓગસ્ટ 2023ના રોજ રાત્રે 09:01 વાગ્યાથી 31 ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યા સુધીનો રહેશે. પરંતુ 31 ઓગસ્ટે સાવન પૂર્ણિમા સવારે 07.05 વાગ્યા સુધી છે, આ સમયે ભદ્રકાળ નથી. આ કારણથી 31 ઓગસ્ટે બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી શકે છે.
રાખડી બાંધવાનો શુભ સમય 2023
30 ઓગસ્ટે રાખડી બાંધવાનો શુભ સમય – રાત્રે 9:00થી 01:00 વાગ્યા સુધી
31 ઓગસ્ટે રાખડી બાંધવાનો શુભ સમય સૂર્યોદયથી સવારે 07.05 સુધીનો છે