હમાસના આતંકવાદીઓ મુસ્લિમ ભાઈચારાના નામે ભંડોળ એકત્ર કરે છે અને તેનો ઉપયોગ ઈઝરાયેલ વિરુદ્ધ કરે છે. આત્મઘાતી હુમલાથી શરૂ થયેલી હમાસની આતંકવાદી સફર હવે રોકેટ હુમલા સુધી પહોંચી ગઈ છે. હમાસના આતંકવાદીઓ દરરોજ ઈઝરાયેલ પર હુમલા કરતા રહે છે. 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસ દ્વારા ઈઝરાયેલ પર છોડવામાં આવેલ રોકેટ આ સદીનો સૌથી મોટો હુમલો છે.
ઈઝરાયેલમાં આતંકી સંગઠન હમાસે કરેલા ભયાવહ હુમલાથી સમગ્ર દુનિયા સ્તબ્ધ થઈ છે. જેમાં ઈસ્લામિક જેહાદના નામે માનવતા પર હુમલો કરવામાં આવ્યો છે. આ સમગ્ર હુમલો વિશ્વ માટે ચેતવણીરૂપ છે. તેમજ ઇઝરાયેલે કહ્યું આ સમગ્ર વિશ્વ માટે આધાતરૂપ હુમલો છે. ઈઝરાયેલે સંયુક્ત રાષ્ટ્રને જણાવ્યું છે કે ઇઝરાયલ પર હમાસનો હુમલો સમગ્ર વિશ્વ સામે યુદ્ધ સમાન છે અને જો ઈઝરાયેલ તેનો સામનો કરવામાં નિષ્ફળ જશે તો વિશ્વ હારી જશે.ઇઝરાયલ પર હમાસના હુમલાને “9/11ના હુમલા સમકક્ષ ગણાવતા કહ્યું કે “હમાસના આતંકવાદી માળખાને સંપૂર્ણપણે નષ્ટ કરવાનો, તેનો સંપૂર્ણ નાશ કરવાનો સમય આવી ગયો છે જેથી આવી ભયાનકતા ફરી ક્યારેય ઉત્પન્ન ના થાય. તેમજ આ માત્ર ઈઝરાયેલ સામેનું યુદ્ધ નથી આત વિશ્વ સામેનું યુદ્ધ છે આ સંસ્કૃતિ સામેનું યુદ્ધ છે.
શનિવારે હમાસના આતંકવાદીઓએ ગાઝામાંથી ઈઝરાઈલમાં 3 હજારથી વધુ રોકેટ છોડ્યા બાદ ઈઝરાયેલ અને ગાઝામાં અત્યાર સુધીમાં 1 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. જવાબી કાર્યવાહીમાં, ઇઝરાયેલી સંરક્ષણ દળોએ ગાઝામાં હુમલો કર્યો. હમાસના આતંકવાદીઓએ અત્યાર સુધીમાં અનેક નાગરિકોનું અપહરણ કર્યું છે અને અનેક લોકોની હત્યા કરી છે. આ નરસંહાર બાદ ઈઝરાયેલે પણ ભીષણ યુદ્ધની જાહેરાત કરી છે.
યુદ્ધના બીજા દિવસે એટલે કે રવિવારે ઇઝરાયેલી સેના અને આતંકવાદી જૂથ હમાસ વચ્ચેની અથડામણથી દેશભરના ઘણા વિસ્તારો પ્રભાવિત થયા હતા. ઈઝરાયેલ પરના સૌથી ઘાતક હુમલામાં સૈનિકો સહિત ઓછામાં ઓછા 700 ઈઝરાયેલીઓ માર્યા ગયા છે અને 1,900થી વધુ ઘાયલ થયા છે. ગાઝા પટ્ટીમાં, ઇઝરાયેલના વળતા હુમલા પછી 450થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને લગભગ 2,300 ઘાયલ થયા હતા, જેના કારણે મૃત્યુની કુલ સંખ્યા 1,000 થી વધુ થઈ ગઈ હતી.