મૈસુરના ટીપુ સુલતાનની અંગત તલવારને લંડનમાં કોઈ ખરીદનાર મળ્યો નથી. આ તલવાર બ્રિટિશ ભારતના ગવર્નર જનરલ કોર્નવોલિસને ભેટમાં આપવામાં આવી હતી. હવે તેના પરિવારે આ તલવાર અને અન્ય વસ્તુઓની હરાજીનું આયોજન કર્યું હતું. આ તલવાર ટીપુ સુલતાનના અંગત બખ્તરમાંની બે તલવારોમાંથી એક હતી. ટીપુની હાર પછી તરત જ 1799માં ચાર્લ્સ માર્ક્વેસ પ્રથમ અને બીજા અર્લ કોર્નવોલિસને બંને તલવારો આપવામાં આવી હતી. ટીપુ સુલતાનની તલવાર લંડનમાં ક્રિસ્ટીની હરાજીમાં વેચાણ માટે મૂકવામાં આવી હતી. હરાજીમાં આ તલવાર માટે જે બેઝ પ્રાઈસ રાખવામાં આવી હતી તે પણ હાંસલ થઈ નથી. તેની અંદાજિત કિંમત 15 કરોડથી 20 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. તલવારની કિંમત વધારે હોવાને કારણે તેની બોલી લગાવી શકાઈ ન હતી.
તલવાર મધ્ય પૂર્વના સંગ્રહાલય દ્વારા ખરીદવામાં આવે તેવી અપેક્ષા હતી, પરંતુ તેની અનામત બિડ થઈ શકી ન હતી. તેમના અંગત બખ્તરની બંને તલવારો તેમને 1799માં ટીપુ સુલતાનની હાર બાદ ભેટમાં આપવામાં આવી હતી. તેમાંથી એક તલવાર ચાર્લ્સ માર્ક્વેસ ને અને બીજી તલવાર અર્લ કોર્નવોલિસને આપવામાં આવી હતી. અને કોર્નવોલિસને 1786માં બ્રિટિશ ઈન્ડિયાના ગવર્નર જનરલ અને કમાન્ડર ઇન ચીફ બનાવવામાં આવ્યા હતા.પછી એમને ત્રીજા એંગ્લો-મૈસુર યુદ્ધ દરમિયાન બ્રિટિશ સેનાનું નેતૃત્વ કર્યું હતું.
અર્લ કોર્નવોલિસને ભેટમાં આપવામાં આવેલી તલવાર વેચવા મૂકી છે.
ટીપુ સુલતાનની બેડરૂમ તલવાર હતી. પહેલી તલવાર આ વર્ષે 23 મેના રોજ બોનહેમ્સમાં 141 કરોડ રૂપિયામાં વેચાઈ હતી. હવે કોર્નવોલિસના પરિવારે તેમનું વૈભવી ઘર અને બે તલવારો વેચવા માટે મૂકી છે. બીજી તલવાર રત્નો અને મીનોથી જડેલી છે. 1805માં કોર્નવોલિસને ફરીથી ભારતમાં જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ નોકરીના બે મહિનામાં જ તેમનું અવસાન થયું હતું.
તલવાર ઉંચી કિંમતને કારણે ખરીદનાર મળ્યું નહીં
તાજેતરના ઇઝરાયેલ-ગાઝા યુદ્ધ અને ઊંચા વ્યાજ દરોને કારણે કોઈએ ઊંચા ભાવે ખરીદી કરવામાં રસ દાખવ્યો ન હતો. તેથી હરાજીમાં બિડ મૂકી શકાઈ ન હતી. આ હરાજીમાં ટીપુ સુલતાનની સેનાના બે અન્ય હથિયારો પણ રાખવામાં આવ્યા હતા. ટીપુ સુલતાન માટે બનાવેલ ફ્લિન્ટલોક મસ્કેટૂન હજુ સુધી નિશ્ચિત બોલી સુધી પહોંચી નથી.