ઈઝરાયેલ પર હમાસે 7 ઓક્ટોબરે હુમલો કર્યો હતો અને સેંકડો લોકોની હત્યા કરી હતી ત્યાર બાદ ગાઝામાં 200 લોકોને બંધક બનાવ્યા હતા અને પછી ઈઝરાયેલે ગાોઝા પર બોમ્બમારો શરૂ કર્યો અને હમાસ દ્વારા ઇઝરાયેલના લોકોને બંધક બનાવ્યા હતા એના પાછળનો હેતુ ઇઝરાયેલની જેલમાં બંધ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાનો હોવાનું માનવામાં આવે છે. અને ઓક્ટોબરની શરૂઆતમાં 5,192 પેલેસ્ટિનિયન ઇઝરાયેલની જેલોમાં બંધ હતા. તેમાંથી 2,410 કેદીઓ એવા હતા જેમને સજા થઈ હતી. 1,463 લોકો રિમાન્ડ પર છે અને 1,319 જેમને ટ્રાયલ વગર જેલમાં રાખવામાં આવ્યા છે.
પેલેસ્ટિનિયન પ્રિઝનર્સ ક્લબે જણાવ્યું કે ઇઝરાયેલના કબજા હેઠળના વેસ્ટ બેંક અને ઇસ્ટ જેરૂસલેમમાં 1,680 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યાર બાદ ગાઝા પટ્ટીના 4,000 કામદારો અને જેમની પાસે ઇઝરાયેલમાં રહેવાની પરવાનગી હતી તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. એકંદરે આ સંખ્યા લગભગ 11,000 છે. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે સંઘર્ષની શરૂઆતથી વેસ્ટ બેંકમાં 700 હમાસ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.
ઇઝરાયેલ પેલેસ્ટિનિયન સશસ્ત્ર જૂથો અને લેબનીઝ ઉગ્રવાદી જૂથ હિઝબુલ્લાહ સાથેના કેદીઓને મુક્ત કરવા સંમત થયું હતું. ઇઝરાયલી સૈનિક ગિલાદ શાલિતના બદલામાં 1,027 કેદીઓને મુક્ત કરવાનો સૌથી વધુ ચર્ચાનો મુદ્દો હતો. અને પછી જે કેદીઓને મુક્ત કર્યા હતા તેઓના પર 600 ઈઝરાયેલીઓની હત્યાના આરોપ હતા.