કેનેડા બાદ હવે અમેરિકામાં પણ ખાલીસ્તાનીઓ હદ વટાવી રહ્યા છે અને આજે ગુરૂનાનક જયંતિ નિમિતે અમેરિકા ખાતેના ભારતીય રાજદૂત એક ગુરૂદ્વારામાં માથુ ટેકવવા ગયા હતા તે સમયે કેટલાક ખાલીસ્તાનીઓએ તેમની સાથે ગેરવર્તન કર્યુ હતું તથા ધકકામુકકી કરી હતી અને બાદમાં ખાલીસ્તાન તરફી સૂત્રો પણ બોલાવ્યા હતા.
ભારતીય રાજદૂત તરનજીતસિંહ સંધુ ન્યુયોર્કના લોંગ આઈલેન્ડમાં ગુરુદ્વારામાં દર્શન કરવા પહોંચ્યા હતા. તેમનો પરિવાર પણ સાથે હતો. હીકસવિલે ગુરુદ્વારામાં ત્યાં અગાઉથી હાજર કેટલાક ખાલીસ્તાની તત્વોએ તરનજીતસિંહને ઘેરી લીધા હતા અને ધકકામુકકી કરી હતી. જો કે ભારતીય રાજદૂતે ગુરુદ્વારાની અંદર સંયમ જાળવ્યું હતું અને બાદમાં તેઓ અલગ થઈ ગયા હતા અને માથુ ટેકવીને પરત ગયા હતા. પરંતુ તેમની સાથે આજે ગુરુનાનક જયંતિએ જે ગેરવર્તન ગુરુદ્વારામાં થયું
તેની ભારત સરકારે ગંભીર નોંધ લીધી છે. ભાજપના નેતા આર.પી.સિંહે આ વિડીયો શેર કર્યો હતો. તે પહેલા રાજદૂતે ટવીટ કરીને લોંગ આઈલેન્ડ ખાતે ગુરુનાનક દરબારમાં સ્થાનિક સંકટમાં સામેલ થવાનું સદભાગ્ય સાંપડયુ હોવાનું જણાવીને કોઈ વિવાદ છેડવાથી દુર રહ્યા હતા. તેઓએ અન્ય એક ગુરુ રવિદાસ મંદિર ખાતે જઈને પણ પ્રાર્થનાસભામાં ભાગ લીધો હતો.