ઇઝરાયેલ અને હમાસ વચ્ચે દોઢ મહિનાથી પણ વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે અંતે બને પક્ષ યુદ્ધવિરામને વધુ બે દિવસ વધારવા પર સહમત થઈ ગયા છે. કતારે આ દાવો કર્યો છે. ઇઝરાયેલે કહ્યું છે કે તેઓ પ્રત્યેક 10 વધુ બંધકોને મુક્ત કરવા માટે સંઘર્ષ વિરામને એક દિવસ વધારી દેશે.
કે તેઓ સમાન શરતો અંતર્ગત બે દિવસ સુધી યુદ્ધવિરામ વધારવા પર સહમત છે. મહત્વપૂર્ણ છે કે કતાર, અમેરિકા અને ઈજિપ્તની સાથે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં મુખ્યરીતે મધ્યસ્થી કરી રહ્યાં છે. કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજિદ અલ અંસારી દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ પર આ જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા થયેલી સમજૂતી અંતર્ગત બંધકોના ચોથા જથ્થાની અદલાબદલી સોમવારે 27 નવેમ્બરે થવાની આશા હતી. બંને વચ્ચે ચાલી રહેલા ચાર દિવસીય સંઘર્ષ વિરામનો સોમવારે છેલ્લો દિવસ હતો.
સંઘર્ષ વિરામના અંતિમ દિવસે મોડી સાંજે દોહાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ દાવો કર્યો કે કતારે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય સંઘર્ષ વિરામને બે દિવસ સુધી વધારવાની સમજૂતી થઈ ગઈ છે. ધ ટાઈમ્સ ઓફ ઇઝરાયેલના રિપોર્ટ મુજબ કતારની જાહેરાતનો અર્થ છે કે ઓછામાં ઓછા 10 ઇઝરાયેલી બંધકોને મંગળવારે છોડવામાં આવશે. અન્ય 10 બંધકોને બુધવારે છોડવામાં આવશે. આ સાથે જ દરરોજ ઇઝરાયેલ 30 પેલેસ્ટાઈની કેદીઓને પણ છોડવામાં આવશે.