આપણા દેશમાં નવરાત્રી પર્વનું વિશેષ મહત્વ રહેલુ છે.તેમાં આસો નવરાત્રી,મહા નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીનું મહાત્મય વિશેષ છે.આસો નવરાત્રીમાં માતાજીના ચાચર ચોકમાં ગરબે ઘુમીને માતાજી પ્રત્યે ભક્તિ કરવાનું મહત્વ છે.જો મહા માસમાં માતાજીના ગરબા ઘરમાં પધરાવી પૂજન-અર્ચન તો વળી આ ચૈત્રી નવરાત્રીમાં માતાજીના અનુષ્ઠાન સાથે આરાધના અને ઉપવાસ કરવાનું ખૂબ મહત્વ રહેલુ છે.
મંગળવારથી ચૈત્રી નવરાત્રીનું પાવન પર્વ શરૂ થઈ રહ્યુ છે.ત્યારે શક્તિ મંદિરોમાં ભારે ભીડ જામશે.ગુજરાતમાં આવેલા શક્તિપીઠ અંબાજી,શક્તિપીઠ બહુચરાજી અને શક્તિપીઠ પાવાગઢ મંદિરમાં પણ ભક્તો ઉમટી પડશે.તેમાં સૌથી મહત્વના અંબાજી શક્તિપીઠ ખાતે સવિશેષ ભીડ જામશે.ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા આરતી અને દર્શનમાં ફેરફાર કરાયો છે.
મંગળવારે સવારે 07: 00થી07: 30 વાગ્યે આરતી થશે07: 30થી સવારે 11 : 30 વચ્ચે દર્શન તો 09: 15 થી 09.45 વાગ્યે ઘટ સ્થાપન થશે.સાથે જ બપોરે 12 વાગ્યે રાજભોગ,બપોરે 12: 30 થી 04: 30 દરમિયાન દર્શન તો સાંજે 07: 00 થી 07: 30 આરતી અને રાત્રે 07: 30 થી 09: 00 સુધી દર્શન.