દેશભરમાં જોરશોરથી પ્રચાર કરીને મતદારોના આશીર્વાદ લેનાર ભારતીય જનતા પાર્ટી (BJP)ના ટોચના નેતા અને કેન્દ્રના સૌથી મોટા સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે કન્યાકુમારી પહોંચશે.
સામાન્ય ચૂંટણીના છેલ્લા અને સાતમા તબક્કાનો પ્રચાર 30 મે ના ગુરુવારે સાંજે સમાપ્ત થશે. દેશભરમાં જોરશોરથી પ્રચાર કરીને મતદારોના આશીર્વાદ લેનાર ભારતીય જનતા પાર્ટી (BJP)ના ટોચના નેતા અને કેન્દ્રના સૌથી મોટા સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે કન્યાકુમારી પહોંચશે.ભાજપે તેના ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજના કન્યાકુમારી કાર્યક્રમને શેર કર્યો છે.
વડાપ્રધાન મોદીએ આ વખતે સામાન્ય ચૂંટણીમાં 400 વોટને પાર કરવાના સંકલ્પને પૂરો કરવા માટે દેશમાં જોરશોરથી પ્રચાર કરીને મતદારોના આશીર્વાદ લીધા ,પંજાબના હોશિયારપુરમાં મતદારોના આશીર્વાદ લીધા બાદ તેઓ કન્યાકુમારી જવા રવાના થશે.
1 જૂન સાંજ સુધી ધરશે ધ્યાન
વડાપ્રધાન મોદી આજે તમિલનાડુના કન્યાકુમારીમાં સાંજે 5.15 વાગ્યે ભગવાનની પૂજા કરશે.
કન્યાકુમારીમાં,પીએમ મોદી ભગવતી અમ્માન મંદિરમાં દર્શન અને પૂજા કરશે. અહીં વડાપ્રધાન સ્મારક રોક મેમોરિયલમાં ધ્યાન કરશે.તેઓ આજે સાંજથી 1 જૂનની સાંજ સુધી ધ્યાન મંડપમાં ધ્યાન કરશે.
કન્યાકુમારી જ કેમ ?
સ્વામી વિવેકાનંદ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપવા 1893 માં શિકાગો ગયા હતા અહી તેમણે ભાષણ આપ્યું હતું જેનો પડઘો આખી દુનિયામાં સંભાળ્યો હતો તેથી મહત્વની વાત એ છે કે આ એ જ જગ્યા છે જ્યાં સ્વામી વિવેકાનંદે દેશવ્યાપી પ્રવાસ બાદ ત્રણ દિવસ સુધી ધ્યાન કર્યું હતું.અહીં જ તેમણે વિકસિત ભારતનું સ્વપ્ન જોયું હતું