હાઈલાઈટ્સ :
- સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેતા નરેન્દ્ર મોદી
- નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નેહરૂના રેકોર્ડની બરાબરી કરી
- નરેન્દ્ર મોદીના સ્વયંસેવકથી લઈ પ્રધાન સેવક સુધીની સફર
- 17 સપ્ટેમ્બર 1950ના રોજ વડનગર ખાતે નરેન્દ્ર મોદીનો જન્મ
- 8 વર્ષની વયે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંપર્કમા આવ્યા
- વર્ષ 1970 માં નરેન્દ્ર મોદી સંઘના પ્રચારક બન્યા હતા
- 1975 માં ગુજરાત લોકસંઘર્ષ સમિતિના મહાસચિવની જવાબદારી
- 1979 માં નરેન્દ્ર મોદી સંઘના વિભાગીય પ્રચારક બન્યા હતા
- 1990-91માં રામરથયાત્રા અને એકતાયાત્રાના આયોજનમાં ભૂમિકા
- 1996 મા નરેન્દ્ર મોદીને ભાજપના મહાસચિવના જવાબદારી મળી
- 2001 માં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
- વર્ષ 2014 સુધી સળંગ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીક રહ્યા
- 2014 માં પ્રથમ વખત તો 2019માં બીજી વખત PM બન્યા
- 9 જૂન 2024ના રોજ ત્રીજીવાર વડાપ્રધાન પદના શપથ લીધા
મૈ નરેન્દ્ર દામોદરદાસ મોદી,ઈશ્વર કી શપથ લેતા હુ કી……આ શબ્દ 9 જૂન ને રવિવારે સાજે 7:15 વાગ્યે આ વાક્ય સતત ત્રીજી વખત સાંભળતા જે દેશની જનતામાં અનેરો ઉત્સાહ પ્રસરી ગયો.જી હા મિત્રો રાષ્ટ્રપતિ ભવનના પટાંગણ ખાતે યોજાયેલ શપથ સમારોહ દરમિયાન નરેન્દ્ર મોદીએ વિદેશી મહેમાનો અને ગણમાન્ય લોકો વચ્ચે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ લેવડાવ્યા હતા.તેમની સાથે 71 જેટલા મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા.
સફળતા પૂર્વક સરકારની પાંચ વર્ષની સમયાવધી પૂર્ણ કરી નરેન્દ્ર મોદીએ દેશની જવાબદારી સંભાળી એટલુ જ નહી પણ દેશના સ્થિર અને મજબૂત સરકાર આપી દેશ ઉપરાંત વિદેશોમાં પણ ભારતનું નામ ગુંજતુ કર્યુ છે.સામાન્ય રીતે પૂર્વે આપણા દેશની જે છબી હતી તે છેલ્લા 10 વર્ષમાં ન માત્ર સુધરી છે પરંતુ મહત્વના દેશો ઉપરાંત ઘણા એવા દેશો છે જે ભારતની નીતિઓનું અનુસરણ કરતા થયા છે. તો દેશમાં પણ ખાસ કરીને આર્થતંત્રીની ગાડી પટરી પર આવી અને દોડતી થઈ છે.આવા તો અનેક રાષ્ટ્ર ઉત્કર્ષના કાર્યો નરેન્દ્ર મોદીના શાસનમાં થયા છે.ત્યારે આજે સતત ત્રીજ વખત વડાપ્રધાન તરીકે શપથ લેનાર નરેન્દ્ર મોદીના સ્વયંસેવકથી પ્રધાન સેવક સુધીની સફર પર એક નજર કરીએ
નરેન્દ્ર મોદીનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લાના ઐતિહાસિક વડનગર ગામે એક સાધારણ પરીવારમાં થયો હતો.માતા હીરાબા અને દામોદરદાસ મોદીના દાંપત્ય જીવનમા નરેન્દ્ર મોદી સ્વરૂપે 17 સપ્ટેમ્બર 1950 ના રોજ પુત્ર રત્નએ જન્મ દીધો.નાનપણથી જ નરેન્દ્ર મોદી બાહોશ હતા.તેમનુ જીવન રાષ્ટ્રભાવનાથી ભરેલુ હતુ.નરેન્દ્ર મોદી જ્યારે 8 વર્ષના હતા ત્યારે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંપર્કમા આવ્યા તો વર્ષ 1970મા તેઓ સંઘના પ્રચારક પણ બન્યા હતા.1975માં નરેન્દ્ર મોદીને RSS દ્વારા ગુજરાત લોકસંઘર્ષ સમિતિના મહાસચિવ તરીકેની જવાબદારી આપવામા આવી.તો ઈમર્જન્સી વખતે ધરપકડથી બચવા નરેન્દ્ર મોદીને ભૂગર્ભમાં રહેવુ પડ્યુ હતુ.તે સમયે તેઓ સરકારના વિરોધમાં પેમ્પ્લેટ છપાવાનુ કામ કરતા હતા.
તો સુરત અને વડોદરામાં યોજાતા સંઘના કાર્યક્રમોમાં તેઓ ભાગ લેતા વર્ષ 1979 મા તેઓને વિભાગીય પ્રચારક વનાવાયા હતા.તો 1987મા નરેન્દ્ર મોદીએ રાજકારણમા પ્રવેશ કર્યો અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમની સંગઠન સચિવની જવાબદારી મળી હતી.1990માં લાલકૃષ્ણ અડવાણીની રામ રથયાત્રા તેમજ 1991 મુરલી મનોહર જોશીની એકતાયાત્રાના આયોજનમાં ભૂમિકા અદા કરી હતી.તો વર્ષ 1996 માં નરેન્દ્ર મોદીને ભાજપના મહાસચિવ તરીકે મોટી જવાબદારી આપવામાં આવી હતા.
તો વળી વર્ષ 2001 મા તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ એટલેકે કેશુબાપાની તબિયત લથડતા પેટા ચૂંટણીમાં ભાપજે કેટલીક બેઠકો ગુમાવી ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વએ ગુજરાતના મુખ્યમંત્રી પદની જવાબદારી નરેન્દ્ર મોદીને સોંપી અને 7 ઓક્ટોબર 2001 ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.તો બાદમાં 24 ફેબ્રુઆરી 2002 ના રોજ રાજકોટ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.ત્યારથી લઈ મે 2014 સુધી સતત તેઓએ ગુજરાતનના શાસનની ધુરા સંભાળી અને રાજ્યને વિકાસના રોડ મોડેલ તરીકે દેશમા અગ્રહરોળમાં પ્રસ્થાપિત કર્યુ .
ત્યારબાદ નરેન્દ્ર મોદીએ 26 મે 2014 ના રોજ પ્રથમ વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા આ પછી વર્ષ 2019 મા પણ વડાપ્રધાન બન્યા અને હવે 9 જૂન 2024ના રોજ સાજે રાષ્ટ્રતપતિ ભવનના પ્રાંગણમા સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લઈ ઈતિહાસ રચ્યો છે.સતત ત્રીજીવાર શપથ લેતાની સાથે જ તેઓએ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂની રેકોર્ડની બરાબરી કરી છે.
ત્રીજી વખત વડાપ્રધાન તરીકે ચાર્જ સંભાળતાની સાથે જે તેમણે ખેડૂત લક્ષી ફાઈલ પર હસ્તાક્ષ કરવાનુ કાર્ય સૌ પ્રથમ કર્યુ અને પીએમ કિસાન સન્માન નિધીનો 17 મો હપ્તો લોન્ચ કર્યો અને દેશના 9.3 કરોડ ખેડૂતોના ખાતામા હપ્તો જમા કરાવ્યો હતો.