T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજની ચોથી મેચ કેનેડા સામે રમશે. આ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે.
- હાઈલાઈટ્સ :
- આજની મેચમાં રોહિત-જયસ્વાલ ઓપનિંગ શકે
- વિરાટ કોહલી ત્રીજા સ્થાન પર રમી શકે
- T20 વર્લ્ડ કપ 2024ની 33મી મેચ ભારત અને કેનેડાની ટીમો વચ્ચે રમાશે
- ભારતીય ટીમ સુપર 8 રાઉન્ડ માટે પહેલાથી જ ક્વોલિફાઈ
- બંને ટીમો વચ્ચે આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હશે
- ભારત અને કેનેડા મેચ વચ્ચે વરસાદનો ખતરો જોવા મળી શકે છે
T20 વર્લ્ડ કપ 2024માં, ભારતીય ક્રિકેટ ટીમ આજે એટલે કે શનિવાર, 15 જૂને કેનેડા સામે ગ્રુપ સ્ટેજની ચોથી અને છેલ્લી મેચ રમશે. અગાઉ રમાયેલી ત્રણેય મેચ જીતીને ટીમ ઈન્ડિયા સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. આવી સ્થિતિમાં કેનેડા સામેની આજની મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન અને ક્રમમાં ફેરફાર થઈ શકે છે. આજે યશસ્વી જયસ્વાલને તક મળી શકે છે અને કોહલી ત્રીજા નંબર પર પરત ફરી શકે છે.
રોહિત-જયસ્વાલ કરશે ઓપનિંગ, ત્રીજા નંબરે આવશે કોહલી?
અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચોમાં વિરાટ કોહલી કેપ્ટન રોહિત શર્માની સાથે ઓપનિંગમાં જોવા મળ્યો છે. પરંતુ, કિંગ કોહલીનું બેટ ઓપનિંગમાં પ્રદર્શન સારું નથી રહ્યું ,ઓપનિંગમાં વિરાટ કોહલી ત્રણેય મેચમાં સારા રન બનાવી શકયો નહીં ,આયર્લેન્ડ સામેની પ્રથમ મેચમાં કોહલી 01 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી પાકિસ્તાન સામેની બીજી મેચમાં તે માત્ર 04 રન જ બનાવી શક્યો હતો અને ત્યારબાદ અમેરિકા સામેની ત્રીજી મેચમાં 0 રન પર આઉટ થઈ ગયો હતો
આવી સ્થિતિમાં વિરાટ કોહલી કેનેડા સામેની મેચમાં પોતાના જૂના નંબર ત્રણ પર રમતા જોવા મળી શકે છે. ટીમના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલને તક મળી શકે છે. જયસ્વાલ ઓપનિંગમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા સાથે જોવા મળી શકે છે.
કોની જગ્યાએ જયસ્વાલને મળી શકે તક?
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના સ્થાને જયસ્વાલને તક મળી શકે છે. જાડેજા પણ અત્યાર સુધી ફ્લોપ દેખાયો છે. કેપ્ટન રોહિત શર્માએ પણ જાડેજાનો બોલિંગમાં વધુ ટર્ન આપ્યો નથી આવી સ્થિતિમાં જાડેજાને કેનેડા સામેની મેચમાંથી બહાર કરી શકે ,જાડેજાની જગ્યાએ જયસ્વાલને ટીમમાં એન્ટ્રી મળી શકે છે.
કેનેડા સામે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન :
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.