હાઈલાઈટ્સ :
- સંદેશખાલી કેસમાં મમતા સરકારને SC તરફથી ઝટકો
- CBI તપાસ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ સરકારની અરજી ફગાવી
- સુપ્રીમ કોર્ટે ઝટકો આપવા સાથે મમતા સરકારને કરી ટકોર
- SC નો સવાલ એક વ્યક્તિને બચાવવા સરકારની હઠ શા માટે ?
- જસ્ટિસ બી.આર.ગવઈ- કે.વી.વિશ્વનાથનની બેચની સુનાવણી
સંદેશખાલી કેસમાં CBI તપાસ વિરદ્ધની પશ્ચિમ બંગળની મમતા સરકારે કરેલી અરજી સુપ્રીમ કોર્ટે આજે ફગવી દીધી હતી.સુપ્રીમ કાર્ટે ટકોર પણ કરી કે એક વ્યકિતને બચાવવા માટે સરકારની હઠ કેમ ?
આજે સોમવારે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારની એ અરજી ફગાવી દીધી જેમા સંદેશખાલીમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધ કરવા તેમજ જમીન હડપ કરવાના કરવાના આરોપની CBI તપાસ કરવવાના કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો
આ કેસ મામલે સુપ્રીમ કોર્ટે સુનાણી કરતા સોમવારે પશ્ચિમ બંગાળની મમતા સરકારને ફટકાર લગાવતા કહ્યુ કે પહેલાથી જ રાજ્ય સરકારે મહિનાઓ સુધી કશુ જ કર્યુ નથી.કોર્ટે ટકોર પણ કરી કે એક શખ્સને બચાવવા તંત્ર હઠ કેમ કરે છે ?
જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથનની બેચે સુનાવણી કરતા કહ્યુ કે કોઈને બચાવવાની રાજ્ય સરકારની રુચિ કેમ અને બાદમાં જ્જોએ આ મુદ્દે ચુકાદો આપતા સરકારની અરજી ફગાવી દીધી હતી.
નોંધનિય છે કે અગાઉ 29 એપ્રિલે આ કેસમાં સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મમતા સરકારને પૂછ્યુ હતુ કે કેટલાક લોકોના હિતોના રક્ષણ માટે રાજ્યને એક અરજકર્તા રૂપે કેમ આવવુ પડ્યુ ?
ઉલ્લેખનિય એ પણ છે કે અરજીમા પશ્ચિમ બંગાળ સરકારે કહ્યુ હતુ કે ઉચ્ચ ન્યાયાલયના આદેશથી પોલીસ સહિત રાજ્ય સરકારનુ મનોબળ નબળુ પડ્યુ છે.સરકારે વધુમાં જણાવ્યુ હતુ કે પ્રવર્તન નિર્દેશાલય એટલે કે CBI પહેલાથી જ સંદેશખાલી મામલે તપાસ કરી રહી છે અને તેમણે 5 જાન્યુઆરીએ ઘટનાઓ સબંધીત તપાસ પહેલાથી જ CBI કહે છે કે 5 જાન્યુઆરીની ઘટનાઓ સબંધમાં ત્રણ પ્રાથમિક નોધ કરી છે.
SORCE : અમર ઉજાલા