ભારત અને શ્રીલંકા વચ્ચે 3 T20 અને 3 ODI મેચોની ક્રિકેટ શ્રેણી 27 જુલાઈથી શરૂ થશે. આ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. વનડે શ્રેણી માટે ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે, જ્યારે સૂર્યકુમાર યાદવને ટી-20 ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હવે ટીમ સિલેક્શન પર સવાલો ઉઠી રહ્યા છે, જેમાં પૂર્વ ખેલાડીઓ પણ કૂદી પડ્યા છે.
હાઈલાઈટ્સ
- ભારત અને શ્રીલંકા વચ્ચે 3 T20 અને 3 ODI મેચોની ક્રિકેટ શ્રેણી 27 જુલાઈથી શરૂ
- વનડે શ્રેણી માટે ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે
- સૂર્યકુમાર યાદવને ટી-20 ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે
IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે 3 T20 અને 3 ODI મેચોની શ્રેણી 27 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે. આ શ્રેણીમાં ભાગ લેનારી ભારતીય ટીમના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માને ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે T20 ક્રિકેટ ટીમની કમાન સૂર્યકુમાર યાદવને આપવામાં આવી છે. પસંદગી સમિતિએ શ્રીલંકા પ્રવાસ પર ઘણા નવા ખેલાડીઓને પણ તક આપી છે, જ્યારે ઝિમ્બાબ્વે પ્રવાસમાં સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. જેના કારણે ટીમ સિલેક્શન પર સતત સવાલો ઉઠી રહ્યા છે. હવે એક પૂર્વ દિગ્ગજ ખેલાડી પણ આ ચર્ચામાં આવી ગયો છે.
આ ખેલાડીએ સવાલ ઉઠાવ્યા
શ્રીલંકા પ્રવાસ પર ભારતની T20 ક્રિકેટ ટીમની કમાન હાર્દિક પંડ્યાના સ્થાને સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. જોકે દરેકને આશા હતી કે હાર્દિક પંડ્યાને ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવશે. પરંતુ સુકાની તરીકે સૂર્યકુમાર યાદવની નિમણૂકથી બધાને આશ્ચર્ય થયું છે. આ દરમિયાન ભારતના પૂર્વ દિગ્ગજ ખેલાડી મોહમ્મદ કૈફે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. કૈફે હાર્દિક પંડ્યાના સમર્થનમાં નિવેદન આપીને ટીમની પસંદગી પર સવાલ ઉઠાવ્યા છે. કૈફે કહ્યું કે ટીમ મેનેજમેન્ટનો આ નિર્ણય પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કરે છે, કારણ કે હાર્દિક પંડ્યાએ ભારતને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Former India batsman Mohammad Kaif believes allrounder @hardikpandya7 deserved to lead the Indian team in T20Is. #BCCI #TeamIndia #SrilankaTour; @ians_india @IANSKhabar pic.twitter.com/FWxrgDrnsc
— Chetan Vashisht (@chetan0711) July 19, 2024
કૈફે કેમ કહ્યું
મોહમ્મદ કૈફે કહ્યું કે, ‘અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ હાર્દિક પંડ્યાને ટી-20 ટીમના કેપ્ટન તરીકેના તેના અગાઉના અનુભવને ધ્યાનમાં રાખીને તેને સમર્થન આપવું જોઈએ. હાર્દિકે 2 વર્ષથી IPLમાં ગુજરાત ટાઇટન્સનું નેતૃત્વ કર્યું છે અને પહેલા જ વર્ષે તેણે ટાઇટલ પણ જીત્યું હતું. હાર્દિકને ટી20 ક્રિકેટમાં ટીમની કેપ્ટનશિપ કરવાનો અનુભવ છે. ટી20 વર્લ્ડ કપમાં તે ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન પણ હતો. હવે નવો કોચ આવ્યો છે, નવી યોજના હશે. સૂર્યકુમાર યાદવ પણ સારો ખેલાડી છે અને વર્ષોથી રમી રહ્યો છે. તે નંબર-1 T20 ખેલાડી પણ છે. મને આશા છે કે તે કેપ્ટનની જવાબદારી સારી રીતે નિભાવશે. પરંતુ મને લાગે છે કે પસંદગીકારોએ હાર્દિક પંડ્યાનું સમર્થન કરવું જોઈએ.
હાર્દિક કેપ્ટનશિપને લાયક હતો
કૈફે કહ્યું કે હાર્દિકે એવું કંઈ કર્યું નથી કે તેને કેપ્ટન ન બનાવવામાં આવે. હાર્દિકે 3 ODI અને 16 ઈન્ટરનેશનલ T20 મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. તેની પાસે સારો અનુભવ છે. તે કેપ્ટનશિપને લાયક હતો. તેણે ગુજરાત ટાઇટન્સ માટે નવી ટીમ સાથે ગ્રાઉન્ડ ઝીરો પર સખત મહેનત કરી અને ટીમને ચેમ્પિયન બનાવી. કૈફે ગૌતમ ગંભીરને અનુભવી કેપ્ટન અને ખેલાડી ગણાવ્યો હતો. તેણે કહ્યું કે ગૌતમ ગંભીરનો અનુભવ ટીમ માટે ઘણો ઉપયોગી થશે.