વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ હેરિટેજ કમિટીના 46માં સત્રનું ઉદ્ઘાટન કરશે. ભારત પ્રથમ વખત વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠકનું આયોજન કરી રહ્યું છે. જેનું આયોજન 21 થી 31 જુલાઈ દરમિયાન ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે કરવામાં આવશે.
હાઈલાઈટ્સ :
- ભારત પ્રથમ વખત આ બેઠકનું આયોજન કરશે
- PM મોદી આજે વર્લ્ડ હેરિટેજ કમિટીના 46માં સત્રનું ઉદ્ઘાટન કરશે
- દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ હેરિટેજ કમિટીના 46માં સત્રનું ઉદ્ઘાટન કરશે
- આ સત્રનું આયોજન 21 થી 31 જુલાઈ દરમિયાન દિલ્હી ખાતે કરવામાં આવશે
- 150 થી વધુ દેશોના 2000 થી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લેશે.
વડાપ્રધાન મોદી દર વર્ષે યોજાતી વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠકના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે. મીટિંગ દરમિયાન, વર્લ્ડ હેરિટેજ સૂચિમાં નવા સ્થળોને નામાંકિત કરવા માટેની દરખાસ્તો, હાલની 124 વર્લ્ડ હેરિટેજ મિલકતોના સંરક્ષણ અહેવાલોની સ્થિતિ, આંતરરાષ્ટ્રીય સહાય અને વર્લ્ડ હેરિટેજ ફંડનો ઉપયોગ વગેરે અંગે ચર્ચા કરવામાં આવશે.તેમાં 150 થી વધુ દેશોના 2000 થી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લેશે.
આ પ્રસંગે ભારત મંડપમમાં ભારતીય સંસ્કૃતિને દર્શાવતા વિવિધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત દેશમાં પરત લાવવામાં આવેલી લગભગ 350 કલાકૃતિઓ પણ પ્રદર્શિત કરવામાં આવશે.આ સત્ર આજે સાંજે 7 વાગ્યાથી શરૂ થશે જ્યારે પીએમ મોદી આ સત્રનું ઉદ્ઘાટન કરશે.વર્લ્ડ હેરિટેજ કમિટિનું 46મું સત્ર 21 થી 31 જુલાઈ દરમિયાન ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવશે.