હાઈલાઈટ્સ :
- હિંડનબર્ગનો ફરી એકવાર ઉદ્યોગ ગૃહ અદાણી પર રિપોર્ટ
- ભારતીય શેર બજાર પર માઠી અસર પડવાની ધારણા હતી
- ભારતીય રોકાણકારોએ હિંડનબર્ગના હુમલાને નિષ્ફળ બનાવ્યો
- સપ્તાહના પ્રારંભે ભારતીય શેર બજારમાં જોવા મળતો તેજીનો દોર
- શરૂઆતના ઝટકા બાદ સેન્સેક્સ 80 હજારને પાર નિફ્ટિ પણ વધ્યો
- રોકાણકારોએ ભારતીય શેર બજાર પર અતૂટ ભરોસો દર્શાવ્યો : ભાજપ
હિંડનબર્ગના અદાણી પરના રિપોર્ટ બાદ પણ ભારતીય શેર બજારમાં તેજીનો દોર યથાવત રહ્યો હતો.શરૂઆતના ઘટાડા બાદ સેન્સેક્સ અને નિફ્ટિ વધ્યા હતા.
હિંડનબર્ગના અદાણી પરના રિપોર્ટ બાદ ભારતીય શેર બજાર પર માઠી અસર પડવાની ધારણા હતી.પરંતુ આ વચ્ચે પણ રોકાણકારોએ હિંડનબર્ગના આ હુમલાને નિષ્ફળ બનાવ્યો છે.કારણ કે સપ્તાહના પ્રારંભે જ એટલે કે સોમવારે ભારતીય શેર બજારમાં શરૂઆતના ઝટકા બાદ ભારે ઉછાળો આવ્યો અને મુખ્ય સૂચકાંકમાં તેજી જોવા મળી હતી.જેમા સેન્સેક્સ 355 અંક ઉછળીને 80,000ને પાર પહોંચ્યો જ્યારે નિફ્ટિ 80 અંકના વધારા સાથે 24,400ને પાર ગયો હતો.આ પ્રકારે હિંડનબર્ગના હુમલા છતા પણ ભારતીય શેર બજારને ઉની આંચ પણ ન આવી એટલુ જ નહી પણ ભારે તેજી સાથે બજાર આગળ વધ્યુ જે રોકાણકારોનો ભારતીય શેર માર્કેટ પર અતૂટ ભરોસો દર્શાવે છે.
નોંધનિય છે કે શુક્રવારે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર બજાર વધારા સાથે બંધ રહ્યુ હતુ.જેમાં સેન્સેક્સ 819.69 અંક વધીને 79,705.91 પર બંધ આવ્યુ હતુ. તો નિફ્ટિ પણ 50 અંતથી વધુના વધારરા સાથે 24,367.50 પર બંધ આવ્યો હતો.
હિંડનબર્ગ રિસર્ચના તાજેતરના અહેવાલ પર, ભાજપે પણ કોંગ્રેસના નિવેદન પર પ્રહાર કર્યો અને રોકાણકારોએ આ રિપોર્ટને નકારી કાઢ્યો હોવાનુ જણાવ્યુ છે.ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે કોંગ્રેસ સહિત વિપક્ષો પર સવાલ ઉઠાવતા કહ્યું, કે”ભારતના લોકો દ્વારા નકારી કાઢવામાં આવ્યા પછી,કોંગ્રેસ પાર્ટી,તેના સાથી પક્ષો અને ટૂલકિટ ગેંગે ભારતમાં આર્થિક અરાજકતા અને અસ્થિરતા લાવવા માટે સાથે મળીને કાવતરું ઘડ્યું છે?
હિંડનબર્ગ રિસર્ચના તાજેતરના અહેવાલ પર, ભાજપે પણ કોંગ્રેસના નિવેદન પર પ્રહાર કર્યો અને રોકાણકારોએ આ રિપોર્ટને નકારી કાઢ્યો હોવાનુ જણાવ્યુ છે.ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું, કે”ભારતના લોકો દ્વારા નકારી કાઢવામાં આવ્યા પછી,કોંગ્રેસ પાર્ટી,તેના સાથી પક્ષો અને ટૂલકિટ ગેંગે ભારતમાં આર્થિક અરાજકતા અને અસ્થિરતા લાવવા માટે સાથે મળીને કાવતરું ઘડ્યું છે? રવિશંકરે વધુમાં કહ્યુ કે હિંડનબર્ગ રિપોર્ટ શનિવારે જાહેર થયો રવિવારના દિવસે હંગામો થાય છે જેથી સોમવારે સમગ્ર મૂડીબજાર અસ્થિર થઈ જાય.શેરના કિસ્સામાં પણ ભારત સુરક્ષિત,સ્થિર અને આશાસ્પદ બજાર છે તે સુનિશ્ચિત કરવાની કાનૂની જવાબદારી સેબીની છે.સુપ્રિમ કોર્ટની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવેલી સેબીએ તેની સંપૂર્ણ તપાસ પૂર્ણ કર્યા પછી જ્યારે હિંડેનબર્ગ સામે નોટિસ જારી કરી,ત્યારે તેણે તેના બચાવમાં કોઈ જવાબ આપ્યા વિના આ હુમલો કર્યો તે પાયા વિહોણો હોવાનો મત પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
SORCE : હિન્દુસ્તાન