હેડલાઈન :
- કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાને લગાવી ફટકાર
- UN માં ભારતે પાકિસ્તાનને ચોખ્ખે ચોખ્ખુ પારખી જ દીધુ
- વારંવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાથી તમારુ નહી થઈ જાય
- UNમાં ભારતના કાયમી પ્રતિનિધિ પાર્વથાનેની હરીશે કરી ટીકા
- જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાનના દાવાઓની આકરી ટીકા કરી
- જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો,છે અને હંમેશા રહેશે
સંયુક્ત રાષ્ટ્ર UN માં ભારતના કાયમી પ્રતિનિધિ પાર્વથાનેની હરીશે શુક્રવારે 14 માર્ચે જમ્મુ અને કાશ્મીર પર પાકિસ્તાનના દાવાઓ અને નિવેદનોની આકરી ટીકા કરી હતી.તેમણે એમ પણ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવાથી ભારતનો આ અભિન્ન ભાગ પાકિસ્તાનનો ભાગ નહીં બને.તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે.
– જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે
વિશ્વભરમાં ઇસ્લામોફોબિયા સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે આયોજિત યુએનની બેઠકમાં પાર્વથાનેનીએ પાકિસ્તાનની ટીકા કરી હતી.સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના તાજેતરના નિવેદન પર ભારતનો પ્રતિભાવ વાંચીને તેમણે કહ્યું,હંમેશની જેમ પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ સચિવે આજે ફરી એકવાર ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનો બિનજરૂરી ઉલ્લેખ કર્યો છે.જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવાથી ન તો આ વિસ્તાર પરનો તેમનો દાવો માન્ય રહેશે અને ન તો સરહદ પારના આતંકવાદને સમર્થન વાજબી ઠેરવવામાં આવશે. તેમણે કહ્યું પાકિસ્તાનના આવા પ્રયાસોથી એ વાસ્તવિકતા બદલાશે નહીં કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો છે અને હંમેશા રહેશે.
– ભારત સૌથી વધુ મુસ્લિમ વસ્તીમાંનો એક દેશ
હરીશ પાર્વથાનેનીએ યુએન સત્રમાં જણાવ્યું હતું કે ભારત વિવિધતા અને બહુલતાની ભૂમિ છે.ભારતમાં 20 કરોડથી વધુ મુસ્લિમો છે અને તે વિશ્વની સૌથી મોટી મુસ્લિમ વસ્તીમાંનો એક છે.સંયુક્ત રાષ્ટ્રના સભ્ય તરીકે ભારત મુસ્લિમો સામે ધાર્મિક અસહિષ્ણુતાની ઘટનાઓની નિંદા કરવામાં એકજૂથ છે.હરીશે એમ પણ કહ્યું કે ધાર્મિક ભેદભાવ નફરત અને હિંસાથી મુક્ત વિશ્વને પ્રોત્સાહન આપવું એ હંમેશા ભારત માટે જીવનશૈલી રહી છે.