હેડલાઈન :
- મહારાષ્ટ્રના નાગપુર હિંસા મામલે સ્થાનિક તંત્રની મોટી કાર્યવાહી
- નાગપુર હિંસાના માસ્ટર માઈન્ડ ફહીમ ખાનના ઘર પર બુલડોઝર ફર્યુ
- મહારાષ્ટ્રના નાગપુર હિંસાનો મુખ્ય સૂત્રધાર છે ફહીમ શમીમ ખાનન
- નાગપુર વહિવટી તંત્ર દ્વારા ફહીમ ખાના ગેરકાયદેસર ઘરને તોડી પડાયુ
- આરોપી ફહીમ શમીમ ખાન નાગપુર રમખાણ ભડકાવવા માટે જવાબદાર
મહારાષ્ટ્રના નાગપુરમાં ગયા સોમવારે થયેલી હિંસાના મુખ્ય સૂત્રધાર ફહીમ શમીમ ખાનના ઘર પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.તેના ઘરનો ગેરકાયદેસર ભાગ બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવ્યુ.
એવો આરોપ છે કે ફહીમે લોકોને ઉશ્કેર્યા હતા અને ભીડ એકઠી કરી હતી.કોર્ટે તેને 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો.પોલીસે દાવો કર્યો છે કે મુખ્ય આરોપી 38 વર્ષીય ફહીમ શમીમ ખાન આ રમખાણ ભડકાવવા માટે જવાબદાર છે.
શમીમ માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટી MDPનો નાગપુર શહેર પ્રમુખ છે.ફહીમ ખાને 2024ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સામે ચૂંટણી લડી હતી.પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ફહીમે ભડકાઉ ભાષણો આપીને સમુદાયના લોકોને ઉશ્કેર્યા હતા જેના પછી નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી.તેનું નામ FIR માં પણ નોંધાયેલું છે.મળતી માહિતી મુજબ ફહીમ ખાન નાગપુરના સંજય બાગ કોલોની યશોધરા નગરનો રહેવાસી છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે નાગપુર હિંસા એક પૂર્વ-આયોજિત કાવતરું હતું.ફહીમ ખાને કેટલાક કટ્ટરપંથી લોકોને ભેગા કર્યા અને આયોજનબદ્ધ રીતે રમખાણો ભડકાવવાનું કામ કર્યું.ઔરંગઝેબની કબરના વિવાદે સોમવારે હિંસક વળાંક લીધો.મહારાષ્ટ્રના નાગપુરના મહલમાં સોમવારે રાત્રે બે જૂથો વચ્ચેના વિવાદ બાદ હિંસા ફાટી નીકળી હતી.મહલ પછી મોડી રાત્રે હંસપુરીમાં હિંસા થઈ.અજાણ્યા લોકોએ દુકાનોમાં તોડફોડ કરી અને વાહનોને આગ ચાંપી દીધી.આ દરમિયાન ભારે પથ્થરમારો થયો.હિંસા બાદ ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા હતા.પોલીસે 60 થી વધુ તોફાનીઓની અટકાયત પણ કરી હતી.