હેડલાઈન :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાંગ્લાદેશના મોહમ્મદ યુનુસને પત્ર
- મોહમ્મદ યુનુસ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે ઉત્સુક
- PM મોદીએ બાંગ્લાદેશને મુક્તિ સંગ્રામના ઈતિહાસની યાદ અપાવી
- PM મોદીએ પત્ર લખી 19971ના બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામની યાદ અપાવી
- બાંગ્લાદેશને તેની સ્થાપનામાં ભારતની ભૂમિકાની સૂક્ષ્મ રીતે યાદ અપાવી
- બાંગ્લાદેશમાં શેખ મુજીબુરહમાનના વારસાને ભૂંસી નાખવાના પ્રયાસો
- વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશના સ્વતંત્રતા દિવસ પર લખ્યો
મુલાકાત માટે ઉત્સુક મોહમ્મદ યુનુસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખીને ભારતે 19971 ના બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ અને સંબોધોના ઈતિહાસની યાદ અપાવી છે.
પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇતિહાસનો ઉલ્લેખ કર્યો છે અને 1971 ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધની અતૂટ ભાવનાને મજબૂત ભારત-બાંગ્લાદેશ સંબંધોના પાયા તરીકે વર્ણવી છે,અને બાંગ્લાદેશને તેની સ્થાપનામાં ભારતની ભૂમિકાની સૂક્ષ્મ રીતે યાદ અપાવી છે.બાંગ્લાદેશમાં શેખ મુજીબુરહમાનના વારસાને ભૂંસી નાખવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન મોદીએ તેમના પત્રમાં બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધનો ઉલ્લેખ કર્યો છે.
બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ જે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે ઉત્સુક છે તેમને એક ખાસ પત્ર મળ્યો છે.આ પત્ર વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશના સ્વતંત્રતા દિવસ પર લખ્યો છે.બાંગ્લાદેશ 26 માર્ચે તેનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે.આ દિવસ 1971 માં એ ઐતિહાસિક ક્ષણને ચિહ્નિત કરે છે જ્યારે બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાનથી અલગ થઈને ભારતની લશ્કરી સહાયને કારણે સ્વતંત્ર દેશ બન્યો હતો.
વડાપ્રધાન મોદીએ પત્રમાં ઇતિહાસનો ઉલ્લેખ કર્યો અને 1971 ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધની અતૂટ ભાવનાને મજબૂત ભારત-બાંગ્લાદેશ સંબંધોના પાયા તરીકે વર્ણવી અને બાંગ્લાદેશને તેની સ્થાપનામાં ભારતની ભૂમિકાની સૂક્ષ્મ રીતે યાદ અપાવી.
બાંગ્લાદેશમાં ગયા વર્ષે 5 ઓગસ્ટના રોજ કથિત ક્રાંતિ પછી શેખ હસીનાને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા અને શેખ મુજીબુરહમાનને લગતા પ્રતીકો અને ચિહ્નો પર હુમલો કરવામાં આવ્યો છે.
બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશન દ્વારા શેર કરાયેલા સંદેશમાં વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશના લોકોને શુભેચ્છા પાઠવી અને લખ્યું,”આ દિવસ આપણા સહિયારા ઇતિહાસ અને બલિદાનનો પુરાવો છે,જેણે આપણી દ્વિપક્ષીય ભાગીદારીનો પાયો નાખ્યો છે.”
બંને દેશો વચ્ચેના ઊંડા સંબંધોનો સ્વીકાર કરતા તેમણે વધુમાં કહ્યું,”બાંગ્લાદેશના મુક્તિ યુદ્ધની ભાવના આપણા સંબંધોને માર્ગદર્શન આપી રહી છે,જે ઘણા ક્ષેત્રોમાં વિકસ્યા છે અને આપણા લોકોને નક્કર લાભો પહોંચાડ્યા છે. અમે શાંતિ,સ્થિરતા અને સમૃદ્ધિ માટેની આપણી સહિયારી આકાંક્ષાઓ અને એકબીજાના હિતો અને ચિંતાઓ પ્રત્યે પરસ્પર સંવેદનશીલતાના આધારે આ ભાગીદારીને વધુ વિકસાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”
ઉલ્લેખનીય છે કે 1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન ભારતે પૂર્વ પાકિસ્તાન એટલે કે બાંગ્લાદેશ ના લોકોને લશ્કરી,રાજદ્વારી અને માનવતાવાદી સહાય પૂરી પાડી હતી.ભારતીય સેનાએ પાકિસ્તાની સેના સામે યુદ્ધ લડ્યું, જેના પરિણામે 16 ડિસેમ્બર 1971 ના રોજ ઢાકા ખાતે પાકિસ્તાનનો પરાજય થયો અને બાંગ્લાદેશ એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું.
તમને જણાવી દઈએ કે યુનુસના નેતૃત્વ હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકાર જનતાનો વિશ્વાસ જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે,જ્યારે ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના રાજકીય વાપસીની ચર્ચા જોર પકડી રહી છે.
1971ના મુક્તિ યુદ્ધનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ બાંગ્લાદેશને સંદેશ આપ્યો છે કે બાંગ્લાદેશની રચનામાં ભારતની ભૂમિકા બંને દેશો વચ્ચેના સંબંધો માટે સંદર્ભ બિંદુ છે.ઉલ્લેખનીય છે કે શેખ હસીનાના સત્તા પરથી ગયા પછી બાંગ્લાદેશના નવા શાસને ભારત પ્રત્યે સંઘર્ષપૂર્ણ વલણ અપનાવ્યું છે. પરંતુ બાંગ્લાદેશ, જે ઘણી બાબતો માટે ભારત પર નિર્ભર હતું,તે હવે ઘૂંટણિયે પડી રહ્યું છે.
બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને આ સંદર્ભમાં ભારતને પોતાનો સંદેશ મોકલ્યો છે. એવી ચર્ચા છે કે યુનુસ 3-4 એપ્રિલે બેંગકોકમાં યોજાનારી BIMSTEC સમિટ દરમિયાન વડા પ્રધાન મોદીને મળી શકે છે.પરંતુ નવી દિલ્હીએ હજુ સુધી આ મુદ્દા પર કોઈ પ્રતિક્રિયા આપી નથી કે પીએમ મોદી મોહમ્મદ યુનુસને મળશે કે નહીં.
વિદેશ મંત્રી એસ જયશંકરે અગાઉ સંસદીય સમિતિને જણાવ્યું હતું કે બાંગ્લાદેશની વિનંતી પર વિચારણા કરવામાં આવી રહી છે.સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દરમિયાન મોદીની દ્વિપક્ષીય બેઠકોની જાહેરાત પછીથી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે શેખ હસીનાના ગયા પછી બાંગ્લાદેશ સરહદ પર ભારત દ્વારા કરવામાં આવી રહેલી વાડ, બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સહિતના દ્વિપક્ષીય મુદ્દાઓ પર ઢાકાનું વર્તન અપરિવર્તનીય રહ્યું છે અને ભારતની અપેક્ષાઓ અનુસાર નથી. એટલા માટે ભારત બાંગ્લાદેશ સાથેના સંબંધોને આગળ વધારવામાં સાવધાની રાખી રહ્યું છે.