યાત્રાધામ અંબાજીના મહામેળાને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી 23 થી 29 સપ્ટેમ્બર સુધી અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અંબાજી મંદિરમાં સવારના 6 વાગ્યે આરતી થશે.બપોરના 12.30 વાગ્યાથી લઈને સાંજના 5.00 વાગ્યા સુધી દર્શન ચાલું રહેશે. સાંજની આરતી 7 વાગ્યે થશે.અને 7.30 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી દર્શન માટે મંદિરના કપાટ ખુલ્લા રહેશે