હિન્દુઓમાં પ્રથમ પૂજનીય એવા ગણપતિ દાદાનો ગણેશ ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં આજે ગણપતી વિસર્જન કરવામાં આવી રહ્યું છે. સવારથી લઈને સાંજ સુધી નદી અને તળાવોમાં ગણપતિના વિસર્જન માટે ભારે ભીડ જોવા મળી હતી.ગણપતિ વસર્જન કરવા આવતા લોકોની સુરક્ષા માટે સવારથી મોડી રાત સુધી ફાયર બ્રીગેડની ટીમ તૈનાત કરી છે.