શામળાજી મંદિર આજે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ વહેલી સવારથી જ ઉમટી,અનંત ચૌદશની રાત્રીએ જ ભક્તો પગપાળા ચાલીને શામળાજી પહોંચતા હોય છે.વહેલી સવારે મંદિર ખૂલતા ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે,દીવ,દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ પણ દર્શન કરવા માટે પહોંચતા પોલીસ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી,પ્રફુલ પટેલ સાથે અન્ય આગેવાનો પણ દર્શને પહોંચ્યા હતા.અરવલ્લી પોલીસે પણ નાઈટ વોક મોડાસાથી શામળાજી સુધી કર્યુ હતુ.