ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણપતિ વિસર્જન અને ઇદનો તહેવાર ઉજવણી કરવામાં આવી હતી,જેમાં વડોદરાના પાદરામાં આવેલા અંબાજી તળાવ ખાતે યુવકો મંદિર નજીક પ્રસાદનું વિતરણ કરતાં ત્યારે વિધર્મી લોકો દ્વારા વાંધાજનક ઇશારા અને ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દોનો ઉચ્ચારણ કરતાં મામલો ગરમાયો, પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા 10 લોકોની અટકાયત કરવામાં આવી.