નાણાકીય વર્ષ 2022-23માં 119 ઉદ્યોગપતિઓએ રૂપિયા 5 કરોડ કે તેથી વધુનું દાન આપ્યું છે અને જો આ બધાનું દાન ઉમેરીએ તો આ રકમ 8445 કરોડ રૂપિયા થાય છે. દેશની અગ્રણી IT કંપની HCL Technologiesના સ્થાપક અને અધ્યક્ષ શિવ નાદર સૌથી મોટા પરોપકારી તરીકે ઉભરી આવ્યા છે. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન, શિવ નાદરે 2042 કરોડ રૂપિયાનું દાન કર્યું પાછલા નાણાકીય વર્ષ કરતાં 76 ટકા વધુ છે.
એડલગીવ હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2023 પ્રમાણે શિવ નાદરે 2042 કરોડ રૂપિયાનું દાન આપીને દેશના સૌથી પરોપકારી બની ગયા છે. તેણે 2022-23 નાણાકીય વર્ષ દરમિયાન દરરોજ સરેરાશ 5.6 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. શિવ નાદર પછી વિપ્રોના અઝીમ પ્રેમજી બીજા સ્થાને છે. તેમણે 2022-23માં કુલ 1774 કરોડ રૂપિયાનું દાન કર્યું જે નાણાકીય વર્ષ 2021-22 કરતા 267 ટકા વધુ છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દાનના મામલે ત્રીજા સ્થાને છે. તેમણે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા 376 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. અને ઝેરોધાના નિખિલ કામથ સૌથી યુવા દાતા બન્યા છે. નિખિલ કામથ 12મા સ્થાને છે અને તેમણે 112 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. રોહિણી નીલેકણી મહિલા દાતાઓમાં પ્રથમ ક્રમે છે અને તેણે 170 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. અને રોહિણી નિલેકણી સિવાય અન્ય સેવાભાવી મહિલાઓના નામ પર નજર કરીએ તો અનુ આગા અને લીના ગાંધીએ 23 કરોડ રૂપિયાનું દાન આપ્યું અને બંને 40માં અને 41માં સ્થાને છે. કુલ દાતાઓમાંથી 7 મહિલા દાતા છે.
નાણાકીય વર્ષ 2022-23માં 119 ઉદ્યોગપતિઓએ રૂપિયા 5 કરોડ કે તેથી વધુનું દાન આપ્યું છે અને જો આ બધાનું દાન ઉમેરીએ તો આ રકમ 8445 કરોડ રૂપિયા થાય છે. આ રકમ 2021-22ની સરખામણીમાં 59 ટકા વધુ છે. 2022-23માં 14 ભારતીયોએ 100 કરોડથી વધુનું દાન કર્યું જે અગાઉના વર્ષમાં માત્ર 6 હતું. જ્યારે 12 લોકોએ 50 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. અને 47એ 20 કરોડનું દાન આપ્યું છે.