હાઈલાઈટ્સ :
- હિન્દુઓના ઈસ્ટદેવ રામનુ ધામ એટલે અયોધ્યા નગર
- પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામા ભક્તોની લાગતી ભીડ
- વધતી જતી ભીડને લઈ કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો નિર્ણય
- ભગવાન રામની નગરી અયોધ્યા હવે બનશે વધુ સુરક્ષિત
- કેન્દ્રીય ગૃહમંત્રાલયનો અયોધ્યામાં NSG સેન્ટર સ્થાપવા નિર્ણય
- અવધ નગરી માટે અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા તૈયારીઓ
ભગવાન રામની નગરી એટલે અયોધ્યા અને જ્યારથી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અવધપુરી અવનવા રૂપરંગ ધારણ કરી રહી છે.કેન્દ્ર તેમજ UPની રાજ્ય કરકારે વિવિધ યોજનાઓ હેઠળ તાબડતોબ વિકાસ કાર્યો નિર્માણ પામી રહ્યા છે.ત્યારે તેમાં વધુ એક મોપીંછ ઉમેરાાવા જઈ રહ્યુ છે.
જી હા મિત્રો,કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા રામજીની નગરી અયોધ્યા ખાતે નેશનલ સિકયોરિટી ગાર્ડ એટલે કે NSG સેન્ટર સ્થાપવાની યોજના તૈયાર કરવામા આવી છે.આ ખાસ યોજના હેઠળ કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી ફાઈલ પણ મોકલી દેવામા આવી છે.અને તેનુ કામ પણ શરૂ થઈ ગયુ હોવાનુ જાણવે મળે છે.
મળતી માહિતી મુજબ સરકાર દ્વારા DIG તેમજ IG રેન્કના અધિકારીઓની દેખરેખ હેઠળ અયોધ્યામાં NSG સેન્ટર નિર્માણ કરવામા આવશે.આ NSG સેન્ટર બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ,એન્ટિ સેબોટેજ ટીમ,એન્ટિ હાઈજેનિક ટુકડી,ક્વિક એકશન ફોર્સ,K9 ડોગ સ્ક્વોર્ડ સહિત તમામ આધુનિક સાધનથી સજ્જ હશે.
નોંધનિય છે કે અયોધ્યા પહેલાથી જ અતિ સંવેદન શીલ રહ્યુ છે. અને તેમાં પણ શ્રી રામ મંદિર નિર્માણ પછી ભક્તોનુ ઘોડાપુર ઉમટે છે.અને તેથી જ ભારે ભીડને જોતા હવે અયોધ્યાની સઘન સુરક્ષા વ્યવસ્થા માટે આધુનિક સાધન સંપન્ન NSG સેન્ટર સ્થાપવીની યોજના છે.
આ સાથે એક નોંધનિય બાબાત એ છે કે દેશમાં NSG ની રચના આતંકવાદી પ્રવૃત્તીઓ પર અંકુશ લાલવવા માટે કરવામા આવી હતી.વર્ષ 1984મા તત્કાલિન કેન્દ્રીય કેબિનેટે NSG ની રચના અંગે નિર્ણય લીધો હતો.અને આ માટે 1986મા સંસદમાં બિલ રજૂ કરાયુ અને 22 સપ્ટેમ્બરના રોડ રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી.તે દિવસથી NSG ઔપચારીક રીતે અસ્તિત્વમા આવ્યુ હતુ.