હાઈલાઈટ્સ :
- રાજકોટ અગ્નિકાંડ મામલે CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
- “અગ્નિકાંડ પછી ક્યાંકને ક્યાક આપણી ભૂલ રહી : CM “
- “આપણે માનવ જીંદગીને પ્રથમ પ્રાયોરિટીમાં લેવી જોઈએ”
- આવી ઘટના ક્યાંય ન બને તે કાળજી રાખવા ટકોર કરી
- અગ્નિકાંડમાં 27 જીંદગીઓ હોમાઈ જેમા બાળકો પણ હતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમા એક ચેકવિતરણ કાર્યક્રમ દરમિયાન રાજકોટ અગ્નિકાંડ અંગે મહત્વનુ નિવેદન સામે આવ્યુ.જેમા તેમણે નિખાલસતાથી સ્વિકાર કર્યો કે રાજકોટ અગ્નિકાંડ પછી ક્યાંકને ક્યાંક આપણી ભૂલ રહી છે.મહાનગર પાલિકાના ચેક વિતરણ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલે આ બાબતનો ખુદ સ્વિકાર કર્યો હતો.
તેમણે વધુમાં કહ્યુ કે આટલુ બધુ કાર્ય કરવા છતા એ થાય કે આપણિી ભૂલ ક્યા રહી ગઈ ? કેવી રીતે ભૂલ રહી ગઈ? કારણકે આપણે માનવ જીંદગીને પ્રથમ પ્રાયોરિટીમાં લેવી જોઈએ.દાદાએ કહ્યુ વિકાસની પાછળ આપણે દોટ મુકીએ છીએ,પરંતુ જેના કારણે અને જેના માટે વિકાસ સાથે એ પણ ધ્યાન રાખવુ રહ્યુ કે માનવ જીંદગી પર આંચ ન આવે અને એટલે જ હવે પછી રાજકોટ જેવી ઘટના ન બને તે માટે આપણે સાચવવુ જોઈએ.તેમણે તો એટલે સુધી કહ્યુ કે આપણે ગારકાયદેસર કામને શરૂઆતમાં જ એટકવી દેવુ પણ આવશ્યક છે.
નોંધનિય છે કે રાજકોટ ગેમ ઝોનમા અચાનક આગ લાગતા તેમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા.તેમાં મોટા ભાગના બાળકો હતા.ત્યારે જાણે કે એક દાદાનુ દિલ પીગળ્યુ અને સરકારની ભૂલનો