હાઈલાઈટ્સ :
- ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ નજીક મોટી દુર્ઘટના
- યાત્રિકો ભરેલ ટેમ્પો ટ્રાવેલરને નડ્યો અકસ્માત
- એકાએક ટેમ્પો ટ્રાવેલર નદીની ખાઈમાં ખાબક્યો
- ટ્રાવેલરમા સવાર કુલ 26 યાત્રિકો માથી 9 ના મોત
- દુર્ઘટનામા ફસાયેલા મુસાફરોનુ રેસ્ક્યૂ કરવામાં આવ્યુ
- ઈજાગ્રસ્તોને એર લિફ્ટ કરી નજીકની હોસ્પિટલ ખસેડાયા
- ગૃહમંત્રી અમિત શાહ અને CM પુષ્કર સિંહ ધામિએ દુ:ખ વ્યક્તુ કર્યુ
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લા નજીક એક ટેમ્પો ટ્રાવેલર ખીણમાં ખાબક્યો હતો.જેને લઈ લોકો અલકનંદા નદીમાં કૂદી પડ્યા હતા. ટ્રાવેલરમાં 26 યાત્રિકો સવાર હતા.આ ગોઝારી દુર્ઘટનામાં 9 લોકોના મૃત્યુ થયાનોઅંદાજ છે.તો 14 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ફસાયેલા લોકોનું રાસ્ક્યૂ હાથ ધરાયુ હતુ.જેમાં ઈજાગ્રસ્તોને એરલિફ્ટ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.નોંધનિય છે કે યાત્રિકો બદ્રીનાથની યાત્રાએ જતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમ તેમજ જિલ્લાના જવાબદાર અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.અને રેસ્ક્યૂ કાર્યવાહી શરૂ કરાવી હતી.
દુર્ઘટના અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ દુ:ખ વ્યક્ત કર્યુ છે.તેમણે કહ્યુ આ ઘટના અત્યંત પીડાદાયક છે.તેમણે એમ પણ કહ્યુ કે રાહત અને બચાવ કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરાઈ છે.અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા છે.અને ઘટના અંગે તપાસના આદેશ અપાયા છે.
તો વળી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ દુ:ખ વ્યક્ત કરી કહ્યુ કે સૌ પીડિતના પરિવારની સાથે સંવેદના દર્શાવી રહ્યા છે.અને ઘાયલોને સંભવ સહાય-સુવિધા પ્રદાન કરવામાં આવશે,પ્રભુ પાસે પ્રાર્થના કરીએ કે ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય.
SORCE – AMAR UJALA AND PANCHJANYA