હાઈલાઈટ્સ :
- આવી રહ્યો છે ભગવાન અને ભક્તોના મિલનનો ઉત્સવ
- 7 જૂનના રોજ અમદાવાદ ખાતે યોજાશે જગન્નાથ રથયાત્રા
- રથયાત્રાને લઈ મંદિર ટ્રસ્ટની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ
- અમદાવાદીઓમા જગન્નાથજીના રથયાત્રાને લઈ ભારે ઉત્સુક્તા
- રથયાત્રા પૂર્વે અમદાવાદમા 22 જૂને યોજાશે પરંપારાગત જળયાત્રા
- આ દિવસે ભગવાન જગન્નાજીનના ગજવેશના થશે દર્શન
- 108 કળશ પવિત્ર સાબરમતીનુ જળ જગન્નાથ મંદિરે લવાશે
- આ પવિત્ર જળથી ભગવાનનો મહાજળાભિષેક થશે
અમદાવાદમાં આગામી 7 જૂલાઈને અષાઢી બીજ નિમિત્તે યોજાતી ભગવાન જગન્નાથજીના પરંપરાગત અને ભવ્ય રથયાત્રા નિકળશે.તેને લઈને જગન્નાથ મંદિર ટ્ર્સ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ વખતે અમદાવાદમા ભગવાન જગતના નાથ એવા જગન્નાથની 147 મી પરંપરાગત રથયાત્રા અષાઢી બીજને 7 જૂલાઈને રવિવારના રોજ નિકળશે.ભગવાનની સાથે ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા પણ નગર ચર્યામા જોડાશે.રથયાત્રાને લઈ અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તો મંદિર ટ્રસ્ટ પણ તૈયારીમાં લાગી ગયુ છે.ભગવાનના વાઘા,પ્રસાદની સફાઈ,રથનું સમારકામ તેમજ અન્ય મનોરથોની પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.તો ભગવાનને આવકારવા સરસપુરના મોસાળીયા પણ ઉત્સાહ સાથે મોમેરૂ ભરવા આતૂર છે.
પરંપરા મુજબ રથયાત્રા પૂર્વે જળયાત્રા પણ યોજાય છે અને તેનુ પણ એક આગવુ મહત્વ રહેલુ છે.ત્યારે આ વર્ષે જગન્નાથ રથયાત્રા પહેલા 22 જૂનને શનિવારના રોજ જળયાત્રા યોજાનાર છે.જેમાં જગન્નાથના નિજ મંદિરેથી જળયાત્રા શોભાયાત્રા સ્વરૂપે નિકળશે અને સાબરમતી નદી ખાતે પહોંચશે.જ્યાં સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન થશે.
ગંગા પૂજન બાદ 108 કળશમાં પવિત્ર જળભરી મંદિરમાં લાવી ભગવાન જગન્નાથજીની પોડશોપચારપૂજન વિધિ કરી મહાજળાભિષેક કરવામાં આવશે.ત્યારબાદ ભગવાન ગણેશના સ્વરૂપમાં શ્રીજગન્નાથજીના અતિવિશ્ષ્ટ-ગજવેશ શણગાર કરાશે અને આ ગજવેશ શણગારના દર્શન પણ ભક્તોને થશે.આ દિવ્ય દર્શનનો લ્હાવો લેવા સૌને જાહેર આમંત્રણ પાઠવાયુ છે.
– જળયાત્રાનો સંપૂર્ણ કાર્યક્રમ
- સવારે 8 વાગ્યે જળયાત્રાનો પ્રારંભ
- સવારે 8:30 વાગ્યે ગંગાપૂજનની વિધિ થશે
- સવારે 10:00 વાગ્યે પોડશોપચારપૂજન વિધિ
- પોડશોપચારપૂજન વિધિ બાદ મહાજળાભિષેક
- સવારે 11 વાગ્યે ભગવાનના ગજવેશના દર્શન
- બપોરે 12 વાગ્યે મહાપ્રસાદ શરૂ થશે
નોંધનિય છે કે ઓડીશાની પુરી ખાતેથી નિકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા બાદ અમદાવાદ ખાતે યોજાતી જગન્નાથ રથયાત્રા દેશની બીજા નંબરની સૌથી પૌરાણીક અને ભવ્ય રથયાત્રા માનવામા આવે છે.અષાઢી બાજના રોજ ગુજરાતમાં લગભગ બાવન શહેરોમાં જગન્નાથજીની રથયાત્રાઓ નિકળતી હોવાનું જાણવા મળે છે.ગુજાર
SORCE : ગુજરાતી જાગરણ