Wednesday, July 2, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

PM મોદી ત્રિનિદાદ-ટોબેગો,આર્જેન્ટિના,બ્રાઝિલ અને નામિબિયાના પાંચ દેશોના પ્રવાસે જવા રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં યોજાનાર બ્રિક્સ સમિટમાં પણ હાજરી આપશે

PM મોદીની મુલાકાતથી ગ્લોબલ સાઉથમાં ભારતનો પ્રભાવ વધશે,સંરક્ષણ-કૃષિ સહિત ઊર્જા પર ચર્ચા થશે

પવિત્ર અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો રવાના,જમ્મુમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ લીલી ઝંડી આપી

હવામાન વિભાગની આગાહી મધ્યપ્રદેશ,ગુજરાત,છત્તીસગઢ સહિતના રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

PM મોદી ત્રિનિદાદ-ટોબેગો,આર્જેન્ટિના,બ્રાઝિલ અને નામિબિયાના પાંચ દેશોના પ્રવાસે જવા રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં યોજાનાર બ્રિક્સ સમિટમાં પણ હાજરી આપશે

PM મોદીની મુલાકાતથી ગ્લોબલ સાઉથમાં ભારતનો પ્રભાવ વધશે,સંરક્ષણ-કૃષિ સહિત ઊર્જા પર ચર્ચા થશે

પવિત્ર અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો રવાના,જમ્મુમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ લીલી ઝંડી આપી

હવામાન વિભાગની આગાહી મધ્યપ્રદેશ,ગુજરાત,છત્તીસગઢ સહિતના રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીથી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે તેમના મતક્ષેત્ર વારાણસી પહોંચ્યા છે.જ્યા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહણ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વાગત કર્યુ હતુ.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jun 18, 2024, 06:11 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

  હાઈલાઈટ્સ :

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ વારાણસીની મુલાકાતે
  • PM મોદીએ કિસાન સન્માન નિધિનો 17 મો હપ્તો જાહેર કર્યો
  • તાલીમ મેળવનાર કૃષિ સખીઓને પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા
  • હું ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર બનારસ આવ્યો છું. : PM મોદી
  • હવે એવું લાગે છે કે માતા ગંગાએ મને દત્તક લીધો છે : PM મોદી
  • કાશીની જનતાના પ્રેમને કારણે ત્રીજી વખત પ્રધાનસેવક બન્યો : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે તેમના મતક્ષેત્ર વારાણસી પહોંચ્યા છે.જ્યા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહણ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વાગત કર્યુ હતુ.
વારાણસી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિમોટ દબાવીને કિસાન સન્માન નિધી અંતર્ગત ખેડૂતોન માટે 17 મો હપ્તો જાહેર કર્યો હતો. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ સખી કાર્યક્રમ હેઠળ તાલીમ મેળવનાર કૃષિ સખીઓને પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા.

પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે અમારી સરકાર અમારા ખેડૂત ભાઈ-બહેનોનું જીવન સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. અમે કાશીની પવિત્ર ભૂમિ પરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જાહેર કરતાં ગર્વ અનુભવીએ છીએ. પીએમ મોદીએ પીએમ-કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કર્યો. આનાથી 9.26 કરોડથી વધુ ખેડૂતોને 20,000 કરોડ રૂપિયાથી વધુનો લાભ મળશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ કૃષિ સખીઓ તરીકે પ્રશિક્ષિત 30,000 થી વધુ સ્વ-સહાય જૂથોને પ્રમાણપત્રોનું પણ વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આજે હું ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર બનારસ આવ્યો છું.હું બનારસની જનતાને વંદન કરું છું.કાશીની જનતાના અપાર પ્રેમને કારણે મને ત્રીજી વખત દેશના મુખ્ય સેવક બનવાનું સૌભાગ્ય મળ્યું છે.કાશીની જનતાએ મને સતત ત્રીજી વખત તેમના પ્રતિનિધિ તરીકે ચૂંટીને મને આશીર્વાદ આપ્યા છે.હવે એવું લાગે છે કે માતા ગંગાએ મને દત્તક લીધો છે.વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યુ કે
કાશીની જનતાએ માત્ર સાંસદ જ નહીં પરંતુ ત્રીજી વખત વડાપ્રધાન પણ ચૂંટ્યા છે,તેથી આપ સૌને ડબલ અભિનંદન.તો દેશની જનતાએ આ ચૂંટણીમાં અભૂતપૂર્વ જનાદેશ આપ્યો હોવાનુ વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,”આપણી માતાઓ અને બહેનો આટલી મોટી સંખ્યામાં અહીં હાજર છે.માતા-બહેનો વિના ખેતીની કલ્પના કરવી અશક્ય છે.તેથી હવે માતા-બહેનોની ભૂમિકા પણ ભજવવામાં આવી રહી છે. ખેતીને નવી દિશા આપી છે.” નમો ડ્રોન દીદીની જેમ,અમે ડિજિટલ ઈન્ડિયાના નિર્માણમાં આશા વર્કર તરીકે બહેનોનું કામ જોયું છે.હવે ખેતીને નવી તાકાત મળતી જોઈશું.આજે 30 હજારથી વધુ સહાયક જૂથોને આ યોજના આપવામાં આવી છે.સમગ્ર દેશમાં આ અભિયાનથી 3 કરોડ લાખપતિ દીદીઓ બનાવવામાં મદદ મળશે.

જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,”તાજેતરમાં જ હું G7 મીટિંગમાં ભાગ લેવા ઇટાલી ગયો હતો.જો તમામ G7 દેશોના તમામ મતદારોને ભેગા કરવામાં આવે તો પણ ભારતમાં મતદારોની સંખ્યા 1.5 ગણી વધારે હશે. ”

સાથે જ જનસભાને સંબોધતા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, “કૃષિ ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે અને ખેડૂત તેનો આત્મા છે.ભાજપ માને છે કે ખેડૂત ભગવાન છે અને ખેડૂતની સેવા કરવી એ ભગવાનની પૂજા છે.ખેતી અને ખેડૂતો પ્રત્યે વડા પ્રધાન મોદી અને અમારી સરકારની પ્રતિબદ્ધતા છે કે તેઓ વડા પ્રધાન બન્યા પછી પ્રથમ ફાઇલ પર સહી કરી ,તો તેઓએ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિ જમા કરાવવાની ફાઇલ પર સહી કરી છે.
તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેર સભાને સંબોધતા કહ્યું, “આપણે બધાએ બદલાતી કાશી જોઈ છે.એક કાશી જે આજે એક નવા ક્વેવર અને નવી કાયાપલટ સાથે સમગ્ર વિશ્વમાં તેની નવી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખ બનાવી રહી છે. છેલ્લા 10 વર્ષોમાં આ નવી કાશીના કાયાકલ્પમાં માત્ર હજારો અને કરોડો રૂપિયાનું જ રોકાણ નથી થયું પરંતુ દુનિયાએ તેને બદલાતા જોયા છે.”

 

Tags: AGRICULTUREPm ModiSHIVRAJ SINH CHAUHANSLIDERTOP NEWSUPVaranasiYOGI ADILTYANATH
ShareTweetSendShare

Related News

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ
આંતરરાષ્ટ્રીય

ભારતનું ભવિષ્ય-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દ્રશ્ટિકોણ : વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સમાજ અને રાષ્ટ્ર ઉત્કર્ષ

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય
આંતરરાષ્ટ્રીય

ભારત ફક્ત ‘ઉભરતી મહાસત્તા’ જ નહીં’પુનર્જીવિત સભ્યતા,દેશનો ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય

ઉચ્ચ શિક્ષણમાં સુધાર અને જ્ઞાન અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ થકી ભારત શિક્ષણનું વૈશ્વિક કેન્દ્ર બનશે
આંતરરાષ્ટ્રીય

ઉચ્ચ શિક્ષણમાં સુધાર અને જ્ઞાન અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ થકી ભારત શિક્ષણનું વૈશ્વિક કેન્દ્ર બનશે

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય
આંતરરાષ્ટ્રીય

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી
જનરલ

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

Latest News

PM મોદી ત્રિનિદાદ-ટોબેગો,આર્જેન્ટિના,બ્રાઝિલ અને નામિબિયાના પાંચ દેશોના પ્રવાસે જવા રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં યોજાનાર બ્રિક્સ સમિટમાં પણ હાજરી આપશે

PM મોદીની મુલાકાતથી ગ્લોબલ સાઉથમાં ભારતનો પ્રભાવ વધશે,સંરક્ષણ-કૃષિ સહિત ઊર્જા પર ચર્ચા થશે

પવિત્ર અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો રવાના,જમ્મુમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ લીલી ઝંડી આપી

હવામાન વિભાગની આગાહી મધ્યપ્રદેશ,ગુજરાત,છત્તીસગઢ સહિતના રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા

ગુજરાત : 2 જુલાઈના રોજ અમદાવાદ સહિત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતના પોલીસવડા વિકાસ સહાયને છ મહિનાનું એક્સટેન્શન,31 ડિસેમ્બર સુધી કાર્યકાળ લંબાવાયો

વિસાવદર પેટાચૂંટણી જીત્યા બાદ અરવિંદ કેજરીવાલ આજે મંગળવારથી 3 દિવસના ગુજરાત પ્રવાસે

મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 1.2 ટકાનો વધારો થયો,ગયા વર્ષે આ મહિનામાં 6.3 ટકા હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 2-3 જુલાઈના રોજ ઘાનાના પ્રવાસે જશે : MEA

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.