હાઈલાઈટ્સ :
- ગુજરાત પર હાલ મેઘરાજા થયા મહેરબાન વરસાદની હેલી
- અવિતર વરસાદથી મહત્વના જળાશયોમા આવ્યા નવા નીર
- ગુજરાતના લોકોની જીવાદોરી એટલે સરદાર સરોવર નર્મદા ડેમ
- નર્મદા ડેમમા 1.75 MCFT જળસંગ્રહ જે સંગ્રહ શક્તિનો 50 ટકા
- જીવાદોરી સમાન નર્મદા ડેમ 50 ટકા ભરાતા રાજ્યમા ઉત્સાહ
- રાજ્યના કુલ 206 જળાશયોમાં પણ 34 ટકા જળસંગ્રહ જોવા મળ્યો
ગુજરાત પર હાલ મેઘરાજા મહેરબાન થયા છે અને બે-ચાર દિવસથી રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે.ગુજરાતમાં વરસેલા અવિરત અને ભારે વરસાદને કારણે રાજ્યના મહત્વના જળાશયોમાં નવા નીર આવ્યા છે જે સારી બાબાત કહી શકાય
ગુજરાતમાં વરસી રહેલા અવિરત વરસાદને પગલે રાજ્યની જીવાદોરી સમાન ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમા હાલ નવા નીર આવ્યા છે.ત્યારે વહિવટી તંત્ર સહિત લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગુજરાતના નર્મદા જિલ્લામાં આવોલ સરદાર સરોવર નર્મદા ડેમ રાજ્યમાં વીજ ઉત્પાદન સાથે કૃષિ અને પેય જળ માટે ખૂબ જ ઉપયોગી છે.અને સમગ્ર ગુજરાતને ખેતીનું પાણી બારેય માસ પુરુ પાડતો આ એક મહતવનો ડેમ છે.તો આ પાણીનો પીવા માટે પણ નગરો અને મહાનગરોમા ઉપયોગ કરવામાં આવે છે.
નોંધનિય છે કે સતત ભારે વરસાદને લઈ સરદાર સરોવર નર્મદા ડેમમા નવા નીર આવ્યા અટલુ જ નહી પણ સરરોવરમાં પાણીની નોંધપાત્ર આવક પણ જોવા મળી છે.નર્મદા ડેમ તરીકે ઓળખાતા આ સરદાર સરોવર જળાશયમાં હાલ 1,75,662 મિલિયન ક્યૂબિક ફિટ એટલેકે MCFT એટલે કે સરદાર સરોવરના સંગ્રહ શક્તિના 55 ટકાથી વધુ જળ સંગ્રહ જોવા મળી રહ્યો છે.જે ખૂબ જ મહત્વની વાત ગણવામાં આવે છે.નર્મદા ડેમ અત્યારથી જ 50 ટકાથી વધુ ભરાતા આગામી સમયમા જળસંગ્રહને લઈ સામરા સમાચાર ગણી શકાય એમ કહેવુ ખોટુ નથી.
માત્ર નર્મદા સરદાર સરોવર ડેમ જ નહા પણ ગુજરાતના કુલ 206 જળાશયોમાં પણ પાણીની સારી આવક નોંધાઈ છે.કારણ કે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 1,91,600 MCFT જળસંગ્રહ જોવા મળે છે જે કુલ જળસંગ્રહના 34 ટકા ગણી શકાય જે પણ ખૂબ જ સારી બાબત ગુજરાત માટે કહી શકાય.
SORCE : ગુજરાતી જાગરણ