India Cricket Team : ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે.ટીમ ઈન્ડિયા સાથે મુખ્ય કોચ ગૌતમ ગંભીર પ્રથમવાર જોવા મળ્યો. ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ 27 જુલાઈએ રમાશે.
હાઈલાઈટ્સ :
- ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ માટે રવાના થઈ
- ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે ગંભીરનું આ પ્રથમ કાર્ય હશે
- ભારત અને શ્રીલંકા મેચમાં રોહિત શર્મા ODIના કેપ્ટન
- ભારત અને શ્રીલંકા મેચમાં સૂર્યકુમાર યાદવ T20ના કેપ્ટન
- શુભમન ગિલને ODI અને T20 બંને શ્રેણીમાં વાઇસ કેપ્ટન
- પ્રથમ T20 સીરિઝ 27 જુલાઈથી શરૂ થશે
- પ્રથમ ODI સીરિઝ 2 ઓગસ્ટથી શરૂ થશે
ભારતીય ટીમનો આગામી કાર્ય શ્રીલંકાનો પ્રવાસ છે. શ્રીલંકા પ્રવાસ પર, ટીમ ઈન્ડિયાએ 3 મેચોની T20 શ્રેણી અને એટલી જ મેચોની ODI શ્રેણી રમવાની છે. ભારતીય ટીમ 27 જુલાઈથી શરૂ થઈ રહેલા આ પ્રવાસ માટે શ્રીલંકા જવા રવાના થઈ ગઈ છે. ટીમના ઘણા ખેલાડીઓ મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે જોવા મળ્યા હતા. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે ગંભીરનું આ પ્રથમ કાર્ય હશે.
ગૌતમ ગંભીર સહિત ઘણા ખેલાડીઓ શ્રીલંકા જતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર સૌથી પહેલા દેખાય છે. આ પછી સંજુ સેમસન અને રવિ બિશ્નોઈ સહિત ઘણા ખેલાડીઓ બસમાં ચઢતા જોવા મળ્યા હતા.
#WATCH | Mumbai | Indian Men's Cricket Team leaves for Airport, they'll leave for Sri Lanka, shortly.
Indian Cricket Team will play the ODI and T20I series, 3 matches each, against Sri Lanka, starting on July 27 and ending on August 7. pic.twitter.com/J0Bx8o7q9x
— ANI (@ANI) July 22, 2024
મુખ્ય કોચ : ગૌતમ ગંભીર શ્રીલંકા પ્રવાસથી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે જોવા મળશે. અગાઉ, રાહુલ દ્રવિડ ટીમના મુખ્ય કોચ હતા, જેનો કાર્યકાળ 2024 T20 વર્લ્ડ કપ પછી સમાપ્ત થયો હતો.
રોહિત અને વિરાટે T20 માંથી નિવૃત્તિ લીધી : T20 વર્લ્ડ કપ 2024 નું ટાઇટલ જીત્યા બાદ, રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી માત્ર વનડે શ્રેણીમાં જ જોવા મળશે.
સૂર્યકુમાર યાદવ T20ના કેપ્ટન બનશે : રોહિત શર્મા બાદ સૂર્યકુમાર યાદવને ભારતની T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. અગાઉ હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો હતો, પરંતુ કઈક કારણોસર હાર્દિક કેપ્ટન બનાવ્યો , શુભમન ગિલને ODI અને T20 બંને શ્રેણીમાં વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી મેચ શરૂ થશે
તમને જણાવી દઈએ કે ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની પ્રથમ T20 સીરિઝ રમાશે, જે 27 જુલાઈથી શરૂ થશે. T20 સિરીઝની છેલ્લી મેચ 30 જુલાઈએ રમાશે. આ પછી 02 ઓગસ્ટથી વનડે શ્રેણી શરૂ થશે. વનડે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 07 ઓગસ્ટે રમાશે.
હાર્દિક પંડ્યા શ્રીલંકા સિરીઝ પહેલા T20I ટીમ સાથે જોડાયો અને ભારતીય ટીમના આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયરને મળ્યો.
#WATCH | Mumbai | Indian Men's Cricket Team arrives at the Airport, they'll leave for Sri Lanka, shortly.
Indian Cricket Team will play the ODI and T20I series, 3 matches each, against Sri Lanka, starting on July 27 and ending on August 7. pic.twitter.com/ZmBmBqLasH
— ANI (@ANI) July 22, 2024
ભારત અને શ્રીલંકા મેચમાં T20ના કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ શ્રીલંકા પ્રવાસે જતાં ટીમ ઈન્ડિયા સાથે જોવા મળ્યા
#WATCH | Mumbai | Indian Men's Cricket Team arrives at the Airport, they'll leave for Sri Lanka, shortly.
Indian Cricket Team will play the ODI and T20I series, 3 matches each, against Sri Lanka, starting on July 27 and ending on August 7. pic.twitter.com/ykoL797TuO
— ANI (@ANI) July 22, 2024