Sunday, May 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home રમત-ગમત

IND vs SL 3rd ODI : શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં ભારતની હાર, શ્રીલંકા સિરીઝ 2-0થી જીત

શ્રીલંકાએ ત્રણ મેચની વનડે શ્રેણીમાં ભારતને 2-0થી હરાવ્યું છે. સિરીઝની છેલ્લી મેચમાં ભારતને 110 રને હરાવ્યું હતું.

Kajal Barad by Kajal Barad
Aug 8, 2024, 10:41 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

શ્રીલંકાએ ત્રણ મેચની વનડે શ્રેણીમાં ભારતને 2-0થી હરાવ્યું છે. સિરીઝની છેલ્લી મેચમાં ભારતને 110 રને હરાવ્યું હતું.

હાઈલાઈટ્સ :

  • ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાઈ હતી
  • છેલ્લી મેચમાં ભારતનો 110 રન હાર થઈ
  • આ સાથે શ્રીલંકા ODI સિરીઝમાં 2-0 થી જીતી
  • ભારત તરફથી રિયાન પરાગે 3 વિકેટ ઝડપી હતી

શ્રીલંકાએ વનડે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં ભારતને 110 રને હરાવ્યું છે. આ જીત સાથે શ્રીલંકાએ શ્રેણી 2-0થી કબજે કરી લીધી છે. શ્રીલંકાએ બીજી મેચમાં પણ ભારતને હરાવ્યું હતું. જ્યારે પ્રથમ વનડે ટાઈ રહી હતી. શ્રીલંકાએ બુધવારે કોલંબોમાં પ્રથમ બેટિંગ કરતા 248 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 138 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. આ જીત શ્રીલંકા માટે ઈતિહાસ બની ગઈ હતી. તેણે 27 વર્ષ બાદ ભારતને દ્વિપક્ષીય વનડે શ્રેણીમાં હરાવ્યું છે.

ભારત તરફથી રોહિત શર્માએ 35 રનની ઇનિંગ રમી હતી. વોશિંગ્ટન સુંદર 30 રન બનાવીને આઉટ થયો હતો. કોહલી 20 રન અને રેયાન 15 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. શ્રીલંકા તરફથી ડ્યુનિથ વેલાલાગે 5 વિકેટ ઝડપી હતી. તેણે 5.1 ઓવરમાં 27 રન આપીને 5 વિકેટ લીધી હતી. થીક્ષાના અને વાન્ડરસેએ 2-2 વિકેટ લીધી હતી.

ટીમ ઈન્ડિયાની બેટિંગ ખરાબ રીતે ફ્લોપ થઈ 

શ્રીલંકા સામેની આ શ્રેણીમાં મોટાભાગના ભારતીય બેટ્સમેનો ફ્લોપ સાબિત થયા છે. રોહિત શર્માએ ટીમને સારી શરૂઆત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે 20 બોલમાં 35 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. શુભમન ગિલ 6 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી 20 રન બનાવીને પરત ફર્યો હતો. તેણે 18 બોલનો સામનો કર્યો અને 4 ચોગ્ગા ફટકાર્યા. રિષભ પંત માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસ ઐયર 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અક્ષર પટેલ 2 રન બનાવીને આઉટ થયો હતો અને રિયાન પરાગ 15 રન બનાવીને આઉટ થયો હતો.

શ્રીલંકા માટે ફર્નાન્ડોનું જોરદાર પ્રદર્શન 

પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 248 રન બનાવ્યા હતા. આ દરમિયાન અવિશકા ફર્નાન્ડોએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે 102 બોલનો સામનો કરીને 96 રન બનાવ્યા હતા. ફર્નાન્ડોએ 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. પથુમ નિસાન્કાએ 45 રનની ઇનિંગ રમી હતી. તેણે 5 ફોર અને 2 સિક્સર ફટકારી છે. કુસલ મેન્ડિસે 59 રનની ઇનિંગ રમી હતી. તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. અંતમાં કામિન્દુ મેન્ડિસે અણનમ 23 રન બનાવ્યા હતા. સમરવિક્રમા શૂન્ય પર આઉટ થયો હતો.

ભારત તરફથી રિયાન પરાગે 3 વિકેટ ઝડપી હતી

ભારત તરફથી રેયાને સૌથી વધુ વિકેટ લીધી હતી. તેણે 9 ઓવરમાં 54 રન આપ્યા અને 3 વિકેટ લીધી. કુલદીપ યાદવે 10 ઓવરમાં 36 રન આપીને 1 વિકેટ લીધી હતી. વોશિંગ્ટન સુંદર અને મોહમ્મદ સિરાજને પણ 1-1 વિકેટ મળી હતી. અક્ષર પટેલને પણ સફળતા મળી.

Tags: cricketIndia VS Sri LankaIndianCricketTeamRohit SharmaSLIDERsportsTeamIndiaTOP NEWSVIRAT KOHLI
ShareTweetSendShare

Related News

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત
આંતરરાષ્ટ્રીય

રમત-ગમત અપડેટ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો,BCCI એ કહ્યું એક યુગનો અંત

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી
આંતરરાષ્ટ્રીય

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ
જનરલ

BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો,34 ખેલાડીઓનો યાદીમાં સમાવેશ

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય
આંતરરાષ્ટ્રીય

TATA IPL 2025 સિઝન 18 નો રંગારંગ કાર્યક્રમ સાથે કોલકાતાથી પ્રારંભ,પ્રથમ મુલાબલામાં હોમ ગ્રાઉન્ડ ખાતે KKRની હાર,RCB નો 7 વિકેટે શાનદાર વિજય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ
આંતરરાષ્ટ્રીય

ઓલિમ્પિક 2036: અમદાવાદમાં નવા 10 સ્ટેડિયમ બનશે : અમિત શાહ

Latest News

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર  પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

પહેલગામ આતંકવાદી હુમલો : પીડિત પરીવારોના ઘટના બાદની વ્યથા અને ઓપરેશન સિંદૂર પછી સંતોષ વ્યક્ત કરતા નિવેદનો

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

Operation Sindoor : આંતરરાષ્ટ્રીય મીડિયા-પોર્ટલોએ ખોટા દાવા સાથે ફેક ન્યૂઝ ફેલાવ્યા,જાણો 15 ઘટનાઓ

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

તાલિબાન હેઠળ અફઘાનિસ્તાન વર્ષ 2021 થી શરિયા આધારિત 17 પ્રતિબંધો,મહિલાઓના જીવન સંકોચાયા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુજરાતના ભૂજ એરફોર્સ સ્ટેશન પર સૈનિકો સાથે વાતચીત કરી

રાજનાથ સિંહને મળી ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકોએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા

“ઓપરેશન સિંદૂર” દરમિયાન શહીદ થયેલા આપણા સૈનિકો-નાગરિકોને સલામ : રાજનાથ સિંહ

“ઓપરેશન સિંદૂર” હજુ પૂરું થયું નથી જે ​​કંઈ થયું તે માત્ર એક ટ્રેલર હતું : રાજનાથ સિંહ

જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સમગ્ર તસવીર દુનિયાને બતાવીશું : રાજનાથ સિંહ

પહેલગામ આતંકવાદી હુમલા-ઓપરેશન સિંદૂર બાદ રક્ષામંત્રી આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના ભૂજ વાયુ સ્ટેશનની લેશે મુલાકાત

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.