હાઈલાઈટ્સ :
- આર.જી.કર હાસ્પિટલમાં રાત્રે ટોળા દ્વારા તોડફોડ
- હોસ્પિટલમાં તોડફોડને લઈ દેશભરમાં ભારે રોષ
- મુખ્યમંત્રી મમતા બાનર્જીનું વિવાદિત નિવેદન
- રામ અને વામે કરાવ્યો હુમલો : CM મમતા બેનર્જી
- મમતા બેનર્જીના આપત્તિજનક નિવેદથી લોકોમાં આક્રોષ
- કલકતા હાઈકોર્ટની હોસ્પિટલમાં હુમલા મામલે આકરી ટિપ્પણી
- હોસ્પિટલમાં ટાળાનો હુમલો એ સરકારી મશીનરીની નાકામી : HCઆર.જી.કર મેડિકલ કોલેજ-હોસ્પિટલમા થયેલા ટોળા દ્વારા હિચકારા હુમલા મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ અચરજ પમાડે તેવુ આપત્તિજનક વિવાદિત નિવેદન આપ્યુ તેમણે કહ્યુ કે હુમલો રામ અને વામે કરાવ્યો છે.તેમના આ નિવેદનને લઈ દેશમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગત રોજ બુધવારે કોલકાતા સ્થિત આર.જી.કર મેડિકલ કોલેજમાં થયેલ હુમલાને લઈ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખૂબ જ આપત્તિજનક નિવેદન આપ્યુ જેમા તેમણે કહ્યુ કે જેમના હાથમાં તિરંગો હતો તે રામ અને બાકી લોકોના હાથમાં DYFI નો ઝંડો જોવા મળતો હતો તે વામ હતા.અને તેમણે જ એટલે કે રામ અને વામે જ આ હુમલો કરાવ્યો છે.એક વીડિયોના આધારે મમતા બેનર્જીએ આમ કહ્યુ છે.
એક મહિલા મુખ્યમંત્રી તરીકે આવી ગંભીર ઘટના અને તેના પર અંકુશ લગાવી ન શકરનાર મમતા બેનર્જીના આ પ્રકારના વિવાદિત નિવેદનને લઈ ચારે તરફ ફિટકાર વરસી રહ્યો છે.હજુ તો આ મામલે તપાસ શરૂ જ થઈ છે.પોલીસે ધરપકડ કરેલા લોકો કોણ છે તે વિષે પણ હજુ ફોડ પાડ્યો નથી.પરંતુ તે પહેલા તો મમતા બેનર્જીએ તો આડકતરી રીતે તેઓને રાજકીય પક્ષો સાથે જોડીને એક રીતે પોલીસ પર દબાણ ઉભુ કર્યો હોય તેવુ સ્પષ્ટ થાય છે.કારણ કે તેમણે એમ પણ કહ્યુ કે પોલીસ આ દિશામાં કાર્યવાહી કરશે. તો વળી મમતા બેનર્જી સમગ્ર મામલે પોલીસનો બચાવ કરતા પણ જોવા મળ્યા હતા.
જ્યારે એક તરફ મુખ્યમંત્રી મમતા બેનર્જી હોસ્પિટલમાં હુમલા મામલે પોતાની નાકામીને રાજકીય રંગ આપવા હવાતિયા મારી રહ્યા છે.ત્યાં જ કલકત્તા હાઈકોર્ટે 14 ઓગસ્ટની રાત્રે બનેલી તોડફોડની ઘટનાને લઈ આકરી ટિપ્પણી કરી છે.જેમાં કાર્ટે સ્પષ્ટ રીતે કહ્યુ કે આ તોડફોડના ઘટના સરકારી તંત્ર અને મશીનરીના નિષ્ફળતાની સાબિતી છે.
કલકત્તા હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યુ કે આ ઘટના બાદ તમે શું કરી રહ્યા છો ? તાત્કાલિક ધોરણે તમે કેવા પગલા લીધા ? ત્યારે સરકાર તરફથી કહેવામાં આવ્યુ કે અમે CBI તપાસના નિર્દેશ આપી દીધા છે.આ પ્રકારે કોર્ટે એક સાથે મોટી સંખ્યામાં લોકોના હોસ્પિટલમા ઘુસી જવા અને તેના પર નિયંત્રણ રાખવામાં પોલીસની નાકામી અંગે પણ આકરી ટિપ્પણી કરી સવાલો કર્યા હતા.
તો હાઈકોર્ટે હોસ્પિટલમાં હિચકારા હુમલા મામલે વધુમાં કહ્યુ કે એક હોસ્પિટલમાં જો આ રીતે હુમલો થતો હોય તે બેહતર છે કે દર્દીઓને ત્યાથી અન્ય હોસ્પિટલમાં ખસેડવામા આવે અને હોસ્પિટલ ખાલી કરી દેવામાં આવે તો દર્દીઓ સુરક્ષીત રહેશે.અને તે જ યોગ્ય ઉપાય છે.
નોંધનિય છે કે 14 ઓગસ્ટની રાત્રે મોટી સંખ્યામાં લોકો આરજી કર હોસ્પિટલમાં ઘૂસી આવ્યા હતાઆ સમયે હોસ્પિટલમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી.આ લોકોએ કલાક સુધી હોસ્પિટલમાં ઉત્પાત મચાવ્યો હતો.
SORCE : પાંચજન્ય