હાઈલાઈટ્સ
- વડોદરામાં ભારે વરસાદના કારણે આવેલા પૂરના કારણે સ્થાનિક લોકોને ભારે નુકસાન
- પૂર પીડિતોની તરફેણમાં ગુજરાતના જનપ્રતિનિધિઓ આગળ આવ્યા
- ભાજપના તમામ ધારાસભ્યો પોતાનો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવશે
વડોદરામાં ભારે વરસાદના કારણે આવેલા પૂરના કારણે સ્થાનિક લોકોને ભારે નુકસાન થયું છે. પરંતુ, હવે આ પૂર પીડિતોની તરફેણમાં ગુજરાતના જનપ્રતિનિધિઓ આગળ આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી, તમામ મંત્રીઓ અને ભાજપના તમામ ધારાસભ્યો પોતાનો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવીને પૂર પીડિતોને મદદ કરશે.
ભારતીય જનતા પાર્ટીની અસર લોકોના દુખમાં તેમની સાથે ઉભા રહેવાની રહી છે. તાજેતરમાં સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. દરમિયાન વડોદરામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ સ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યોએ એક થઈને લોકોની સાથે ઉભા રહીને મદદ કરવાનો લોકકલ્યાણકારી નિર્ણય લીધો છે.
જે અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી, તમામ મંત્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવશે. પ્રવક્તા મંત્રી હૃષીકેશ પટેલે જણાવ્યું હતું કે આ તમામ પ્રતિનિધિઓને મુખ્યમંત્રી રાહત ફંડમાં મળેલા નાણાંનો ઉપયોગ વડોદરાના પૂર પીડિતોના પુનર્વસન અને સહાય માટે કરવામાં આવશે.