હેડલાઈન :
- કેનેડામાં હિન્દુ પર હુમલા મામલે ભારત તરફથી આકરી પ્રતિક્રિયા
- PM નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરનું આકરુ નિવેદન
- હિન્દુ મંદિર પર ઈરાદાપૂર્વકના હુમલાની હું સખત નિંદા કરું છું : PM મોદી
- આપણા રાજદ્વારીઓને ડરાવવાના કાયરતાપૂર્ણ પ્રયાસો નિંદનીય : PM મોદી
- હિંસક કૃત્યો ભારતના સંકલ્પને ક્યારેય નબળો પાડી શકે નહીં : PM મોદી
- ખાલિસ્તાનીઓ દ્વારા કરવામાં આવેલી હિંસા ‘અત્યંત ચિંતાજનક’ : ડો.જયશંકર
કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિર તેમજ હિન્દુ સમુદાય પર ખાલિસ્તાનીઓ દ્વારા કરાયેલા હિચકારા હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભારતીય વિદેશમંત્રી ડો.એસ.જયશંકરે નારાજગી વ્યક્ત કરવા સાથે કડક શબ્દોમાં આ ઘટનાને વખોડી કાઢી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેનેડામાં મંદિરની બહાર હિન્દુઓ પર થયેલા હુમલાની નિંદા કરી હતી અને તેને ‘ઇરાદાપૂર્વકનો હુમલો’ ગણાવ્યો હતો.તેમણે કહ્યુ કે ભારત અને કેનેડા વચ્ચે સતત વધી રહેલા તણાવ વચ્ચે કંઈક એવું થવા લાગ્યું છે જે કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકાર માટે મોર્ટાર સાબિત થઈ રહ્યું છે.એ જ ખાલિસ્તાની ઉગ્રવાદીઓ જેમને કેનેડાની ટ્રુડો સરકાર પોતાની ધરતી પર પ્રોત્સાહિત કરી રહી હતી અને ભારત વિરુદ્ધ ઉપયોગ કરી રહી હતી તેઓ હવે કેનેડામાં જ પાયમાલ કરી રહ્યા છે.
ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે.
– PM નરેન્દ્ર મોદીએ કેનાડા હુમલા મામલે આકરી ટીકા કરી
કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાને લઈને વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરીને કહ્યું કે કેનેડામાં હિંદુ મંદિર પર ઈરાદાપૂર્વકના હુમલાની હું સખત નિંદા કરું છું.આપણા રાજદ્વારીઓને ડરાવવાના કાયર પ્રયાસો પણ એટલા જ નિંદનીય છે.આવા હિંસક કૃત્યો ભારતના સંકલ્પને ક્યારેય નબળો પાડી શકે નહીં.તેમણે એમ પણ કહ્યું કે અમને આશા છે કે કેનેડાની સરકાર ન્યાય સુનિશ્ચિત કરશે અને કાયદાનું શાસન જાળવી રાખશે.
I strongly condemn the deliberate attack on a Hindu temple in Canada. Equally appalling are the cowardly attempts to intimidate our diplomats. Such acts of violence will never weaken India’s resolve. We expect the Canadian government to ensure justice and uphold the rule of law.
— Narendra Modi (@narendramodi) November 4, 2024
– ખાલિસ્તાનીઓ દ્વારા કરવામાં આવેલી હિંસા ‘અત્યંત ચિંતાજનક’ : ડો.જયશંકર
વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ટોરોન્ટો નજીક કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં ખાલિસ્તાની ઝંડા લઈને વિરોધીઓ દ્વારા કરવામાં આવેલી હિંસા ‘અત્યંત ચિંતાજનક’ છે.વિદેશ મંત્રી ડો.એસ જયશંકર આ દિવસોમાં ઓસ્ટ્રેલિયાની સત્તાવાર મુલાકાત વખતે આ નિવેદન આપ્યું છે.આ સિવાય સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટમાં વિદેશ મંત્રીએ કેનેડામાં બનેલી ઘટના પર પણ નારાજગી વ્યક્ત કરી હતી.તેમણે લખ્યું કે,’હું કેનેડામાં હિંદુ મંદિર પર ઈરાદાપૂર્વકના હુમલાની સખત નિંદા કરું છું.આપણા રાજદ્વારીઓને ડરાવવાના કાયર પ્રયાસો પણ એટલા જ ભયાનક છે.
#WATCH कैनबरा, ऑस्ट्रेलिया: कनाडा में हिंदू मंदिर पर हुए हमले पर विदेश मंत्री डॉ. एस जयशंकर ने कहा, "कनाडा में हिंदू मंदिर में कल जो हुआ वह बेहद चिंताजनक है… आपको हमारे आधिकारिक प्रवक्ता का बयान और कल हमारे प्रधानमंत्री द्वारा व्यक्त की गई चिंता भी देखनी चाहिए थी। इससे आपको पता… pic.twitter.com/FoRv0ACOo2
— ANI_HindiNews (@AHindinews) November 5, 2024
તો વળી કેનેડામાં હિંદુ મંદિર અને હિંદુ સમુદાયના લોકો પર ખાલિસ્તાનીઓએ કરેલા હુમલાની સમગ્ર વિશ્વમાં ટીકા થઈ રહી છે.જેમાં વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે આ હુમલા અંગે પોતાની પ્રતિક્રિયા આપતા આ ઘટનાને ખૂબ જ ચિંતાજનક ગણાવી છે.તેમણે કહ્યુ કે કેનેડામાં હિન્દુ સમુદાયના લોકો પર હુમલાની આ ઘટના એવા સમયે બની છેજ્યારે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો પહેલાથી જ તંગ છે અને આ ઘટનાએ સંબંધોમાં વધુ તિરાડ પાડી છે.જોકે, આ ઘટનાને લઈને કેનેડા સરકાર દબાણમાં છે અને ખુદ પીએમ જસ્ટિન ટ્રુડોએ તેની ટીકા કરી છે.
SORCE : પાંચજન્ય