હેડલાઈન :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વામિત્વ યોજના તળે પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરશે
- 18 જાન્યુઆરીના રોજ PM મોદી વર્ચ્યુઅલી માધ્યમથી કરશે કાર્ડ વિતરણ
- 10 રાજ્યો,બે કેન્દ્ર શાસિત પ્રદેશોના ગામડામાં મિલકત માલિકોને વિતરણ
- 230 જિલ્લાઓના 50 હજાર ગામડાઓમાં65 લાખથી પ્રોપર્ટી કાર્ડનું વિતરણ
- 1.53 લાખ ગામડાઓ માટે 2.25 કરોડ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જાન્યુઆરીએ બપોરે 12 : 30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 230 થી વધુ જિલ્લાઓના 50 હજારથી વધુ ગામડાઓમાં મિલકત માલિકોને સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે. .
પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર ડ્રોન સર્વે 3.17 લાખથી વધુ ગામડાઓમાં પૂર્ણ થયો છે,જે 92 ટકા લક્ષિત ગામડાઓને આવરી લે છે.અત્યાર સુધીમાં 1.53 લાખથી વધુ ગામડાઓ માટે લગભગ 2.25 કરોડ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.આ યોજના પુડુચેરી,આંદામાન અને નિકોબાર ટાપુઓ,ત્રિપુરા ગોવા,ઉત્તરાખંડ અને હરિયાણામાં પૂર્ણ રીતે કાર્યરત થઈ ગઈ છે.મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢ રાજ્યો તેમજ અનેક કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડ્રોન સર્વે પૂર્ણ થઈ ગયો છે.
ગ્રામીણ ભારતની આર્થિક પ્રગતિને વધારવાના વિઝન સાથે પ્રધાનમંત્રી દ્વારા સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી હતી,જેમાં ગામડાઓમાં વસતી ધરાવતા વિસ્તારોમાં ઘર ધરાવતા પરિવારોને સર્વેક્ષણ માટે નવીનતમ ડ્રોન ટેકનોલોજી દ્વારા ‘અધિકારોનો રેકોર્ડ’ પ્રદાન કરવામાં આવ્યો હતો.
સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર