હેડલાઈન :
- 25 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય મતદાર દિવસ
- વર્ષ 2011થી રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી
- 25 જાન્યુઆરી એટલે ચૂંટણી પંચનો સ્થાપના દિવસ
- વર્ષ 1950માં 25 જાન્યુઆરીએ ચૂંટણી પંચની સ્થાપના
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય મતદાર દિવસે પોસ્ટ
- વડાપ્રધાન મોદીએ ચૂંટણી પંચની કામગીરીની કરી પ્રશંસા
- વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમની એક ક્લિપ જોડી
- પ્રતિવર્ષ કોઈ ને કોઈ થીમ આધારે લવાય મતદાન જાગૃતિ
મોદીએ તેમની પોસ્ટ સાથે તેમના તાજેતરના મન કી બાત કાર્યક્રમની એક ક્લિપ જોડી હતી,જેમાં તેમણે ચૂંટણી પંચની પ્રશંસા કરી હતી જેની તાજેતરમાં ટીકા થઈ હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ચૂંટણી પંચના સ્થાપના દિવસ નિમિત્તે લોકોને મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે સશક્ત બનાવવાના અનુકરણીય પ્રયાસોની પ્રશંસા કરી.ચૂંટણી પંચના સ્થાપના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
National Voters' Day is about celebrating our vibrant democracy and empowering every citizen to exercise their right to vote. It highlights the importance of participation in shaping the nation’s future. We laud the ECI for their exemplary efforts in this regard.@ECISVEEP pic.twitter.com/aewpSJixkT
— Narendra Modi (@narendramodi) January 25, 2025
તેમણે ‘X’ પર લખ્યું,”રાષ્ટ્રીય મતદાતા દિવસ આપણા જીવંત લોકશાહીની ઉજવણી કરવા અને દરેક નાગરિકને તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે સશક્ત બનાવવાનો છે.તે દેશના ભવિષ્યને આકાર આપવામાં ભાગીદારીના મહત્વ પર ભાર મૂકે છે.આ સંદર્ભમાં ભારતના ચૂંટણી પંચના અનુકરણીય પ્રયાસોની અમે પ્રશંસા કરીએ છીએ.રાષ્ટ્રીય મતદાતા દિવસ આપણા જીવંત લોકશાહીની ઉજવણી કરવા અને દરેક નાગરિકને તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે સશક્ત બનાવવા વિશે છે.તે રાષ્ટ્રના ભવિષ્યને આકાર આપવામાં ભાગીદારીના મહત્વ પર ભાર મૂકે છે. આ સંદર્ભમાં તેમના અનુકરણીય પ્રયાસો માટે અમે ECI ની પ્રશંસા કરીએ છીએ.
આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.ભારતીય બંધારણ મુજબ દેશની જનતા જ આપણા અનોખા લોકતંત્રનો પાયો છે જ્યાં જનતા સરકાર ચૂંટે છે.ત્યારે આજે 25 જાન્યુઆરી એટલે જનતાનો દિવસ છે.
રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવા માટેના કેટલાક કારણો છે.જેમાં એક તો ઈન્કલૂઝિવ અને બીજુ કારણ ગુણાત્મક જેનો હેતુ કોઈ પણ મતદાર મતદાનમાં પાછળ ન રહે.તો ચૂંટણી પંચ આ દિવસે એવા મતદારોની ઓળખ કરે જેની ઉંમર 18 વર્ષ થઈ ગઈ હોય.
વર્ષ 2011 માં કેન્દ્રમાં જ્યારે UPA સરકાર હતી તે સમયે ચૂંટણીપંચની 61 વર્ષ થયા હતા.તે વખતના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરાવી હતી.આ ઉજવણી દર વર્ષે એક થીમ પર આધારીત હોય છે.અને તેના આધારે સરકાર લોકોને મતદાન માટે જાગૃત કરે છે.તો ઉત્કૃષ્ટ કામગીરી બદલ મન્માન પણ કરવામા આવે છે.
ભારતીય બંધારણ અનુસાર જે વ્યક્તિ ભારતનો માગરિક હોય અને 18 વર્ષ પૂર્ણ કરી ચૂક્યો હોય તે વ્યક્તિને મતદાનનો અધિકાર આપવામાં આવે છે. તો જે વિદેશી ભારતીય નાગરિક એટલે કે NRI હોય અને તેની પાસ ભારતીય પાસપોર્ટ હોય તો તેમને પણ મતદાનનો અધિકાર આપવામાં આવે છે.
નોંધનિય છે કે ભારતીય ચૂંટણી પંચની સ્થાપના 25 જાન્યુઆરી 1950 ના રોજ થઈ હતી.આ સંસ્થા બંધારણની કલમ-324 અંતર્ગત આવે છે. જેમાં ત્રણ સભ્ય હોય તેમા એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે અન્ય કમિશનરનો સમાવેશ છે.આ ત્રણેયનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે.આ એક બંધારણીય સ્વતંત્ર સંસ્થા છે.અને દેશમાં તમામ ચૂંટણીનું આયોજન કરવાની તેની જવાબદારી હોય છે.જેમાં લોકસભા,રાજ્યસભા,વિધાનસભા,વિધાન પરિષદ,રાષ્ટ્રપતિ,ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણીઓ સામેલ હોય છે.
ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચ ગાર્જિયનની ભૂમિકા અદા કરે છે.જે ચૂંટણીના દિશા-નિર્દેશ જારી કરે છે જે નિર્દેશ દરેક ઉમેદવાર અને તમામ રાજકીય પક્ષો પર લાગૂ થાય છે. આ દિશા-નિર્દેશનું ઉલ્લંઘન થાય તો ચૂંટણી પંચમાં તે અંગે ફરિયાદ કરી શકાય છે.અને તેના પણ ચૂંટણી પંચ તપાસ કરી જરૂર લાગ્યે કાર્યવાહી પણ કરે છે.તો ચૂંટણી પર ખર્ચ પર નજર રાખવા અન્ડિયન રેવન્યૂ સર્વિસ એટલે IRS ના અધિકારી ઓબ્ઝર્વર તરીકે હોય છે.