હેડલાઈન :
- ગુજરાત વિધાનસભામાં વર્ષ 2025-26નું સામાન્ય બજેટ રજૂ કર્યુ
- નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યુ
- નાણામંત્રીનું આ વર્ષના બજેટમાં આદિજાતિ વિકાસને પ્રાધાન્ય
- આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂ. 5120 કરોડની કરી જોગવાઈ
- આદિજાતિ સમાજના શૈક્ષણિક,સામાજિક,આર્થિક ઉત્કર્ષનું બજેટ
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આજે 20 ફેબ્રુઆરીને બુધવારે રાજ્યનું વર્ષ 2025-26 નું સામાન્ય બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યુ હતુ.તેમણે બજેટમાં આદિજાતી વિકાસ માટે જોગવાઈઓ કરી હતી. આ જોગવાઈઓ જાહેર કરતા કહ્યુ કે અંત્યોદયને વરેલી ગુજરાત સરકાર વનબંધુઓના સર્વાંગીણ વિકાસ માટે સતત કાર્યરત છે.
તેમણે કહ્યું કે વનબંધુ કલ્યાણ યોજના – 2 અંતર્ગત વર્ષ 2021-22 માં પાંચ વર્ષ માટે રૂ.1 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી હતી.તે વર્ષ 2025 ના અંત સુધીમાં 69,882 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અને આ વર્ષે અંદાજીત 30,121 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. એટલે કે આ ફાણવણી સાથે આપણે 1 લાખ કરોડનો લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે.
1. શૈક્ષણિક ઉત્કર્ષ :
- આદિજાતિ વિકાસ વિભાગ માટે આ બજેટમાં કુલ રૂ.5120 કરોડની જોગવાઈ
- સરકારી છાત્રાલય ,આદર્શ નિવાસી શાળા,એકલવ્ય મોડાલ રેસિડેન્સિયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે રૂ.912 કરોડની જોગવાઈ
- અંદાજે 3 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવા રૂ.755 કરોડની જોગવાઈ
- 664 આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓને માટે રૂ.547 કરોડની જોગવાઈ
- 176 સરકારી છાત્રાલયો અને 921 ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયોના અંદાજીત 70 હજાર વિદ્યાર્થીઓ માટે રૂ.313 કરોડની જોગવાઈ.
- દૂધ સંજીવની યોજના અંતર્ગત રૂ.233 કરોડની જોગવાઈ.
- રાજ્યમાં 48 એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ,બે સૈનિક સ્કૂલ તથા 74 આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા એમ 167 નિવાસી શાળાઓ કાર્યરત છે.તેનો વ્યાપ વધારતા આ વર્ષે ડોલવાણ,ખેરગામ,નેત્રંગ અને સંજેલી ખાતે 4 નવી એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ શરૂ કરવામાં આવશે.આ નિવાસી શાળાઓમાં અંદાજે 40 હજાર વિદ્યાર્થીઓ માટે અને નવી થનાર સ્કૂલો માટે કુલ રૂ. 285 કરોડની જોગવાઈ.
- પ્રિ મેટ્રીકના આશરે 13 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂ.160 કરોડની જોગવાઈ.
- ધો-1 થી 8 માં અભ્યાસ કરતા અંદાજે 12 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે રૂ. 108 કરોડની જોગવાઈ.
- વિદ્યા સાધના યોજના હેઠળ ધોરણ – 9 માં ભણતી 33 હજાર આદિજાતી વિદ્યાર્થિનીઓને વિના મુલ્યે સાયકલ સહાય આપવા રૂ. 15 કરોડની જોગવાઈ.
2. આર્થિક ઉત્કર્ષ :
- મુખ્યમંત્રી આદિજૂથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ રૂ.125 કરોડની જોગવાી
- મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના હેઠળ રૂ.102 કરોડની જોગવાઈ
- મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ રૂ.100 કરોડની જોગવાઈ
- સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ રૂ.87 કરોડની જોગવાઈ
- કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે રૂ. 42 કરોડની સહાય
- આદિજાતિ વિસ્તારની નિવાસી શા્ળાઓમાં ગ્રીન કેમ્પસ બનાવવા માટે રૂ.7કરોડની જોગવાઈ
3. સામાજિક ઉત્કર્ષ :
- આદિજાતિના લોકોને વ્યક્તિગત ધોરણે સહાય માટે રૂ. 99 કરોડની જોગવાઈ
- યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત આદિજાતિના યુવક-યુવતીઓ સ્વરોજગાર શરી કરી આર્છિક વિકાસન નવી તકો ઉભી કરે તે હેતુથી બેન્ક ધિરાણ પર વ્યાજ સહાય આપવા રૂ.74 કરોડની જોગવાઈ
આમ આદિજાતિ ઉત્કર્ષ માટે ગુજરાતની ભૂપેન્દ્ર સરકારે ખૂબ ધ્યાન આપ્યુ છે.અને તે નાણામંત્રી કનુભાઈ દેસાઈના આ બજેટમાં સ્પષ્ટ થાય છે.