હેડલાઈન :
- મુંબઈ હુમલાનો કાવતરા ખોર હવે ભારત આવવાથી ડર્યો
- મુંબઈ હુમલાના કાવતરાખોર તહવ્વુર હુસૈન રાણા ડરી ગયો
- તહવ્વુર હુસૈન રાણાએ અમેર્કન કોર્ટમાં એક એરજી દાખલ કરી
- થોડા દિવસો પહેલા અમેરિકાએ તેના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી
- તહવ્વુર હુસૈન રાણાએ કહ્યુ જો હું ત્યાં જઈશ તો મને મારી નંખાશે
મુંબઈ હુમલાના કાવતરાખોર તહવ્વુર હુસૈન રાણા ભારત આવવાથી ડરે છે,યુએસ કોર્ટમાં તેણે કહ્યું-‘જો હું ત્યાં જઈશ તો મને મારી નાખવામાં આવશે’
મુંબઈ હુમલાનો કાવતરું ઘડનાર ભારત આવતા પહેલા જ ડરી ગયો છે.થોડા દિવસો પહેલા જ,અમેરિકાએ તેના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી,પરંતુ પાકિસ્તાની મૂળના આતંકવાદીએ તેના પર રોક લગાવવા માટે ત્યાંની સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.
26/11 મુંબઈ હુમલાના કાવતરાખોર,પાકિસ્તાની મૂળના આતંકવાદી અને કેનેડિયન નાગરિક તહવ્વુર હુસૈન રાણાને ભારત પ્રત્યાર્પણનો ડર છે.તેણે યુએસ કોર્ટમાં પોતાના પ્રત્યાર્પણ પર રોક લગાવવા માટે અરજી દાખલ કરી છે.પાકિસ્તાની મૂળના આતંકવાદીએ યુએસ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે તે વિવિધ કારણોસર ભારતમાં ટકી શકશે નહીં.તેથી તેના પ્રત્યાર્પણને તાત્કાલિક બંધ કરવું જોઈએ કારણ કે જો તે બંધ નહીં થાય તો ત્યાં ભારતમાં તેના કેસ પર પુનર્વિચારણા થશે નહીં,અમેરિકા પણ તેનો અધિકારક્ષેત્ર ગુમાવશે અને પછી અરજદારને ખૂબ જ ટૂંક સમયમાં મારી નાખવામાં આવશે.
વર્ષ 2008 ના મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ તહવ્વુર હુસૈન રાણાએ કહ્યું હતું કે જો તેને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે,તો પાકિસ્તાની મુસ્લિમ હોવાને કારણે તેને ત્રાસ આપવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે.તેણે કહ્યું, કારણ કે તેઓ મુસ્લિમ ધર્મના છે અને પાકિસ્તાની મૂળના છે.તે પાકિસ્તાન આર્મીના સભ્ય પણ રહી ચૂક્યો છે. તેના પર 2008ના મુંબઈ આતંકવાદી હુમલાને અંજામ આપવાનો આરોપ છે. આ સમયે તેમની હાલત ગંભીર છે. આવી સ્થિતિમાં,જો તેને ભારત મોકલવામાં આવે તો તેને ખૂબ જ ત્રાસ આપવામાં આવે તેવી શક્યતા છે.તેણે કોર્ટમાં કરેલી અપીલમાં એમ પણ કહ્યું હતું કે જો તે ભારત જાય તો કોઈ તાત્કાલિક આદેશ પર તેમની હત્યા થઈ શકે છે.