હેડલાઈન :
- એલોન મસ્કની કંપની ‘X’ એ ભારત સરકાર વિરુદ્ધ દાવો કર્યો
- ‘X’ નો ભારત સરકાર વિરુદ્ધ કર્ણાટક હાઈકોર્ટમાં દાવો
- ભારત સરકારના આઇટી એક્ટની કલમ પર પ્રશ્ન ઉઠાવ્યો
- ‘X’ એ આઇટી એક્ટની કલમ 79(3)(b) પર ઉઠાવ્યો સવાલ
- ‘X’ એ કહ્યુ ભારત સરકારે કોઈ પણ નિયમોનો ઉપયોગ કર્યો નથી
- કેન્દ્ર સરકારના આ પગલાં ભારતમાં તેના વ્યવસાયને નુકસાન
એલોન મસ્કની કંપની એક્સ કોર્પે કર્ણાટક હાઈકોર્ટમાં ભારત સરકાર વિરુદ્ધ અરજી દાખલ કરી છે.તેમણે ભારત સરકારના આઇટી એક્ટની કલમ 79(3)(b) પર પ્રશ્ન ઉઠાવ્યો છે.કંપનીનું કહેવું છે કે આ નિયમ એક ગેરકાયદેસર અને અનિયમિત સેન્સરશીપ સિસ્ટમ બનાવે છે,જેના હેઠળ કન્ટેન્ટને બ્લોક કરવાથી પ્લેટફોર્મના સંચાલનને અસર થઈ રહી છે.
– ‘ભારત સરકારે નિયમોનો ઉપયોગ કર્યો નથી’
આ કલમ સમજાવે છે કે કઈ પરિસ્થિતિઓમાં સરકારને ઇન્ટરનેટ સામગ્રીને અવરોધિત કરવાનો અધિકાર છે. કંપનીએ કહ્યું છે કે,”સામગ્રી દૂર કરવા માટે લેખિતમાં કારણો આપવા જરૂરી છે અને નિર્ણય લેતા પહેલા યોગ્ય સુનાવણીનું આયોજન કરવું જોઈએ. તેને કાયદેસર રીતે પડકારવાનો અધિકાર પણ હોવો જોઈએ.”સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ કહ્યું છે કે ભારત સરકારે આમાંથી કોઈ પણ નિયમોનો ઉપયોગ કર્યો નથી.અરજીમાં કહેવામાં આવ્યું છે કે સરકાર કલમ 79(3)(b) નું ખોટું અર્થઘટન કરી રહી છે અને કલમ 69Aની જોગવાઈઓનું પાલન ન કરતા આદેશો પસાર કરી રહી છે.આ કલમ સમજાવે છે કે સરકાર કયા સંજોગોમાં ઇન્ટરનેટ સામગ્રીને અવરોધિત કરી શકે છે.કંપનીએ 2015ના શ્રેયા સિંઘલ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો છે.
– રેન્ડમ બ્લોકિંગ ઓર્ડરથી વ્યવસાયને નુકસાન
X કહે છે કે કેન્દ્ર સરકારના આ પગલાં ભારતમાં તેના વ્યવસાયને નુકસાન પહોંચાડી રહ્યા છે.કંપની કહે છે કે તે કાયદેસર માહિતી શેર કરવા માટે વપરાશકર્તાઓ પર આધાર રાખે છે,અને ડર છે કે આવા રેન્ડમ બ્લોકિંગ ઓર્ડર તેના પ્લેટફોર્મ અને વપરાશકર્તાના વિશ્વાસને નુકસાન પહોંચાડી રહ્યા છે.17 માર્ચે થયેલી સુનાવણીમાં,જસ્ટિસ એમ.નાગપ્રસન્નાએ એક્સ કંપનીના અધિકારીઓને કહ્યું હતું કે જો કેન્દ્ર સરકાર કંપની સામે કોઈ ગંભીર પગલાં લે, તો તેઓ કોર્ટમાં પાછા આવી શકે છે.