હેડલાઈન :
- સંઘ સરકાર્યવાહ દત્તાત્રેય હાસાબલેજીએ પત્રકારોને સંબોધન કર્યુ
- ઔરંગઝેબ વિવાદ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સત્તાવાર નિવેદન
- “ઔરંગઝેબના ભાઈ દારા શિકોહને હીરો બનાવવામાં આવ્યા ન હતા “
- “દિલ્હીમાં ઔરંગઝેબ રોડનું નામ બદલી અબ્દુલ કલામ રોડ રાખવામાં આવ્યું”
- “લોકોએ નક્કી કરવું પડશે કે તેઓ કેવા વ્યક્તિને પોતાનો આઇકોન બનાવશે ”
- ” છત્રપતિ શિવાજી અને મહારાણા પ્રતાપ મુઘલો સામે આઝાદી માટે લડ્યા “
ઔરંગઝેબ વિવાદ મુદ્દે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે.સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેજીએ સંઘ પ્રતિનિધિ સભાના સમાપન દિવસે યોજેલ પત્રકાર પરિષદમાં આ નિવેદન આપ્યુ હતુ.
સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેજીએ કહ્યું કે,લોકો ઔરંગઝેબના ભાઈ દારા શિકોહને પોતાનું પ્રતિક કેમ નથી માનતા ? દિલ્હીના રસ્તાનું નામ દારા શિકોહના નામ પર નહીં,પણ ઔરંગઝેબના નામ પર કેમ રાખવામાં આવ્યું ?
કર્ણાટકના બેંગલુરુમાં સંઘ સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેજીએ કહ્યું કે, ઔરંગઝેબને તેમણે કરેલા કાર્યો માટે પ્રતિક ના માનવું જોઈએ. દિલ્હીમાં એક ઔરંગઝેબ રોડ હતો, જેનું નામ બદલીને અબ્દુલ કલામ રોડ રાખવામાં આવ્યું. આ પાછળ કેટલાક કારણો હતા.ઔરંગઝેબના ભાઈ દારા શિકોહને હીરો બનાવવામાં આવ્યા ન હતા. ગંગા-જમુની સંસ્કૃતિની હિમાયત કરનારાઓએ ક્યારેય દારા શિકોહને આગળ લાવવાનું વિચાર્યું ન હતું. શું આપણે એવી વ્યક્તિનું પ્રતિક બનાવીશું જે ભારતની સંસ્કૃતિની વિરુદ્ધ હતી, કે પછી આપણે એવા લોકો સાથે જઈશું જેઓ આ ભૂમિની પરંપરાઓ અનુસાર કામ કરતા હતા?
તેમણે કહ્યું કે, સ્વતંત્રતાની લડાઈ ફક્ત અંગ્રેજો સામે જ લડાઈ ન હતી, શિવાજી અને મહારાણા પ્રતાપે પણ મુઘલો સામે આઝાદી માટે લડ્યા હતા. તે પણ એક સ્વતંત્રતા સંગ્રામ હતો. દેશના લોકોએ નક્કી કરવાનું છે કે તેઓ ઔરંગઝેબને પોતાના આઇકોન માને છે કે દારા શિકોહને?
દત્તાત્રેય હોસાહલેજીએ કહ્યું કે, ભારતના લોકોએ નક્કી કરવું પડશે કે શું તેઓ એવા વ્યક્તિને પોતાનો આઇકોન બનાવશે જે ભારતના ઇતિહાસની વિરુદ્ધ જાય છે, કે પછી એવા લોકોને બનાવશે જેઓ દેશની સંસ્કૃતિ, પરંપરા અને માટી સાથે જીવ્યા છે. તો આ વાસ્તવિક મુદ્દો છે અને ઔરંગઝેબ તેમાં બંધબેસતો નથી. ઔરંગઝેબના ભાઈ દારા શિકોહ આ ચિહ્ન પર બેસે છે. તેમણે કહ્યું કે એક સ્વતંત્ર દેશે ગંભીરતાથી વિચારવું જોઈએ કે આપણને આઝાદી કેવી રીતે મળી? દેશના બહાદુર પુત્રોએ અંગ્રેજો પહેલા આવેલા આક્રમણકારો સામે લડત આપી છે.
મુઘલ શાસક ઔરંગઝેબને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. છત્રપતિ સંભાજીનગર, જે પહેલા ઔરંગાબાદ તરીકે ઓળખાતું હતું, તેમાં ઔરંગઝેબનો મકબરો આવેલો છે. આ કબર અંગેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યમાં આ મુદ્દા પર રાજકીય હોબાળો થયા બાદ હવે આખો મામલો બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ અંગે હાઇકોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે. ઔરંગઝેબની કબરને રાષ્ટ્રીય સ્મારકોની યાદીમાંથી દૂર કરવાનો નિર્દેશ આપવા માટે કોર્ટમાં માંગ કરવામાં આવી છે.