હેડલાઈન :
- રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવશે
- PM મોદીએ રશિયા મુલાકાત વખતે ભારત આવવા આપ્યુ હતુ આમંત્રણ
- વડાપ્રધાન મોદીના આમંત્રણનો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કર્યો સ્વિકાર
- રશિયન વિદેશમંત્રીસેરગેઈ લવરોવે વ્લાદિમીર પુતિનની મુલાકતની પુષ્ટિ કરી
- રશિયામાં પુતિનની ભારત મુલાકાત માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી
- પુતિનની ભારત મુલાકાત બંને દેશો વચ્ચેના વધુ મજબૂત સંબંધોનો સંકેત
- ભારતે રશિયા-યુક્રેન યુદ્ધ પર હંમેશા પોતાનું તટસ્થ વલણ જાળવી રાખ્યું
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે.રશિયા-યુક્રેન યુદ્ધ પછી આ તેમની પહેલી ભારત મુલાકાત હશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે રશિયાની મુલાકાત દરમિયાન પુતિનને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું,જેનો પુતિને હવે સ્વીકાર કરી લીધો છે.ગુરુવારે રશિયન વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવે આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે પુતિનની ભારત મુલાકાત માટે તૈયારીઓ ચાલી રહી છે,જોકે તેમણે મુલાકાતની તારીખ જાહેર કરી નથી.
લવરોવે કહ્યું,’રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતીય વડાપ્રધાનનું આમંત્રણ સ્વીકાર્યું છે.’હવે અમારો વારો છે. આ મુલાકાત એટલા માટે પણ ખાસ છે કારણ કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો હંમેશા મજબૂત રહ્યા છે.વડાપ્રધાન મોદીએ તેમના ત્રીજા કાર્યકાળ પછીના પ્રથમ વિદેશ પ્રવાસમાં રશિયાની મુલાકાત લીધી હતી. હવે,પુતિનની ભારત મુલાકાત બંને દેશો વચ્ચેના વધુ મજબૂત સંબંધોનો સંકેત છે.
આ મુલાકાત દરમિયાન પુતિન અને મોદી બંને યુક્રેન યુદ્ધ,ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછીના વૈશ્વિક ફેરફારો અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી શક્યતા છે.ભારતે યુક્રેન યુદ્ધ પર હંમેશા તટસ્થ વલણ જાળવી રાખ્યું છે.વડાપ્રધાન મોદીએ પુતિનને કહ્યું હતું કે ‘આ યુદ્ધનો યુગ નથી’.ભારતે રશિયા વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં પસાર થયેલા ઠરાવો પર મતદાન કરવાનું પણ ટાળ્યું છે અને પુતિનની જાહેરમાં ટીકા કરવાનું ટાળ્યું છે.