Wednesday, June 18, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

હથિયારોના વેપારી કેસમાં રોબર્ટ વાડ્રા આજે ED સમક્ષ હાજર થશે

જમ્મુ-કાશ્મીર : પહેલગામ આતંકવાદી હુમલા બાદ બંધ કરાયેલા ઘણા પર્યટન સ્થળો આજથી ફરી ખુલશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેનેડામાં G7 સમિટના આઉટરીચ સત્રમાં હાજરી આપશે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીની આજે બપોર બાદ રાજકોટમાં પ્રાર્થના સભા યોજાઈ

ગુજરાત : 18 થી 22 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી,માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

હથિયારોના વેપારી કેસમાં રોબર્ટ વાડ્રા આજે ED સમક્ષ હાજર થશે

જમ્મુ-કાશ્મીર : પહેલગામ આતંકવાદી હુમલા બાદ બંધ કરાયેલા ઘણા પર્યટન સ્થળો આજથી ફરી ખુલશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેનેડામાં G7 સમિટના આઉટરીચ સત્રમાં હાજરી આપશે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીની આજે બપોર બાદ રાજકોટમાં પ્રાર્થના સભા યોજાઈ

ગુજરાત : 18 થી 22 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી,માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

નેશનલ આયુષ મિશન દ્વારા વડાપ્રધાને હોમીયોપેથીને સરકારી હોસ્પીટલો-વેલનેસ સેન્ટરમાં સ્થાન અપાવ્યું : ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ હોમીયોપેથી દિવસે હોમીયોપેથી ચિકિત્સકો,સંશોધકો અને વિદ્યાર્થીઓની બે દિવસની કોન્ફરન્સનો પ્રારંભ કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Apr 10, 2025, 05:08 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • 10 એપ્રિલને વિશ્વ હોમીયોપેથી દિવસે ગાંધીનગરમાં કોન્ફરન્સનો પ્રારંભ
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વિ દિવસીય હિમીયોપેથી કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો
  • કોન્ફરન્સના પ્રારંભ પ્રસંગે કેન્દ્રીય આયુષમંત્રી પ્રતાપરાવ જાધવ ઉપસ્થિત રહ્યા
  • ગુજરાતના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા
  • ગાંધીનગરના મહાત્મા મંદિરમાં હોમીયોપેથી પ્રદર્શનનું આયોજન કરાયુ
  • કોન્ફરન્સમાં દેશભરના રાજ્યોના હોમીયોપેથી પ્રેક્ટિસનર્સ સહભાગી થયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ હોમીયોપેથી દિવસે હોમીયોપેથી ચિકિત્સકો,સંશોધકો અને વિદ્યાર્થીઓની બે દિવસની કોન્ફરન્સનો પ્રારંભ કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.

આ કોન્ફરન્સનું આયોજન ભારત સરકારના આયુષ મંત્રાલય અને નેશનલ હોમીયોપેથી કાઉન્સીલના ઉપક્રમે ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે.દેશભરના રાજ્યોના હોમીયોપેથી સાથે સંકળાયેલા તબીબો,છાત્રો અને તેમાં રસ ધરાવતા વ્યક્તિઓ-સંગઠનો આ કોન્ફરન્સમાં સહભાગી થવાના છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોના હસ્તે હોમિયોપેથીની 07 પુસ્તિકા, 01 સોવિનિયર, હોમિયોપેથીને લગતું એક ઇ- પોર્ટલ તેમજ એક ડોક્યુમેન્ટરીનું વિમોચન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રિવેન્ટીવ અને પ્રાયમરી હેલ્થકેરને મજબૂત હેલ્થકેર સિસ્ટમની કરોડરજ્જૂ ગણવાતા સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશમાં હોલીસ્ટીક હેલ્થકેરનું વાતાવરણ ઉભું થયું છે. આના પરિણામે ટેડિશનલ મેડિસીન પ્રત્યેનું મહત્વ અને આકર્ષણ વધ્યાં છે.

મુખ્યમંત્રીએ આ અવસરે હોમીયોપેથીના પાયાની રચના કરનારા અને માનવસેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનારા ડો.સેમ્યુઅલ હેનિમેનને ભાવાંજલી આપી હતી.મુખ્યમંત્રીએ કહ્યું કે અધ્યયન,અધ્યાપન અને અનુસંધાનની થીમ સાથે આયોજીત આ સંમેલન હોમીયોપેથીના વ્યાપ વિસ્તરણમાં મહત્વપૂર્ણ બનશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે સસ્ટેનેબલ હોમીયોપેથી હેલ્થકેર એપ્રોચ ધરાવતી હોમીયોપેથી સહિતની ટ્રેડિશનલ ઉપચાર પદ્ધતિઓને પહેલાં ક્યારેય મહત્વ મળ્યું ન હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં દેશમાં પ્રથમવાર અલાયદું આયુષ મંત્રાલય કાર્યરત કરાવીને આયુર્વેદ, યુનાની, નેચરોપેથી અને હોમીયોપેથીના ક્ષેત્રમાં શિક્ષણ, સંશોધન અને પ્રચારને મહત્વ આપ્યું છે.

નેશનલ આયુષ મિશનના માધ્યમથી હોમીયોપેથીને દેશની સરકારી હોસ્પીટલોમાં અને વેલનેસ સેન્ટર્સમાં સ્થાન મળ્યું છે.એટલું જ નહીં હોમીયોપેથીમાં ક્વોલિટી એજ્યુકેશન માટે હોમીયોપેથી સેન્ટ્રલ કાઉન્સીલ એક્ટમાં બદલાવ પણ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં થયો છે એમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આયુષમંત્રાલયના પરિણામે દેશના હેલ્થકેર લેન્ડસ્કેપમાં બદલાવો આવ્યાં છે તેની ભૂમિકા આપતાં કહ્યું કે જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડીસીન સેન્ટર પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓનો નવો માઇલસ્ટોન છે.

તેમણે ગુજરાતમાં આ અલ્ટરનેટીવ સારવાર પદ્ધતિને અપાઇ રહેલા મહત્વની વિગતો આપતાં કહ્યું કે દેશભરના રાજ્યોમાં ગુજરાત 48 હોમીયોપેથી કોલેજ સાથે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે અગ્રેસર રાજ્યમાં સ્થાન પામ્યું છે.
મુખ્યમંત્રીએ હેલ્થકેર ફોર ઓલ ના વડાપ્રધાનશ્રીના ધ્યેયને પાર પાડવામાં આ કોન્ફરન્સ યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે વડાપ્રધાનશ્રી એ આપેલા નવ સંકલ્પોમાં પાણી બચાવો, એક પેડ માં કે નામ, સ્વચ્છતા, યોગ અને રમતને જીવનશૈલી બનાવવી જેવાં સ્વાસ્થ્ય સુખાકારી સાથે જોડાયેલા સંકલ્પો સાકાર કરવામાં યોગદાન માટે સૌને આ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતાં આહવાન કર્યું હતું.

કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે વિશ્વ હોમિયોપેથી દિવસની સૌને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે,હોમિયોપેથીના સ્થાપક ડૉ. સેમ્યુઅલ હેનેમેનની જન્મજયંતિ નિમિત્તે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવે છે.તબીબી વિજ્ઞાનના વૈશ્વિક નક્શા પર સ્થાન પામીને ગુજરાત ઇતિહાસ રચવા માટે તૈયાર છે.આયુષ મંત્રાલય હેઠળ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી (CCRH),નેશનલ કમિશન ફોર હોમિયોપેથી (NCH) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી (NIH) ના સંયુક્ત ઉપક્રમે 10-11 એપ્રિલ, 2025ના રોજ ગુજરાત વિશ્વના સૌથી મોટા હોમિયોપેથી સંમેલનનું યજમાન બન્યું છે જે ગૌરવ સમાન છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે આપણે સૌએ ભારતની હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ ઉપર ગર્વ અનુભવવો જોઈએ.કેન્દ્રીય હોમિયોપેથી અનુસંધાન પરિષદે ઔષધી વનસ્પતિઓને ઉગાડવા તરફ આગેકૂચ કરી છે.પરિષદે 368 દવાઓ ઉપર ફાર્માકોગ્નોસી અઘ્યયન કર્યું છે, 362 દવાઓ ઉપર ભૌતિક અને રાસાયણિક અઘ્યયન અને 151 ઔષધિઓ ઉપર અઘ્યયન કર્યું છે. જેના ભાગરૂપે તમિલનાડુના ઉટીમાં કેન્દ્રીય અનુસંધાન સંસ્થામાં 17 હજારથી વધુ હરબેરિયમ શીટ તૈયાર કરવામાં આવી છે અને આ તમામ શીટનું ડિઝિટલાઇઝેશન કરવામાં આવી રહ્યું છે,જેના પરિણામ સ્વરૂપે આવનાર ભવિષ્યમાં વનસ્પતિ જ્ઞાનને વધુ સંરક્ષિત કરવામાં આવશે.

મંત્રીએ જણાવ્યું હતું કે,’રોગ મુક્ત ભારત અભિયાન’માં હોમીયોપેથી ઉપચારને સાથે રાખીને આવનારા સમયમાં કામગીરી કરવાની રહેશે.જેમાં હોમિયોપેથી ડૉક્ટર,વિધાર્થીઓ,ઉદ્યોગ જગત તેમજ દેશના ખેડૂતોને પણ આપણે સાથે રાખવા જરૂરી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને અન્નદાતા કહીને એમનું સન્માન વધાર્યું છે.ખેડૂતોની મદદ માટે હરહંમેશ વડાપ્રધાન તૈયાર રહે છે.આજે ઉદ્યોગજગત સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને હું અનુરોધ કરું છું કેવી રીતે આપણે ખેડૂતોને સાથે રાખીને ઔષધિય ખેતી થકી ઉપચાર માટે એમની મદદ લઈ શકીએ તે અંગે આપણે સૌએ તત્વ ચિંતન કરવું જોઈએ.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 10મા વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું કે, ભારતીય આયુષ ચિકિત્સા પદ્ધતિ-પરંપરામાં હોમિયોપેથીનું વિશેષ યોગદાન રહ્યું છે.આજના સમયમાં એલોપથીની જેમ જ હોમિયોપેથીનું પણ મહત્વ વધતું જાય છે હોમિયોપથીમાં દર્દી સાથે આત્મીયતા રાખીને તેમની દિનચર્યાના આધારે ઈલાજ કરવામાં આવે છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપચાર માટે અનેકવિધ નિર્ણય કરવામાં આવ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુષ મંત્રાલયની રચના કરીને આરોગ્ય ક્ષેત્રમાં સારવારની નવી તકો ઉભી કરી છે.હોમિયોપથી સેક્ટરમાં નવીન સંશોધન કરીને આપણે વધુ સારી અને સચોટ સારવાર આપી શકીએ તેમ, મંત્રી શ્રીએ ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે,દેશમાં મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ 48 હોમિયોપેથી કોલેજ ગુજરાતમાં છે હાલમાં 4360 અંડર ગ્રેજયુએટ અને 322પોસ્ટ ગ્રેજ્યુએટની બેઠક સાથે રાજ્યમાં હોમિયોપેથી શિક્ષણ માટેનું ઉત્તમ માળખું ઉપલબ્ધ છે.હાલમાં અંદાજે 15 લાખ જેટલા દર્દીઓ હોમીઓપેથી ચિકિત્સાનો લાભ લ‌ઈ રહ્યા છે જે ગૌરવ સમાન છે. તેમણેકહ્યું હતું કે, રાજ્યના સરકારી હોમિયોપેથી કોલેજમાં ચર્મરોગ,શ્વસનતંત્ર,સાંધા,સ્ત્રીરોગ વગેરે 11 પ્રકારની સ્પેશિયાલિટી ઓપીડી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સિદ્ધપુર ખાતેની સરકારી હોમિયોપેથી કોલેજ અને તેની હાલની 25 બેડની હોસ્પિટલને આગામી 100 બેડ સુધી વિસ્તારમાં આવશે.આયુષ અંતગર્ત આર્યુવેદ,હોમિયોપેથી વગેરેના વિકાસ માટે રાજ્ય સરકાર તમામ સહયોગ કરવા કટિબદ્ધ તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.

Tags: Bhupendra patelCM GUJARATConference InauguratedGandhinagarGujaratGujarat Health MinisterHomeopathyHomeopathy ConferenceHomeopathy ExhibitionMahatma MandirPrataparao JadhavRISHIKESH PATELSLIDERTOP NEWSUnion Ministe AYUSHWorld Homeopathy Day
ShareTweetSendShare

Related News

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી
જનરલ

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ

જગન્નાથ રથયાત્રા :  અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ
કલા અને સંસ્કૃતિ

જગન્નાથ રથયાત્રા : અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે
જનરલ

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ
જનરલ

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ

Latest News

હથિયારોના વેપારી કેસમાં રોબર્ટ વાડ્રા આજે ED સમક્ષ હાજર થશે

જમ્મુ-કાશ્મીર : પહેલગામ આતંકવાદી હુમલા બાદ બંધ કરાયેલા ઘણા પર્યટન સ્થળો આજથી ફરી ખુલશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેનેડામાં G7 સમિટના આઉટરીચ સત્રમાં હાજરી આપશે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીની આજે બપોર બાદ રાજકોટમાં પ્રાર્થના સભા યોજાઈ

ગુજરાત : 18 થી 22 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી,માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ઉત્તરાખંડ : દુ:ખદ હેલિકોપ્ટર અકસ્માત બાદ PM મોદીએ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાયપ્રસમાં સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું

PM મોદીએ સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે સંરક્ષણ અને વેપાર સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી

PM મોદી અને સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ એક વ્યાપાર ગોળમેજી કાર્યક્રમમાં ભાગ લીધો

ગુજરાત: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પરિવાર તેમના પાર્થિવ દેહ સાથે રાજકોટ પહોંચ્યો

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.