હેડલાઈન :
- પાકિસ્તાનીઓના પ્રથમ વાર્ષિક પરિષદનું આયોજન
- 13 થી 16 એપ્રિલ દરમિયાન પરિષદનું આયોજન કરાયુ
- પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરના નિવેદન
- ભારત,હિન્દુધર્મ,દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત,કાશ્મીર,ગાઝા પર નિવેદન
- પાકિસ્તાન કલમાના આધારે બન્યુ : આર્મી ચીફ અમીસ મુનીર
- આપણા ધર્મ,રીત-રિવાજો,પરંપરાઓ હિન્દુઓથી જુદા : અમીસ મુનીર
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે વિદેશી પાકિસ્તાનીઓના પ્રથમ વાર્ષિક પરિષદમાં ભારત,હિન્દુ ધર્મ,દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત,કાશ્મીર અને ગાઝા જેવા મુદ્દાઓ પર નિવેદનો આપ્યા હતા જે માત્ર વિવાદાસ્પદ જ નહોતા પણ વિભાજનકારી અને નફરત ફેલાવનારા પણ હતા.પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં 13 થી 16 એપ્રિલ દરમિયાન આયોજિત કાર્યક્રમમાં તેમણે વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓ પાસેથી આર્થિક મદદની પણ અપીલ કરી હતી.કોન્ફરન્સમાં પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરની શૈલી કોઈ કમાન્ડર જેવી નહીં પણ એક કટ્ટર ધાર્મિક ઉપદેશક જેવી હતી.
– વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓને અપીલ
અસીમ મુનીરનું ભાષણ વિદેશી પાકિસ્તાનીઓ માટે ભાવનાત્મક અપીલ કરતાં આર્થિક ભીખ માંગતું વધુ લાગ્યું.તેમણે કાર્યક્રમ દરમિયાન કહ્યું,”તમે પૈસા મોકલીને અને રોકાણ કરીને તમારા દેશ પ્રત્યે પ્રેમ દર્શાવી રહ્યા છો.ભૂલશો નહીં કે તમે એક શ્રેષ્ઠ વિચારધારા સાથે જોડાયેલા છો”.જનરલ મુનીરે આ કાર્યક્રમમાં કહ્યું,”જીવનના દરેક પાસામાં આપણે હિન્દુઓથી અલગ છીએ.”આ નિવેદન મોહમ્મદ અલી ઝીણાના દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતનું એ જ જૂનું અર્થઘટન છે,જેમાં ધર્મને રાષ્ટ્ર નિર્માણનો પાયો ગણાવવામાં આવ્યો હતો.જનરલ મુનીરે વધુમાં કહ્યું કે”આપણા ધર્મ,રીતરિવાજો,પરંપરાઓ,વિચાર અને મહત્વાકાંક્ષાઓ અલગ છે,તેથી જ આપણા પૂર્વજોએ પાકિસ્તાનનો પાયો નાખ્યો હતો”.
-કલમાના આધારે બે દેશોની રચના થઈ?
મુનીરે દાવો કર્યો હતો કે દુનિયામાં ફક્ત બે જ રાજ્યો છે જે અલ્લાહે કલમાના આધારે બનાવ્યા છે, એક મદીના અને બીજું પાકિસ્તાન.તેમણે કહ્યું,”અલ્લાહે 1300 વર્ષ પછી પાકિસ્તાન બનાવ્યું છે”.પોતાના ભાષણના અંતે,મુનીરે કાશ્મીરને પાકિસ્તાનની ગળાની નસ ગણાવી અને ગાઝામાં ઇઝરાયલની કાર્યવાહીની ટીકા કરી અને પેલેસ્ટિનિયનો માટે સમર્થન વ્યક્ત કર્યું.પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આયોજિત વિદેશી સંમેલનમાં વડાપ્રધાન શાહબાઝ શરીફ સહિત પાકિસ્તાનના તમામ મુખ્ય નેતાઓ હાજર રહ્યા હતા.