હેડલાઈન :
- કાશ્મીર ખીણના પહેલગામમાં પર્યટન સ્થળ પર આતંકી હુમલો
- આતંકીઓએ કરેલા અંધાધુંધ ફાયરિંગમાં 26 લોકોના મૃત્યુ,17 ઘાયલ
- આતંકીઓએ પહેલા નામ અને ધર્મ પૂછ્યા અને બાદમાં ફાયરિંગ કર્યુ
- પહેલગામ આતંકી હુમલા બાદ સેના, CRPF, સ્થાનિક પોલીસ સતર્ક થયા
- હુમલાખોરોને શોધવા સઘન આતંકવાદ વિરોધી કાર્યવાહી શરૂ કરવામાં આવી
- આતંકવાદીઓ કાશ્મીરના બૈસરન ખીણમાં પર્વત પરથી નીચે ઉતરી આવ્યા હતા
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી એરેબિયાની મુલાકાત ટુંકાવી ભારત પહોંચ્યા
- PM નરેન્દ્ર મોદીએ સ્વદેશ પહોંચતા જ ઈમરજન્સિ ઉચ્ચસ્તરિય બેઠક બોલાવી
પહેલગામ હુમલા બાદ આતંકવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.NIAની ટીમો શ્રીનગર પહોંચી ગઈ છે.ફોરેન્સિક ટીમો પણ ઘટનાસ્થળે હાજર છે.સેના, CRPF, SOG, જમ્મુ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરીને આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે.
#WATCH जम्मू-कश्मीर के पहलगाम में गोलीबारी की घटना की सूचना मिली है; पुलिस और सुरक्षा बल मौके पर मौजूद हैं।
विवरण की प्रतीक्षा है। pic.twitter.com/h6IzEhVfpm
— ANI_HindiNews (@AHindinews) April 22, 2025
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના એક હુમલાખોરની પહેલી તસવીર સામે આવી છે.આ તસવીર ઘટના સ્થળની છે, જેમાં તે હાથમાં બંદૂક પકડીને ઉભો છે. જોકે,તસવીરમાં આતંકવાદીનો ચહેરો દેખાતો નથી.
પહેલગામ હુમલા બાદ આતંકવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.NIAની ટીમો શ્રીનગર પહોંચી ગઈ છે.ફોરેન્સિક ટીમો પણ ઘટનાસ્થળે હાજર છે.સેના, CRPF, SOG,જમ્મુ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરીને આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે.મુઘલ રોડ પર CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસ તૈનાત કરવામાં આવી છે.
પહેલગામમાં સુરક્ષા દળોનું ઓપરેશન સમાપ્ત થયા પછી NIA ટીમ સ્થળ પર પહોંચી.તે જ સમયે પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને પહેલગામ હોસ્પિટલથી શ્રીનગર મોકલવામાં આવ્યા છે. મંગળવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને 17 ઘાયલ થયા હતા.આ હુમલો પહેલગામની બૈસરન ખીણમાં કરવામાં આવ્યો હતો જેમાં લોકોને પસંદગીપૂર્વક નામ અને ધર્મ પૂછીને નિશાન બનાવવામાં આવ્યા હતા.
दिल्ली | प्रधानमंत्री नरेंद्र मोदी ने कश्मीर में #पहलगाम आतंकवादी हमले के मद्देनजर विदेश मंत्री डॉ. एस जयशंकर, NSA अजीत डोभाल, विदेश सचिव विक्रम मिस्री और अन्य अधिकारियों के साथ एक संक्षिप्त बैठक की। pic.twitter.com/Og3Nq3Rzq9
— ANI_HindiNews (@AHindinews) April 23, 2025
જ્યારે હુમલો થયો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી એરેબિયાના પ્રવાસે હતા.જાણ થતા જ તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ટેલિફોનિક વાત કરી તેમને ત્વરિત જમ્મુ -કાશ્મીર જવા જણાવ્યુ હતુ.તો વડાપ્રધાન મોદીએ પણ પોતાની સાઉદી અરેબિયાનો પ્રવાસ ટુંકાવી રાત્રે જ ભારત આવવા નિકળ્યા હતા અને સવારે સ્વદેશ પહોંચતાની સાથે જ કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલાના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર,રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને અન્ય અધિકારીઓ ઈમરજન્સિ ઉચ્ચસત્રિય સાથે ટૂંકી બેઠક કરી હતી.