હેડલાઈન :
- ભારત-પાકિસ્તાન વચ્ચેનાં સંઘર્ષ વચ્ચે યુવાઓમાં રાષ્ટ્રભક્તિના દર્શન
- યુદ્ધના માહોલ વચ્ચે પણ કેન્દ્રશાસિત ચંદીગઢમાં યુવાઓનો રાષ્ટ્રપ્રેમ
- તણાવ વચ્ચે હજારો યુવાઓ ‘નાગરિક સંરક્ષણ સ્વયંસેવક’ બનવા ઉમટ્યા
- દેશ માટે સર્વસ્વ બલિદાન આપવા ચંદીગઢમાં યુવા-યુવતીઓમાં જોમ
- યુવા-યુવતીઓનો આ પ્રકારનો ઉત્સાહ એ દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ
- ભારત પાસે 60 ટકાથી પણ વધુ યુવાધન એ દેશ માટે મહત્વની વાત
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવના માહોલમાં પણ ખાસ કરીયને ચંદીગઢમાં યુવાનોમાં દેશભક્તિનું ઉદાહરણ સામે આવ્યુ હતુ.જેમાં હજારો યુવાનો ‘નાગરિક સંરક્ષણ સ્વયંસેવક’ બનવા ઉમટી પડ્યા હતા.
– રાષ્ટ્રથી મોટું કશું જ નથી
કહેવાય છે કે રાષ્ટ્રથી મોટું કંઈ નથી.કોઈપણ દેશની સૌથી મોટી તાકાત તેના યુવાનો હોય છે.જ્યારે રાષ્ટ્ર પર કોઈ પણ આફત કે સંકટ આવે છે,ત્યારે યુવાનો દેશની સુરક્ષા માટે પોતાનો જીવ જોખમમાં નાખવામાં ક્યારેય અચકાતા નથી.અને જ્યારે ભારતના યુવાનોની વાત આવે છે,ત્યારે તેઓ ક્યારેય પોતાનો જીવ જોખમમાં નાખવાથી પાછળ નથી હટતા.
કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાંથી પણ આવો જ યુવા ઉત્સાહ જોવા મળ્યો.જી હા ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષ વચ્ચે,જ્યારે કટોકટી ચંદીગઢ વહીવટીતંત્રે નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો માટે અરજીઓ મંગાવી,ત્યારે યુવાનોનું મોટું ટોળુ એકત્ર થયું.હજારો સ્થાનિક યુવાનો નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો બનવા માટે કતારમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા.
– યુવાનોની ભારે ભીડને લઈ નોંધણી સ્થળ બદલવું પડ્યું
ચંદીગઢ વહીવટીતંત્રની આ પહેલ હેઠળ શનિવારે સવારે 10.30 વાગ્યે સેક્ટર 18 સ્થિત ટાગોર થિયેટર ખાતે નાગરિક સંરક્ષણમાં નોંધણી અને તાલીમ માટે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પછી, શનિવાર સવારથી જ ટાગોર થિયેટરમાં યુવાનોની ભીડ એકઠી થવા લાગી. આ દરમિયાન ચંદીગઢમાં યુવાનોએ “વંદે માતરમ” અને “ભારત માતા કી જય”ના નારા પણ લગાવ્યા હતા.સમગ્ર વિસ્તાર જય હિંદના નારાથી ગુંજી ઉઠ્યો.ચંદીગઢના ડેપ્યુટી કમિશનરે યુવાનોને દેશના આવા મુશ્કેલ સમયમાં આગળ આવીને તાલીમ લેવાની અપીલ કરી હતી.જ્યારે પણ જરૂર પડે ત્યારે દેશની સેવા કરવા તૈયાર રહેવું જોઈએ. ભારે ભીડને ધ્યાનમાં રાખીને નોંધણી સ્થળ બદલવામાં આવ્યું હતું.યુવાનોને સેક્ટર-18 ને બદલે સેક્ટર-17 ના તિરંગા પાર્કમાં બોલાવવામાં આવ્યા હતા.અહીં પણ થોડા જ સમયમાં અપેક્ષા કરતાં વધુ યુવાનો એકઠા થયા.હજારો યુવા- યુવતીઓ ત્યાં નોંધણી કરાવવા પહોંચ્યા.દેશ માટે લોહીનું દરેક ટીપું વહેવડાવવાનો યુવાનોનો આ જુસ્સો જોવા લાયક હતો.
– દેશની સુરક્ષાનો મામલો આવે ત્યારે સમાજ-ધર્મ બાજુ પર રહે
જ્યારે પણ દેશની સુરક્ષા જોખમમાં હોય છે ત્યારે બધા ધર્મો અને રાજ્યોના લોકો પોતાનો જીવ જોખમમાં નાખવા તૈયાર હોય છે.તે સમયે તેઓ કોઈ ધર્મ,જાતિ કે રાજ્યના લોકો નથી પરંતુ દેશના નાગરિક હોય છે. દરમિયાન,સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે તેઓ દેશ માટે પોતાનો જીવ આપવા તૈયાર છે,તેમણે ફોર્મ ભર્યા છે,દેશ માટે અમને જે કંઈ કરવાનું કહેવામાં આવશે,અમે તે કરવા તૈયાર છીએ.અને બીજા ઘણા યુવાનોએ પણ ભારતીય સેના અને દેશને ટેકો આપવાની વાત કરી છે.યુવાનો કહે છે કે અમે હંમેશા અમારા દેશની સેવા કરવા તૈયાર છીએ.યુવાનોનો આ ઉત્સાહ આ સમયે દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.યુવાનો કહે છે કે દેશની સેવા કરવી એ સૌભાગ્યની વાત છે.દેશની સેવા કરવી એ આપણું સૌભાગ્ય હશે.
– ચંદીગઢ વહીવટીતંત્ર દ્વાર પ્રશંસનીય પહેલ કરવામાં આવી
યુવાનોને તકો આપ્યા વિના કોઈપણ દેશ પ્રગતિ કરી શકતો નથી.દેશની તાકાત આજના યુવાનો છે. નાગરિક સંરક્ષણ સ્વયંસેવક માટે નોંધણી કરાવવા આવેલા યુવાનોનો ઉત્સાહ અને પાકિસ્તાન સામેનો તેમનો ગુસ્સો જોઈને એવું લાગે છે કે તેમના માટે દેશ સર્વોપરી છે.આવી સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે ચંદીગઢ વહીવટીતંત્ર દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે.
– યુવાધનને આગળ લઈ જવાથી દેશની પ્રગતિ થાય
દેશના યુવાનોનો ઉત્સાહ અને જુસ્સો જોઈને એક વાત સ્પષ્ટ થાય છે કે જ્યાં સુધી દેશના યુવાનો એકસાથે આગળ ન આવે અને દેશના યુવાનોને આવી તકો ન મળે ત્યાં સુધી કોઈ પણ દેશ પ્રગતિ કરી શકતો નથી. આજના યુવાનો દેશની વાસ્તવિક તાકાત છે.નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો બનવા માટે નોંધણી કરાવવા આવેલા યુવાનોનો ઉત્સાહ અને ગુસ્સો જોઈને સ્પષ્ટ થાય છે કે તેઓ કંઈક કરવા માંગે છે. આવી સ્થિતિમાં, ચંદીગઢ પ્રશાસનની આ પહેલ પ્રશંસનીય છે.
– ભારત પાસે 60 ટકાથી વધુ યુવાધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ઘણા વક્તવ્યમાં ઉલ્લેખ કરતા હોય છે કે કોઈ પણ રાષ્ટ્રનું ભવિષ્ય યુવાઓના હાથમાં હોય છે.અને ભારત માટે મહત્વની વાત એ છે કે આપણી પાસે 60 ટકાથી વધુ યુવાધન છે.અને વડાપ્રધાનની આ વાત ચંદીગઢમાં એકત્ર થયેલા તરવરીયા યુવા-યુવતીઓની આ ભીડ ચરિતાર્થ કરે છે.