હેડલાઈન :
- પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતનું ઓપરેશન સિંદૂર
- ઓપરેશન સિંદૂર થકી ભારતીય સેનાના પાકિસ્તાનમાં હવાઈ હુમલા
- સેનાએ હુ્લા કરી પાકિસ્તાનમાં આતંકવાદીઓનના ઠેકાણા નષ્ટ કર્યા
- ભારતના હુમલાથી હચમચી ગયેલા પાકિસ્તાને ભારત પર હુમલા કર્યા
- ભારતીય સેનાએ હવાઈ હુમલા નિષ્ફળ બનાવી વળતા હુમલા કર્યા
- પાકિસ્તાને ભારતની એર સંરક્ષણ સિસ્ટમને નુકસાન કર્યાનો દાવો કર્યો
- પાકિસ્તાને ભારતની S-400 ને તોડી પાડ્યાનો કર્યો હતો પોકળ દાવો
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ S-400 સિસ્ટમ સાથે ફોટો પાડી શેર કર્યો
- ફોટો શેર કરી વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનના જુઠ્ઠાણાને ખુલ્લુ પાડ્યુ
ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાને ભારે નુકસાન ભારતે પહોંચાડ્યું ત્યારે પાકિસ્તાને પણ કેટલીક ફેક તસવીરો જાહેર કરી મોટા મોટા દાવા કર્યા હતા.કે અને પણ ભારતને નુકશાન કર્યુ છે.ત્યારે ભારત તરફથી પુરાવા સાથે તેનું જુઠ્ઠાણુ ખુલ્લુ પાડ્યુ હતુ.ત્યારે હવે પાકિસ્તાનનું વધુ એક જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું છે.
પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે ભારતના S-400 ને તોડી પાડ્યું છે,પરંતુ પીએમ મોદીએ 13 મે ના રોજ તે જ S-400 સાથે એક તસવીર પોસ્ટ કરી છે.
ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ હવે ઓછો થયો છે અને બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે.હાલમાં બંને દેશો વચ્ચે શાંતિ છે.આ દરમિયાન,પાકિસ્તાનનું એક જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું છે. હકીકતમાં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે હુમલા ચાલી રહ્યા હતા,ત્યારે પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલી S-400 ને નષ્ટ કરી દીધી છે.પરંતુ આજે પીએમ મોદીએ એ જ એર ડિફેન્સ સિસ્ટમ સાથે પોતાનો ફોટો પડાવ્યો અને તેને પોતાના X હેન્ડલ પર પોસ્ટ કર્યો.આ ફોટામાં S-400 પીએમની પાછળ ઉભેલું જોવા મળે છે.આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના જુઠ્ઠાણા ખુલ્લા પડી ગયા છે.
– પાકિસ્તાને શું દાવો કર્યો?
પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે ભારતની S-400 વાયુ સંરક્ષણ પ્રણાલીને તોડી પાડી છે.પરંતુ ભારતીય સેનાએ તેનો ઇનકાર કર્યો હતો. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેના JF-17 લડાકુ વિમાનોએ આદમપુરમાં ભારતના S-400 ને તોડી પાડ્યું હતું. પરંતુ પીએમ મોદી દ્વારા તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરાયેલી તસવીરમાં,S-400 સંપૂર્ણપણે ઠીક દેખાઈ રહ્યું છે.અર્થ સ્પષ્ટ છે કે ગભરાયેલા પાકિસ્તાને S-400 અંગે ભારત વિરુદ્ધ જુઠ્ઠાણા ફેલાવ્યા છે.
પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે જે રીતે પાકિસ્તાનમાં આતંકવાદીઓ અને પાકિસ્તાની સરકારને પાઠ ભણાવ્યો હતો,તે પછી ભારતીય સશસ્ત્ર દળોની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે.સૌથી વધુ પ્રશંસા એ વાતની થઈ રહી છે કે ભારતની ત્રણેય સેનાઓએ એકબીજા સાથે સંકલન કરીને ઓપરેશન સિંદૂર ચલાવ્યું અને પાકિસ્તાનને તેનું સ્થાન બતાવ્યું.ભારતની ત્રણેય સેનાઓ વચ્ચે આ સમન્વય કેવી રીતે મજબૂત બન્યો?વાસ્તવમાં આ પાછળનું કારણ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ના પદની રચના છે.આ પોસ્ટને કારણે જ ત્રણેય દળો એકબીજા વચ્ચે મજબૂત સંકલન સ્થાપિત કરી શક્યા અને દુશ્મનોને યોગ્ય જવાબ આપ્યો.
– શું છે ભારતની S – 400 ડિફેન્સ સિસ્ટમ ?
- S-400 એટલે ભારતતું સુદર્શન ચક્ર
- S -400 મિસાઈલ સિસ્ટમ ભારતીય સેના પાસે શક્તિશાળી એર ડિફેન્સ હથિયાર
- આ સિસ્ટમની મારક ક્ષમતા40 થી 400 કિમી સુધી
- એડવાન્સ ફાઈટર જેટને પણ પળવારમાં તોડી શકે
- S- 400નું રડાર600 કિમી દૂરથી જ જોખમને ઓળખી શકે
- 300 ના ટાર્ગેટને એક સાથે ઓળખી શકે
- મિસાઈલ સિસ્ટમ તેને મોનિટર કરવાનું શરૂ કરી દે
- લોકેશન ટ્રેક થતા એક સાથે 72 થી વધુ ટાર્ગેટ પર હુમલો કરી શકે છે
- આ સિસ્ટમને એક્ટિવ કરવામાં 5 મિનિટથી પણ ઓછો સમય લાગે
- 50 ડિગ્રીથી 70 ડિગ્રીની ભયંકર ગરમીમાં પણ એ એર ડિફેન્સ સિસ્ટમ કારગર
- રાવલપિંડીથી પણ કોઈ મિસાઈલ છોડવામાં આવે તો દિલ્હીથી તેને ટ્રેક કરી શકાય
– ભારતની સુદર્શન S-400 એર ડિફેન્સ સિસ્ટમ
ભારતની એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાને 7 મે ની રાત્રે ભારતમાં 15 સ્થળો પર હુમલો કર્યો હતો પરંતુ ભારતની એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ S-400 SAM એ તેને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યું હતું.ચાલો જાણીએ કે આ સિસ્ટમ કેટલી શક્તિશાળી છે અને શા માટે તે આટલું ખાસ છે
પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી સ્થળો પર એર સ્ટ્રાઇક કરી હતી.
આ એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાન ખૂબ રઘવાયું થયું છે.અહેવાલ છે કે પાકિસ્તાને 7 મે ની રાત્રે ભારતમાં 15 સ્થળો પર હુમલો કર્યો હતો,પરંતુ ભારતની એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ S-400 SAM એ તેને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યું હતું. ચાલો જાણીએ કે તે કેટલું શક્તિશાળી છે અને શા માટે તે આટલું ખાસ છે.
ભારત પાસે હાલમાં ચાર લોંગ રેન્જ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ S-400 SAM (સરફેસ ટુ એર મિસાઇલ) છે. જેને રશિયા પાસેથી ખરીદવામાં આવી હતી.પાકિસ્તાન તરફથી આવતી કોઈ પણ મિસાઈલને અટકાવવા માટે ભારતે સરહદ પર S-400 SAM તૈનાત કરી છે. અહીં S નો અર્થ સુદર્શન થાય છે.
S-400 એ વિશ્વની શ્રેષ્ઠ લોંગ રેન્જ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે.પાકિસ્તાન પાસે રહેલી ચીનની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ HQ-9 પણ તેની સામે કશું નથી.
એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ કોઈપણ દેશ માટે રક્ષા કવચ છે.જેની મદદથી દુશ્મન દેશ તરફથી આવતા રોકેટ, મિસાઇલ કે ડ્રોનને પહેલા શોધી અને ઓળખવામાં આવે છે.આ પછી હથિયારને લોક કરી દેવામાં આવે છે અને પછી તેને મિસાઇલની મદદથી હવામાં ગોળી મારી દેવામાં આવે છે.
એક S-400 સ્ક્વોડ્રનમાં 300 મિસાઇલો હોય છે અને તેમાં વિવિધ પ્રકારની મિસાઇલો રાખી શકાય છે.દરેક S-400 સ્ક્વોડ્રનમાં 16 વાહનો હોય છે જેમાં લોન્ચર,રડાર,કંટ્રોલ સેન્ટર્સ અને સહાયક વાહનોનો સમાવેશ થાય છે.S-400 સ્ક્વોડ્રન 600 કિલોમીટર દૂર સુધીના હવાઈ ખતરાને ટ્રેક કરી શકે છે.S-400 સ્ક્વોડ્રનથી 400 કિલોમીટર દૂરી સુધી લક્ષ્યોને ભેદવામાં સક્ષમ છે.
S-400 સ્ક્વોડ્રન ફાઇટર એરક્રાફ્ટ, બેલિસ્ટિક મિસાઇલ, ડ્રોન, ક્રુઝ મિસાઇલ વગેરે જેવા ખતરનાક હવાઈ હુમલાઓને ટ્રેક કરવા અને તોડી પાડવા સક્ષમ છે.આ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ રશિયાની S-300નું અપગ્રેડેડ વર્ઝન છે.જેને અલ્માજ-આંતે દ્વારા વિકસાવવામાં આવી છે. તે એક જ રાઉન્ડમાં એકસાથે 36 ટાર્ગેટોને મારી શકે છે.
S-400 ની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનું રડાર 100 થી 300 ટાર્ગેટને ટ્રેક કરી શકે છે.તેમાં ફીટ કરાયેલી મિસાઇલો 30 કિમીની ઊંચાઈ અને 400 કિમીના દૂરીમાં કોઈપણ ટાર્ગેટને નિશાન બનાવી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદમપુર એરબેઝની મુલાકાત લઈ પાકિસ્તાન દ્વારા ફેલાવેલ 7 મોટા દાવોઓનો પર્દાફાશ કર્યો
ખોટો દાવો – 1 – પાકિસ્તાને એવો પણ દાવો કર્યો હતો કે તેણે આદમપુર એરબેઝના રનવેને નુકસાન પહોંચાડ્યું છે.
વાસ્તવિકતા : પરંતુ આ રનવે પર ભારતના VVIP વિમાનનું ઉતરાણ દર્શાવે છે કે પાકિસ્તાનનો દાવો ખોટો છે. આદમપુર એરબેઝ સંપૂર્ણપણે કાર્યરત છે અને પાકિસ્તાનનો દાવો ખોટો છે.
ખોટો દાવો – 2 – પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે આદમપુરમાં S-400 સિસ્ટમનો નાશ કર્યો હતો.
વાસ્તવિકતા : કોઈ પણ હવાઈ સંરક્ષણ સંપત્તિને કોઈ નુકસાન થયું નથી S-400 સલામત અને કાર્યરત છે.
ખોટો દાવો – ૩ – પાકિસ્તાને દાવો કર્યો હતો કે ડ્રોનથી આદમપુર રડાર સિસ્ટમ પર હુમલો થયો હતો.
વાસ્તવિકતા : રડાર સિસ્ટમ્સ અકબંધ છે અને સક્રિય દેખરેખ ચાલુ છે.
ખોટો દાવો- 4 – પાકિસ્તાને દાવો કર્યો હતો કે મિસાઇલોએ ભારતીય વાયુસેનાના વિમાનને તોડી પાડ્યું હતું.
વાસ્તવિકત : કોઈ વિમાનને નુકસાન થયું નથી આદમપુરથી ફ્લાઇટ્સ અવિરત ચાલુ રહે છે.
ખોટો દાવો – 5 – પાકિસ્તાને દાવો કર્યો હતો કે આદમપુરમાં મોટી સંખ્યામાં એરક્રૂ માર્યા ગયા હતા.
વાસ્તવિકતા : કોઈ જાનહાનિ થઈ નથી બધા કર્મચારીઓ સુરક્ષિત છે અને બધા આર્મી રેકોર્ડમાં છે.
S-400 આદમપુર એરબેઝ પર કાર્યરત છે.
ખોટો દાવો – 6 – પાકિસ્તાને કથિત રીતે ક્ષતિગ્રસ્ત આદમપુર એરબેઝની સેટેલાઇટ છબીઓ શેર કરી.
વાસ્તવિકતા : સેટેલાઇટ નિષ્ણાતો અને એજન્સીઓએ પુષ્ટિ આપી છે કે છબીઓ સાથે છેડછાડ કરવામાં આવી છે.
ખોટો દાવો – 7 – પાકિસ્તાને કહ્યું કે આદમપુર એરબેઝ ઘણા વર્ષોથી કાર્યરત નથી.
વાસ્તવિકતા : આદમપુર એક ફ્રન્ટલાઈન એરબેઝ છે, મિશન માટે તૈયાર અને કાર્યરત છે.
આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આદમપુર મુલાકાત દ્વારા પાકિસ્તાનના ખોટા નિવેદનો,ખોટા દાવાઓ અને મીડિયા પ્રચારનો નિર્ણાયક રીતે નાશ કરવામાં આવ્યો છે.અહીંના વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે બધા યુદ્ધ સાધનો કોઈપણ સમયે કામગીરી માટે તૈયાર છે.