હેડલાઈન :
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડો.મોહન ભાગવતજીનું નિવેદન
- ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન પર ડો.ભાગવતજીનું મોટુ નિવેદન આવ્યુ
- જયપુરના હરમારામાં રવિનાથ આશ્રમમાં એવોર્ડ સમારોહને સંબોધનમાં નિવેદન
- જો શક્તિ હોય તો દુનિયા પ્રેમની ભાષા પણ સાંભળે છે : ડો.મોહન ભાગવતજી
- વિશ્વમાં ‘મોટા ભાઈ’તરીકે ભારતની ભૂમિકા-વિશ્વ શાંતિમાં યોગદાન પર પ્રકાશ પાડ્યો
- પાકિસ્તાન સામેની કાર્યવાહીનો ઉલ્લેખ કરી ભારતની શક્તિના મહત્વ પર ભાર મૂક્યો
- ભારત એક એવુ રાષ્ટ્ર જે વિશ્વમાં શાંતિ,સંવાદિતા,ધર્મને પ્રોત્સાહન આપે : ડો.ભાગવતજી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડૉ. મોહન ભાગવત તેઓ શનિવારે જયપુરના હરમારામાં રવિનાથ આશ્રમમાં આયોજિત એવોર્ડ સમારોહને સંબોધિત કરી રહ્યા હતા.જેમાં તેમણે કહ્યુ કે વિશ્વમાં ‘મોટા ભાઈ’ તરીકે ભારતની ભૂમિકા અને વિશ્વ શાંતિમાં તેના યોગદાન પર પ્રકાશ પાડ્યો.તેમણે પાકિસ્તાન સામેની તાજેતરની કાર્યવાહીનો ઉલ્લેખ કરીને ભારતની શક્તિના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે વિશ્વ કલ્યાણ એ હિન્દુ ધર્મનું કર્તવ્ય છે અને શક્તિ વિના વિશ્વ પ્રેમની ભાષા સમજી શકતું નથી. ડૉ. ભાગવતે સંત રવિનાથ મહારાજ સાથેના પોતાના અનુભવો પણ શેર કર્યા.
– ભારત વિશ્વનો સૌથી જૂનો દેશ અને તેની ભૂમિકા ‘મોટા ભાઈ’ની
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સર સંઘચાલક ડૉ.મોહન ભાગવતે કહ્યું છે કે ભારત વિશ્વનો સૌથી જૂનો દેશ છે અને તેની ભૂમિકા ‘મોટા ભાઈ’ ની છે.ભારત એક એવો રાષ્ટ્ર છે જે વિશ્વમાં શાંતિ,સંવાદિતા અને ધર્મને પ્રોત્સાહન આપે છે.આ સાથે,પાકિસ્તાન પર તાજેતરની કાર્યવાહીનો ઉલ્લેખ કરતા,સંઘ સરચાલકજીએ કહ્યું કે ભારત માટે શક્તિશાળી બનવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ડૉ. ભાગવતે કહ્યું કે ભારતમાં બલિદાનની પરંપરા રહી છે.આપણે ભગવાન શ્રી રામથી લઈને ભામાશાહ સુધીના બધા મહાપુરુષોને નમન કરીએ છીએ જેમણે સમાજ માટે પોતાનું સર્વસ્વ આપી દીધું.તેમણે ભાર મૂક્યો કે ધર્મ અને શાંતિનો સંદેશ પહોંચાડવા માટે પણ શક્તિ જરૂરી છે.
– શક્તિ વિના દુનિયા પ્રેમની ભાષા સમજી શકતી નથી.
પાકિસ્તાન સામેની તાજેતરની લશ્કરી કાર્યવાહીનો ઉલ્લેખ કરતા ડૉ.ભાગવતજીએ કહ્યું કે,ભારત કોઈને નફરત કરતું નથી,પરંતુ દુનિયા પ્રેમ અને કલ્યાણની ભાષા ત્યારે જ સાંભળે છે જ્યારે તમારી પાસે શક્તિ હોય.આ દુનિયાનો સ્વભાવ છે,જેને બદલી શકાતો નથી.તેથી વિશ્વ કલ્યાણ માટે ભારતનું શક્તિશાળી બનવું મહત્વપૂર્ણ છે. દુનિયાએ હવે આપણી તાકાત જોઈ લીધી છે.
– વિશ્વ કલ્યાણ એ હિન્દુ ધર્મનું કર્તવ્ય
તેમણે વધુમાં કહ્યું કે વિશ્વ કલ્યાણ એ આપણો ધર્મ છે. આ ખાસ કરીને હિન્દુ ધર્મનું એક દૃઢ કર્તવ્ય છે.આ આપણી ઋષિ પરંપરા રહી છે,જેને સંત સમાજ આજે આગળ ધપાવી રહ્યો છે.કાર્યક્રમ દરમિયાન,ડૉ. ભાગવતજીએ સંત રવિનાથ મહારાજ સાથેના પોતાના અનુભવો શેર કર્યા અને કહ્યું કે તેમની કરુણા અને પ્રેરણા સંઘના સ્વયંસેવકોને સારા કાર્યો માટે માર્ગદર્શન આપે છે.
આ પ્રસંગે ભવનાથ મહારાજ દ્વારા ડૉ.મોહન ભાગવતનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંઘના ઉપદેશકો,સંતો અને ભક્તો હાજર રહ્યા હતા.