KEY POINTS :
- “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વર્ષ 1925માં વિજયા દસમીનના રોજ થઈ”
- “સંઘના સ્થાપક સરસંઘચાલક ડો.કેશવ બલીરામ હેડગેવારજી રહ્યા હતા”
- “મહારાષ્ટ્રના નાગપુર સ્થિત મોહિતેવાડા મેદાન ખાતેથી કરાવ્યો હતોપ્રારંભ”
- “દેશમાં સાંસ્કૃતિક,સામાજિક અને રાજકીય ઉત્થાન માટે સંઘ સમર્પિત”
- “ભારતની સ્વતંત્રતા અને ત્યારપછીના રાષ્ટ્રનિર્માણમાં મહત્વની ભૂમિકા”
- “સંઘ પોતાની સ્થાપનાનું શતાબ્દિ વર્ષની કરવા જઈ રહ્યો છે ઉજવણી”
- “સંઘના સ્વયંસેવકોએ પણ આપત્તિ વ્યવસ્થાપનમાં અગ્રણી ભૂમિકા ભજવી”
- “દેશના શિક્ષણ ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પણ રહ્યુ મહત્વનું પ્રદાન”
- “વર્ષ 2001મા ગુજરાતના કચ્છમાં ભૂકંપ વખતે સંઘના સ્વયંસેવકોનું સેવાકાર્ય”
- “મોરબી પૂરહોનારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘો મદદનું બિડુ ઝડપ્યુ હતુ”
- “ગુજરાત સહિત દેશમાં વાવાઝોડા,પુરહોનરત,ભૂકંપ જેવા કુદરતી પ્રકોપમાં સેવા”
- “અમદાવાદ ખાતે હાલમાં જ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સ્વયંસેવકોનું ઉત્તમ કાર્ય”
ભારતની સ્વતંત્રતા અને ત્યારપછીના રાષ્ટ્રનિર્માણમાં ઘણા સંગઠનોએ મહત્વની ભૂમિકા ભજવી,પરંતુ જે સંગઠન છેલ્લા સો વર્ષથી સાતત્ય અને સમર્પણ સાથે રાષ્ટ્રની સેવા કરી રહ્યું છે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંઘની યાત્રા માત્ર સંગઠનાત્મક નથી,પરંતુ તે એક વૈચારિક યાત્રા છે,જે સમાજના દરેક વર્ગને એક કરીને ભારતને સાંસ્કૃતિક,સામાજિક અને રાજકીય રીતે મજબૂત રાષ્ટ્ર બનાવવાની દિશામાં કામ કરી રહી છે.
– દેશમાં સાંસ્કૃતિક,સામાજિક અને રાજકીય ઉત્થાન માટે સંઘ સમર્પિત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે 100 વર્ષની યાત્રા પૂર્ણ કર્યા પછી પણ સંઘ પોતાના લક્ષ્યો અને ઉદ્દેશ્યો પ્રત્યે એટલું જ સમર્પિત છે.જેટલું તે તેના શરૂઆતના દિવસોમાં હતું.સંઘનો ઉદ્દેશ્ય સમાજના દરેક વ્યક્તિને રાષ્ટ્ર સેવા માટે પ્રેરિત કરવાનો અને ભારતને એક મજબૂત,સંગઠિત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાનો છે.
ભારતની સ્વતંત્રતા અને ત્યારપછીના રાષ્ટ્રનિર્માણમાં ઘણા સંગઠનોએ મહત્વની ભૂમિકા ભજવી,પરંતુ જે સંગઠન છેલ્લા સો વર્ષથી સાતત્ય અને સમર્પણ સાથે રાષ્ટ્રની સેવા કરી રહ્યું છે તે એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS). સંઘની યાત્રા માત્ર સંગઠનાત્મક નથી, પરંતુ તે એક વૈચારિક યાત્રા છે, જે સમાજના દરેક વર્ગને એક કરીને ભારતને સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય રીતે મજબૂત રાષ્ટ્ર બનાવવાની દિશામાં કામ કરી રહી છે.
વર્ષ 1925માં વિજયાદશમીના દિવસે સંઘની શરૂઆત કરવામાં આવી હતી.જેને આ વર્ષે વિજયાદશમીના દિવસે 99 વર્ષ પૂર્ણ કરીને તેના 100માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.ડો.કેશવ બલીરામ હેડગેવારના મતે સમાજને સંગઠિત અને સશક્ત બનાવવા માટે લાંબા ગાળાના અને શિસ્તબદ્ધ આંદોલનની જરૂર હતી,જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સાકાર થઈ શક્યું. ભારતીય સમાજમાં ઘણા એવા તત્વો હતા જે ભારતને આંતરિક રીતે નબળો બનાવી રહ્યા હતા.
– સંઘનું પ્રારંભિક સ્વરૂપ અને વિચારધારા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆત ખૂબ જ નાના પાયા પર થઈ હતી. હેડગેવારે કેટલાક યુવાનોને સંગઠિત કર્યા અને તેમને રાષ્ટ્ર સેવા, શિસ્ત અને સંગઠનના સિદ્ધાંતોથી પ્રેરિત કર્યા. શરૂઆતની શાખાઓમાં શારીરિક તાલીમ, બૌદ્ધિક ચર્ચાઓ અને દેશભક્તિ શીખવવામાં આવતી હતી. સંઘની શાખાઓ એક રીતે પ્રશિક્ષણ કેન્દ્રોની ભૂમિકા ભજવતી હતી, જ્યાં દરેક સ્વયંસેવકને રાષ્ટ્રહિતમાં તેમની ભૂમિકા ભજવવા માટે પ્રેરિત કરવામાં આવતા હતા.
– સંઘનો વિસ્તાર અને વિકાસ: ગુરુજીનું નેતૃત્વ
માધવરાવ સદાશિવરાવ ગોલવલકર,જેમને ગુરુજી તરીકે ઓળખવામાં આવે છે. ગુરુજી 1940માં ડૉ. હેડગેવારના અવસાન પછી સંઘના બીજા સરસંઘચાલક બન્યા.ગુરુજીનો કાર્યકાળ સંઘ માટે વિસ્તરણ અને તેની વિચારધારાને મજબૂત કરવાનો સમય હતો.ડૉ.હેડગેવારજીએ જે પાયા પર સંઘની સ્થાપના કરી હતી, ગુરુ ગોલવલકરજીએ તેને વ્યાપક સ્વરૂપ આપવાનું કાર્ય કર્યું હતું.તેમણે સંઘને માત્ર સંગઠનાત્મક રીતે જ નહીં પરંતુ વૈચારિક રીતે પણ મજબૂત કરવાનું કાર્ય કર્યું હતું.ગુરુજી માનતા હતા કે ભારત માત્ર એક ભૌગોલિક એકમ નથી,પરંતુ એક સાંસ્કૃતિક રાષ્ટ્ર છે,જેના મૂળમાં તેની પ્રાચીન સંસ્કૃતિ અને મૂલ્યો સમાયેલા છે.તેમણે ભારતના સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવા અને તેને આધુનિક ભારતની ઓળખ બનાવવાની દિશામાં કાર્ય કર્યું.
પૂજ્ય ગુરુજી નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમાજના દરેક વર્ગ સુધી પહોંચ્યું અને તેમને રાષ્ટ્રનિર્માણ માટે પ્રેરિત કર્યા.ગુરુજીએ સ્વયંસેવકોને શીખવ્યું કે રાષ્ટ્રની સેવાનો અર્થ માત્ર રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવો નથી,પરંતુ સમાજના દરેક ક્ષેત્રમાં યોગદાન આપવું છે. શિક્ષણ હોય, આરોગ્ય હોય, ગ્રામીણ વિકાસ હોય કે સામાજિક સુધારણા હોય સ્વયંસેવકોએ દરેક ક્ષેત્રમાં પુનઃનિર્માણ માટે કામ કરવું પડશે.
– સંઘનું સામાજિક સેવા કાર્ય અને વિસ્તાર
માધવરાવ સદાશિવરાવ ગોલવલકર ઉર્ફે ગુરુજીના નેતૃત્વ હેઠળ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેની શાખાઓનો વિસ્તાર કર્યો અને સમગ્ર ભારતમાં તેનું કાર્ય ફેલાવ્યું.સંઘના સ્વયંસેવકો દેશના ખૂણે-ખૂણે વિવિધ સમાજસેવાના કાર્યોમાં જોડાયા.સંઘનું સેવા કાર્ય માત્ર કટોકટીની પરિસ્થિતિઓ પૂરતું મર્યાદિત નહોતું.સંઘે શિક્ષણ, આરોગ્ય, ગ્રામીણ વિકાસ અને સામાજિક કલ્યાણ જેવા ક્ષેત્રોમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
– આપત્તિ વ્યવસ્થાપનમાં સ્વયંસેવકોની અગ્રણી ભૂમિકા
સંઘના સ્વયંસેવકોએ પણ આપત્તિ વ્યવસ્થાપનમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. સંઘે વિદ્યા ભારતી જેવી સંસ્થાઓ દ્વારા શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપ્યું. વિદ્યાભારતી હેઠળ ચાલતી શાળાઓમાં માત્ર શિક્ષણ જ આપવામાં આવતું નથી પરંતુ ભારતીય મૂલ્યો અને સાંસ્કૃતિક મૂલ્યોનો પણ પ્રચાર કરવામાં આવે છે. એ જ રીતે સેવાભારતી જેવી સંસ્થાઓ દ્વારા સંઘે ગ્રામીણ અને વંચિત વિસ્તારોમાં સેવા કાર્યને પ્રોત્સાહન આપ્યું.
– પાકિસ્તાને જ્યારે કાશ્મીર પર છદ્મ આક્રમણ કર્યું
સંઘની નોંધપાત્ર બાબત એ છે કે તેના સ્થાપનાકાળથી અને ખાસ કરીને દેશને આઝાદી મળ્યા પછીના ગાળામાં તેના સ્વયંસેવકોએ માનવસર્જિત અને કુદરતી આફતોના સમયમાં સામૂહિક રીતે ખંત અને નિષ્ઠાથી રાહતકાર્યમાં ભાગ લીધો છે.આઝાદી પછી તુરત જ 1947માં પાકિસ્તાને જ્યારે કાશ્મીર પર છદ્મ આક્રમણ કર્યું હતું, ત્યારે આ સંગઠનના સ્વયંસેવકોએ રાતદિવસ પરિશ્રમ કરીને શ્રીનગરના હવાઈ મથકનું સમારકામ કર્યું હતું અને તેને કારણે જ ભારતના લશ્કરના સૈનિકો ત્યાં ઉતરાણ કરી શક્યા હતા.
– નિષ્ઠાથી અને નિ:સ્વાર્થ પણે સ્વયંસેવકોનું રાહતકાર્ય
1954માં ગોવાના મુક્તિસંગ્રામમાં,1955માં પંજાબમાં આવેલ પૂરમાં,1955માં આંધ્રપ્રદેશમાં આવેલા ભયંકર વાવાઝોડામાં,1956માં કચ્છના અંજારમાં થયેલ ભૂકંપની તારાજીમાં,1977માં આંધ્રપ્રદેશમાં ફરી આવેલ વાવાઝોડામાં, 1979માં સૌરાષ્ટ્રના મોરબી નગરમાં મચ્છુબંધ તૂટવાથી સર્જાયેલ ભયંકર હોનારતમાં અને 26 જાન્યુઆરી, 2001ના રોજ ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપમાં રાહતકાર્યમાં અને પીડિતોને સહાય પહોંચાડવામાં આ સંગઠનની ભૂમિકા અગ્રિમ રહી છે.1947માં ભારતના ભાગલા પડ્યા તે અરસામાં પાકિસ્તાનથી ભારતમાં આવેલા લાખો નિરાશ્રિતોને દેશભરમાં ફેલાયેલી રાહતશિબિરોમાં ઠરીઠામ કરવામાં પણ આ સંગઠનના સ્વયંસેવકોએ પ્રશંસનીય કામગીરી કરી હતી. આઝાદી પછી ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી થયેલાં બધાં જ યુદ્ધોમાં આ સંગઠનના સ્વયંસેવકોએ ભારતીય લશ્કરને કુમક પહોંચાડવામાં તથા ઘવાયેલા સૈનિકો અને નાગરિકોને વૈદ્યકીય રાહત પૂરી પાડવામાં પણ અગ્રિમ ભૂમિકા ભજવી છે. અનન્ય રાષ્ટ્રભક્તિ, હિંદુત્વ પ્રત્યેની અપાર નિષ્ઠા અને આત્યંતિક શિસ્તબદ્ધતા – આ ત્રણ આ સંગઠનની આગવી લાક્ષણિકતા ગણાય છે.
– કાશ્મીર સરહદે ચોકી, નિરાશ્રિતોને આશ્રય કાર્ય
સંઘના સ્વયંસેવકોએ ઓક્ટોબર 1947થી જ કોઈ તાલીમ ના હોવા છતાં સરહદ પર પાકિસ્તાની સેના પર નજર રાખવાનું કામ કર્યું હતું.તે કામ નહેરુ-માઉન્ટબેટનની સરકાર કે હરિસિંહની સરકાર પણ નહોતી કરી રહી.તે વખતે પાકિસ્તાની સેનાએ કશ્મીરની સરહદમાં ઘૂસવાની કોશિશ કરી હતી.તે વખતે સૈનિકોની સાથે કેટલાય સ્વયંસેવકોએ પણ પોતાની માતૃભૂમિની રક્ષા ખાતર લડાઈ લડીને પોતાના પ્રાણ આપ્યા હતા.વિભાજન પછી રમખાણો થયા ત્યારે નહેરુ સરકાર અસ્તવ્યસ્ત હતી. પાકિસ્તાનથી જીવ બચાવીને આવેલા શરણાર્થીઓ માટે સંઘે 3000થી વધુ રાહત શિબિરો ખોલી હતી.
– વર્ષ 1962નું ચીન સાથેનું યુદ્ધ અને સંઘ સેવા
વર્ષ 1962નું ચીન સાથેનું યુદ્ધ સમયે સેનાની મદદ માટે દેશભરમાંથી સંઘના સ્વયંસેવકો ઉત્સાહ સાથે સરહદે પહોંચી ગયા હતા.સમગ્ર દેશે તે જોયું હતું અને તેની પ્રસંશા કરી હતી.સ્વયંસેવકોએ સરકારી કાર્યોમાં અને ખાસ કરીને જવાનોને મદદ કરવામાં પોતાની શક્તિ કામે લગાવી દીધી હતી.સૈનિકોના આવવા-જવાના માર્ગો પર ચોકી, સરકારી તંત્રની મદદ, સામગ્રી પહોંચાડવામાં મદદ કરી હતી અને શહીદોના પરિવારોની પણ ચિંતા કરી હતી.તેના કારણે જવાહરલાલ નહેરુને 1963માં 26 જાન્યુઆરીની પ્રજાસત્તાક પરેડમાં સામેલ થવા માટે સંઘને આમંત્રણ આપવું પડ્યું હતું.પરેડ માટે મહિનાઓ સુધી તૈયારી કરવી પડતી હોય છે. જોકે માત્ર બે દિવસ પહેલાં જ આમંત્રણ મળ્યું તેમ છતાં 3500 સ્વયંસેવકો ગણવેશ સાથે ઉપસ્થિત થઈ ગયા હતા.સંઘને નિમંત્રણ આપવા બદલ ટીકા થઈ ત્યારે નહેરુએ કહેલું કે, “1963માં પ્રજાસત્તાક દિને પરેડમાં સંઘને તાત્કાલિક આમંત્રણ એટલા માટે આપવામાં આવ્યું હતું કે જેથી એ દર્શાવી શકાય કે માત્ર લાકડીના સહારે પણ બોમ્બ અને ચીની સેનાના સશસ્ત્ર દળોની સામે લડી શકાય છે.”
– કાશ્મીરનું જોડાણ અને સંઘ સહાય
વર્ષ 1959માં જનરલ કરિઅપ્પા મેંગ્લોરની સંઘ શાખાના કાર્યક્રમમાં આવ્યા હતાકશ્મીરનું ભારત સાથે જોડાણ કરવા અંગેનો નિર્ણય મહારાજા હરિસિંહ કરી શકતા નહોતા.બીજી બાજુ કબિલાના વેશમાં પાકિસ્તાની સૈનિકો સરહદમાં ઘૂસી ગયા હતા.આપણે શું કરીશું એવી વિમાસણમાં નહેરુની સરકાર હાથ જોડીને બેઠી રહી હતી ત્યારે સરદાર પટેલે ગુરુ ગોળવલકરની મદદ માગી હતી.ગુરુજી શ્રીનગર પહોંચ્યા અને મહારાજાને મળ્યા હતા.ત્યારબાદ મહારાજાએ કશ્મીરનું ભારત સાથે જોડાણ કરવાના દસ્તાવેજ પર સહી કરીને દિલ્હી મોકલી આપ્યો.
– વર્ષ 1965ના યુદ્ધ વખતે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ
પાકિસ્તાન સામે યુદ્ધ થયું ત્યારે લાલબહાદુર શાસ્ત્રીએ પણ સંઘને યાદ કર્યો હતો.શાસ્ત્રીજીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવા માટે તથા દિલ્હીમાં ટ્રાફિક સંભાળવાનું કામ પોતાના હાથમાં લઈ લેવા માટે સંઘને વિનંતી કરી હતી.આ કામમાંથી પોલીસ મુક્ત થાય તો તેમને સેનાની મદદમાં મોકલી શકાય તેવો વિચાર હતો.ઘાયલ જવાનો માટે સૌપ્રથમ રક્તદાન કરનારામાં પણ સંઘના સ્વયંસેવકો જ હતા. યુદ્ધ વખતે કાશ્મીરમાં એરપોર્ટમાં રનવે પરથી બરફ હટાવવાનું કામ પણ સ્વયંસેવકોએ કર્યું હતું.
– ગોવાની મુક્તિ માં સંઘની નિર્ણાયક ભૂમિકા
દાદરા, નગર હવેલી અને ગોવાને ભારતમાં ભેળવી દેવામાં આવે તેમાં પણ સંઘની નિર્ણાયક ભૂમિકા હતી. 21 જુલાઈ 1954માં દાદરાને પોર્ટુગીઝો પાસેથી મુક્ત કરાવી લેવાયું હતું.28 જુલાઈએ નરોલી અને ફિપારિયા મુક્ત કરાવી લેવાયા અને બાદમાં રાજધાની સિલવાસાને પણ મુક્ત કરી લેવાઈ હતી.સંઘના સ્વયંસેવકોએ 2 ઓગસ્ટ, 1954ના રોજ સવારે પોર્ટુગીઝ ધ્વજ હટાવીને ભારતના તિરંગો લહેરાવ્યો હતો. સંપૂર્ણ દાદરા નગર હવેલીને મુક્ત કરાવીને ભારત સરકારને સોંપી દેવાયા હતા.સંઘના સ્વયંસેવકોએ 1955માં ગોવાના મુક્તિ સંગ્રામમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.ગોવાને મુક્ત કરાવવા લશ્કરી પગલું લેવાનો નહેરુ ઇન્કાર કરી રહ્યા હતા, પણ જગન્નાથ રાવ જોષીની આગેવાનીમાં સંઘના કાર્યકરો ગોવા પહોંચી ગયા.ત્યાં જઈને તેમણે આંદોલન શરૂ કરી દીધું હતું. જોશી તથા કાર્યકરોને પકડીને તેમને દસ વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી હતી.સ્થિતિ આખરે બગડી તે પછી ભારતે સેનાને મોકલી અને તે રીતે 1961માં ગોવા આઝાદ થયું હતું.
– 15. શિક્ષણના ક્ષેત્રમાં સંઘનું પ્રદાન
ભારતીય વિદ્યાર્થી પરિષદ, શિક્ષા ભારતી, એકલ વિદ્યાલય, સ્વદેશી જાગરણ મંચ, વિદ્યા ભારતી, વનવાસી કલ્યાણ આશ્રમ, મુસ્લિમ રાષ્ટ્રીય મંચ જેવી સંસ્થાઓની સ્થાપના કરાઈ છે.વિદ્યા ભારતી આજે 20 હજારથી વધારે શાળાઓ ચલાવે છે. આ ઉપરાંત બે ડઝન જેટલી બીએડ કોલેજો, દોઢ ડઝન કોલેજો અને 10થી વધુ વ્યવસાયલક્ષી શિક્ષણ આપતી સંસ્થાઓ તેના નેજા હેઠળ ચાલે છે.કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા માન્ય કરાયેલા સરસ્વતી શિશુ મંદિરોમાં લગભગ 30 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમાં એક લાખથી પણ વધુ શિક્ષકો કામ કરે છે.માત્ર સંખ્યાની રીતે નહીં, પરંતુ આ સંસ્થાઓ ભારતીય સંસ્કારો આપવાનું પણ કામ કરે છે તે અગત્યનું છે.માત્ર સેવા ભારતીમાં એક લાખથી વધુ લોકો અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં જઈને કામ કરી રહ્યા છે.લગભગ 35 હજાર એકલ વિદ્યાલયો છે, જેમાં 10 લાખથી વધારે વિદ્યાર્થીઓનું ભાવી ઘડાઈ રહ્યું છે.સેવા ભારતીએ જમ્મુ અને કશ્મીરમાં આતંકવાદને કારણે અનાથ થયેલાં 57 બાળકોને આશ્રય આપ્યો છે. તેમાંથી 38 મુસ્લિમ અને 19 હિંદુ બાળકો છે.
– વર્ષ 1971માં ઓડિશામાં ભયાનક વાવાઝોડું અને સંઘ કાર્ય
વર્ષ 1971માં ઓડિશામાં ભયાનક વાવાઝોડું આવ્યું હતું, ત્યાંથી શરૂ કરીને ભોપાલ ગેસ દુર્ઘટના વખતે અને 1984માં દિલ્હીમાં શીખ વિરોધી રખમાણો વખતે અને ગુજરાતમાં ભૂકંપ બાદ સંઘ સેવા કાર્યો કરતો રહ્યો છે.સુનામી આવી ત્યારે અને ઉત્તરાખંડમાં ભયંકર પૂર પછી થયેલી તબાહી વખતે કે પછી કારગીલમાં ઘાયલ થયેલા સૈનિકોની સારવાર કરવાની આવી ત્યારે સંઘે હંમેશા રાહત કાર્યોમાં આગેવાની લીધી હતી.માત્ર ભારતમાં નહીં, નેપાળ, શ્રીલંકા અને સુમાત્રામાં પણ મદદ પહોંચાડી હતી.
– મચ્છુના પાણીએ મોરબી મસાણ થઈ
મોરબી પાસેથી વહેતી મચ્છુ નદી પર બે ડેમ બાંધવામાં આવ્યા હતા.મચ્છુ નદી પરના બીજા,22.56 મીટર ઊંચા ડેમનું નિર્માણકાર્ય 1972માં પૂર્ણ થયું હતું.1979ની 10 ઑગસ્ટની સાંજે મચ્છુ નદી પરના ડેમ નંબર એકમાંથી વધારાનું પાણી છોડવાનું શરૂ કરાયું હતું.એ પછી બે નંબરના ડેમના દરવાજા પણ ખોલી નાખવામાં આવ્યા હતા,પરંતુ તેના બે દરવાજા ટેકનિકલ કારણોસર બંધ રાખવામાં આવ્યા હતા.તેથી ડેમમાં વધારાનું પાણી એકઠું થઈ ગયું હતું અને બીજી તરફ વરસાદ રોકાતો ન હતો. તેનું પરિણામ એ આવ્યું કે ડેમના ફ્લડ ગેટમાંથી બહુ મોટા પ્રમાણમાં અને અત્યંત ઝડપથી પાણી વહેવા લાગ્યું હતું.
બપોરે એક વાગ્યાની આસપાસ પાણીનો પ્રવાહ ડેમની ઉપરથી વહેવા લાગ્યો હતો.બે વાગ્યા સુધીમાં તો પાણીનો પ્રવાહ ડેમની દોઢથી બે ફૂટ ઉપર વહેતો થયો હતો.ડેમની ડાબી બાજુના ભાગમાંની માટી સવા બે વાગ્યાની આસપાસ વહેવા લાગી.થોડી વારમાં તો જમણી બાજુના હિસ્સામાંથી પણ માટી પણ ખસવા લાગી હતી.પાણીનો પ્રવાહ એટલા જોરથી વહેતો હતો કે ડેમ પર તહેનાત કર્મચારીઓને તેમની કેબિનમાંથી બહાર નીકળવાની તક સુદ્ધાં મળી ન હતી.
માત્ર 20 મિનિટમાં ડેમનું બધું પાણી નજીકના મોરબી ગામમાં ફરી વળ્યું હતું.સાડા ત્રણ વાગ્યે મોરબી 12થી 30 ફૂટ પાણીની અંદર હતું. એ પછીના ચાર કલાકમાં આખું મોરબી પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.સાડા સાત વાગ્યા સુધીમાં પાણીનો પ્રવાહ થોડો ઓસર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં લગભગ આખું શહેર મોતના મોંમાં સપડાઈ ગયું હતું.ઠેકઠેકાણે લોકો અને પશુઓના મૃતદેહ પડ્યા હતા.પૂર આવ્યાના આઠ દિવસ પછી પણ,સડતા મૃતદેહોની દુર્ગંધ ચારેબાજુ ફેલાયેલી હતી.દરેક જગ્યાએ કાટમાળ પડ્યો હતો.વીજળીના થાંભલા બેવડા વળી ગયા હતા.સરકારી આંકડા મુજબ, આ દુર્ઘટનામાં લગભગ 1,000 લોકો માર્યા ગયા હતા,પરંતુ બિન-સરકારી આંકડા મુજબ મૃતકાંક 25,000ની આસપાસ હતો.દુર્ઘટનાના એક સપ્તાહ પછી રાષ્ટ્રીય મીડિયાના લોકો પહોંચ્યા ત્યાં સુધીમાં મોરબી ભૂતિયા શહેરના સ્વરૂપમાં પરિવર્તિત થઈ ગયું હતું.
– મોરબીને મદદનું બિડુ સંઘે ઝડપ્યુ હતુ
મોરબીને મદદનું બીડું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંવયંસેવકોએ ઉઠાવ્યું હતું.સંઘના તત્કાલીન પૂર્ણકાલીન પ્રચારક નરેન્દ્ર મોદી તે સમયે વરિષ્ઠ નેતા નાનાજી દેશમુખ સાથે ચેન્નઈમાં હતા.પૂરના સમાચાર સાંભળતાંની સાથે જ તેઓ ગુજરાત પાછા ફર્યા હતા અને મોરબી જઈને રાહત કાર્ય શરૂ કર્યું હતું.
મોરબીમાં આ દુર્ઘટના વખતે મદદરૂપ થવાને કારણે લોકોમાં સંઘની સ્વીકાર્યતા વધી હતી અને ત્યાંથી એક રાજકીય શક્તિ તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉદયનો આરંભ થયો હતો.નરેન્દ્ર મોદી જાહેર મંચ પર આવ્યા તેની એ પહેલી ઘટના હતી.એ પછી તેમણે પાછું વાળીને ક્યારેય જોયુ નથી.મોરબી દુર્ઘટનાના 22 વર્ષ બાદ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.અને છેલ્લા ત્રણ ટર્મથી તેઓ દેશના વડાપ્રધાન કરીકે કાર્યરત છે.80 ના દાયકાના અંત સુધીમાં મચ્છુ ડેમનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું.મણિમંદિર બહાર, દુર્ઘટનાના મૃતકોની સ્મૃતિમાં સ્મારક બનાવવામાં આવ્યું હતું.એ સ્થળે આજે પણ શહેરના લોકો દર વર્ષે 11 ઑગસ્ટે શ્રદ્ધાંજલિ આપવા એકઠા થાય છે.
– ગુજરાતમાં વાવાઝોડામાં સંઘ સહાયક
ગુજરાતમાં પાછલા 8 વર્ષમા 10 જેટલા વાવાઝોડા આવ્યા તેમાં પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોએ સેવા અને રાહત કાર્યો કર્યા છે.જેમાં પુરમાં ફસાયેલા લોકોને સરકારના સહકારથી રેસ્કયૂ કરવા,રાહત કેમ્માં સેવા કાર્ય, ભોજન,અલ્પાહાર સહિની સામગ્રી પહોંચાડવી, આરોગ્ય લક્ષી કાર્યોમાં સેવા,NDRF-SDRF સાથે રહી રેસ્ક્યૂ કાર્ય , પાણીમાં જઈ સંપર્ક વિહોણા ગામોમા પહોંચી લોકોને મદદ પહોંચાડવી જેવા કર્યો રાત દિવસ જોયા વિના સંઘના સ્વયંસેવકોએ કર્યા હતા.
– અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સંઘના સ્વયંસેવક સંઘનું સેવાકાર્ય
હાલમાં જ અમદાવાદ ખાતે એર ઈન્ડિયાનુ અમદાવાદથી લંડન જતુ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ.તેમાં એકને બાદ કરતા તમામ યાત્રીકો મૃત્યુ પામ્યા હતા. એટલુ જ નહી પણ જે મેડિકલ હોસ્ટેલ પર પડ્યુ તેમાં પણ કેટલાક મોત થયા હતા.ત વખતે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો રાહત અને બચાવ કામગીરી સાથે અન્ય વ્યવસ્થાપનમાં સહયોગ આપતા જોવા મળ્યા હતા.જેના સોશિયવ મીડિયામાં નોંધ લેવાઈ હતી.પોસ્ટ સાથે અમુક તસવીરો પોસ્ટ કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો સિવિલ કેમ્પસમાં જોવા મળી રહ્યા હતા.ત્યારબાદ થોડા કલાકો પછી તેમણે અન્ય એક પોસ્ટ કરી અને લખ્યું, ‘હજારો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે. અમદાવાદ સિવિલમાં અહીં એક તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો સેવા આપી સંઘના સ્વયંસેવકો યુનિફોર્મમાં જોવા મળ્યા હતા.
– ભૂકંપ જેવી આપદામાં સંઘના સ્વયંસેવકોનું સેવાકાર્ય
વર્ષ 1819 અન ે2001ના કચ્છમાં આવેલા ભૂકંપ પછી,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની સંલગ્ન સંસ્થાઓએ રાહત અને પુનર્વસન કાર્યમાં સક્રિયપણે ભાગ લીધો હતો.1819 ના ભૂકંપ પછી, સંઘે ખોરાક, કપડાં અને દવાઓનું વિતરણ કર્યું હતું અને 14 ગામોમાં 165 ઘરો બનાવ્યા હતા.2001 ના ભૂકંપ પછી, સંઘે તાત્કાલિક રાહત કાર્યમાં ભાગ લીધો હતો,જેમાં ખોરાક, કપડાં અને દવાઓનું વિતરણ, ઘાયલોની સંભાળ અને અસરગ્રસ્ત લોકો માટે આશ્રય પૂરો પાડવાનો સમાવેશ થતો હતો.સંઘે પુનર્વસન કાર્યમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી, ેમાં ઘરોનું પુનર્નિર્માણ,આજીવિકાના સાધનો પુનઃસ્થાપિત કરવા અને સમુદાયોનું પુનર્વસન કરવાનો સમાવેશ થતો હતો.
સંઘના રાહત અને પુનર્વસન પ્રયાસોમાં નીચેનાનો સમાવેશ થતો હતો:
1. તાત્કાલિક રાહત:
ખોરાક, કપડાં, દવાઓ અને આશ્રય જેવી મૂળભૂત જરૂરિયાતોનો તાત્કાલિક પુરવઠો.
2. પુનર્જીવન:
ઘરોનું પુનર્નિર્માણ, આજીવિકાના સાધનો પુનઃસ્થાપિત કરવા અને સમુદાયોનું પુનર્વસન કરવું.
3. લાંબા ગાળાની સહાય:
અસરગ્રસ્ત લોકોને ભાવનાત્મક ટેકો અને સલાહ આપવી,અને સમુદાયોનું પુનર્વસન કરવામાં મદદ કરવી.
સંઘના પ્રયાસોની વ્યાપક પ્રશંસા કરવામાં આવી હતી,અને કચ્છના લોકોને ભૂકંપની અસરોમાંથી બહાર નીકળવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
– ગુજરાતના જામનગર જિલ્લામાં પુર રાહત કાર્ય
વર્ષ 2021 જામનગર જિલ્લામાં પૂર પીડિતોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રાસન કિટ સહિતની સહાય પહોંચાડાઈ હતી.
1. જામનગર જિલ્લામાં પુર પીડિતોની તાત્કાલિક મદદ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જામનગર જિલ્લા દ્વારા પ્રેરિત-લક્ષ્મણરાવ ઈનામદાર સ્મૃતિ સમિતિ દ્વારા પૂર પીડિતો માટે અંદાજે 500 રાસન કીટ તથા 60 વાસણ કીટ અને કપડાં જરૂરિયાત મંદ લોકોને પહોંચાડવામાં આવ્યા હતા.
2. આ માટે જામનગર શહેર તથા લાલપુર કાલાવડ અને અન્ય તાલુકાઓના કાર્યકરોના પ્રત્યક્ષ અને પરોક્ષ સહયોગ વડે કાર્ય પાર પડાયું હતું.આ ઉપરાંત પાણી વચ્ચે ફસાયેલા લોકોના રેસ્ક્યુ અને તાત્કાલિક રહેવા તથા ભોજનની વ્યવસ્થા માટે પ્રયાસો પણ થયા હતા.
3. સપ્ટેમ્બર 2021માં આજી-4 ડેમના 50 પાટીયા ખોલવાને કારણે જોડીયા તાલુકાના સામપર ગામે સીમમા નદીના પાણી ફરી વળ્યા હતા. અને ગામના પશુપાલક ભાઈઓ પોતાના માલઢોર ચરાવવા ગયેલા તે અને મજુરો પાણીમાં ફસાઇ ગયા હતા.જેને સંઘના સ્વયંસેવકો તેમજ ગામના યુવાનો દ્વારા પોતાના જીવને જોખમે રાત્રે ટ્રેકટર દ્વારા રેસ્ક્યુ કરીને સલામત રીતે ઘરે પહોંચાડ્યા હતા.
4. આ સમયે અનેક ફોન કર્યા બાદ પણ NDRF અને હેલિકોપ્ટર તંત્ર સમયસર પહોંચવામાં અસમર્થ હોય અને સવારે આવી શકે તેમ જણાવેલ હોઈ સંઘના સ્વયંસેવકો અને ગામ લોકો દ્વારા જીવના જોખમે આ રેસ્ક્યું કાર્ય પાર પાડયું
5. કાલાવડ ગામે કાલાવડથી જામનગર રોડ બંધ હોવાથી કાલાવડ બસમાં બેસી રહેલા અનેક લોકોને કાલાવડ સંઘ કાર્યાલય પર રાત્રી રોકાણ અને જમવા માટે વ્યવસ્થા તુરંત કરવામાં આવી હતી.
6. લાલપુર તાલુકાના સ્વયંસેવકો દ્વારા પૂરગ્રસ્ત અલિયા ગામમાં સવારથી સાંજ સુધી સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.
– સમયાંતર સંઘની સેવા-રાહત કાર્ય બેઠક અને તાલીમ શિબિર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વારંવાર એવી મહત્વની બેઠકો મળતી હોય છે જેમાં ભવિષ્યમાં જો કોઈ કુદરતી કે માનવ સર્જીત આપત્તિ આવે ત્યારે સંઘ દ્વારા કેવી રીતે સેવા અને રાહત કાર્ય તરવું તે અંગે નિર્ણયો થતા હય છે.
– મણિપુર વંશીય હિંસામાં સંઘનું કાર્ય
મણિપુર રાજ્યમાં વંશિય હિંસા દરમિયાન ચાલી રહેલા રાહત અને સેવા કાર્યના ભાગ રૂપે,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મણિપુર પ્રાંત અને સેવા ભારતી,મણિપુરની એક ટીમે બિષ્ણુપુર જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી.સંઘ મણિપુર પ્રાંતના રાજ્ય કાર્યકારી સભ્ય લૈશરામ જાત્રા સિંહના નેતૃત્વમાં, ટીમે અસરગ્રસ્ત વિસ્તારોની જમીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને બિષ્ણુપુર જિલ્લા હેઠળ આવતા ખોઇજુમન તાબી અને કુમ્બી વિસ્તારોના સ્થાનિક વડીલો સાથે વાતચીત કરી.
મુલાકાત દરમિયાન,ટીમે ખોઇજુમન તાબીના નિંગોમ્બમ ઇબોમચા, હાઓબામ ઇબોચા અને નાઓરેમ રાજકુમારના પરિવારના સભ્યોને પણ મળ્યા,જેમની 2 જુલાઈ, 2023 ના રોજ કુકી સશસ્ત્ર આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. પીડિત પરિવારોના દુ:ખને શેર કરતા, ટીમે દરેક પીડિતના નજીકના સંબંધીઓને જરૂરી ચીજવસ્તુઓ સાથે 10,000 રૂપિયા પણ સોંપ્યા.ટીમે પીડિતોના બાળકોના પુનર્વસન અને શિક્ષણમાં શક્ય તમામ મદદ કરવાની ખાતરી પણ આપી.
સેવા ભારતી સાથે મળીને સંઘ ઇમ્ફાલ પૂર્વના લેઇટનપોકપી, ઇકોઉ, સાદુ લમ્પક અને સાદુ યેંગખુમનના અસરગ્રસ્ત લોકો માટે હાઓરોઉના રાજર્ષિ ભાગ્યચંદ્ર કૌશલ વિકાસ કેન્દ્ર ખાતે એક મોડેલ રાહત કેન્દ્ર ચલાવી જેમના ઘર કથિત સશસ્ત્ર કુકી આતંકવાદીઓ દ્વારા સળગાવી દેવામાં આવ્યા હતા. રાહત શિબિરમાં તેમના રોકાણ દરમિયાન કૌશલ્ય પ્રદાન કરવા અને હિંસા પછી તેમની આજીવિકાને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે,ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોરિસોર્સિસ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, ઇમ્ફાલ દ્વારા RBSDC હાઓરોઉ ખાતે સંઘ અને સેવા ભારતીના મણિપુર એકમ દ્વારા સંચાલિત મોડેલ રાહત કેન્દ્ર ખાતે વિવિધ નોકરીની ભૂમિકાઓ પર કૌશલ્ય વિકાસ અને સ્વ-રોજગાર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
– મણિપુરમાં વંશિય હિંસા વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાંતિની અપીલ
સંઘે મણિપુર હિંસાના વિસ્થાપિત અને પીડિતો સાથે એકતા દર્શાવી અને વાતચીત અને વિશ્વાસના અભાવને દૂર કરવાના પ્રયાસો દ્વારા ઉકેલ શોધવાની અપીલ કરી.સંઘે નાગરિક સમાજ, રાજકીય જૂથો અને સામાન્ય લોકોને સુરક્ષા અને સ્થાયી શાંતિ માટે આગળ આવવા અપીલ કરી હતી.સંઘ સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેએ એક સંદેશમાં કહ્યું હતુ કે મણિપુરમાં ચાલી રહેલી હિંસા અત્યંત ચિંતાજનક છે.3 મે 2023 ના રોજ ચુરાચંદપુરમાં લાઈ હરાઓબા ઉત્સવ દરમિયાન આયોજિત વિરોધ રેલી પછી મણિપુરમાં શરૂ થયેલી હિંસા અને અનિશ્ચિતતા નિંદનીય છે. તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે સદીઓથી પરસ્પર સુમેળ અને સહયોગમાં શાંતિપૂર્ણ જીવન જીવતા લોકોમાં ભડકેલી અશાંતિ અને હિંસા હજુ સુધી બંધ થઈ નથી.
– સંઘની કોવિડ-19 ના રાહત અભિયાનમાં હજારો લોકોને મદદ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેના સહયોગીઓની સમાજ સેવા શાખા હજારો જરૂરિયાતમંદ લોકોને ઓક્સિજન સિલિન્ડર, કોન્સન્ટ્રેટર અને દવાઓ પૂરી પાડી રહી હતી.અને કોવિડ કેર સેન્ટરો પણ સ્થાપ્યા અને મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં પરિવારોને મદદ કરી હતી.
રોગચાળાની બીજી લહેર ખતરનાક સાબિત થઈ હતી,ત્યારે રાષ્ટ્રીય સેવા ભારતી નામની એક NGO એ દૂરના વિસ્તારોમાં પરિસ્થિતિને સંભાળવા માટે સંઘના અનેક સહયોગીઓને રોક્યા.“કોવિડના કેસ એવા દૂરના વિસ્તારોમાં પહોંચી રહ્યા હતા જ્યાં રોગ વિશે વધુ માહિતી અને જાગૃતિ ન હતી.વનવાસી કલ્યાણ આશ્રમની જેમ,જે છત્તીસગઢમાં આદિવાસીઓની તપાસ કરવામાં અને કોવિડ અને તેની સારવાર વિશે જાગૃતિ ફેલાવવામાં મદદ કરી.ભારત વિકાસ પરિષદ રાજસ્થાનના કોટામાં વેપારીઓ સાથે કામ કરી રહ્યું હતુ.કટોકટી ફક્ત સ્થળાંતર કરનારાઓ માટે જરૂરી રાહત કાર્ય સુધી મર્યાદિત હતી જરૂરિયાતમંદોને ખોરાક પૂરો પાડવો.પરંતુ આ વખતે,જરૂરિયાત તબીબી સહાય,ઓક્સિજન મેળવવા,લોકોને અગ્નિસંસ્કાર કરવામાં મદદ કરવાની રાષ્ટ્રીય સેવા ભારતીએ શહેરો અને નગરોમાં કોવિડ કેર સેન્ટરો,આઇસોલેશન સેન્ટરો સ્થાપવામાં મદદ કરી જેમાં સ્વયંસેવકોની મદદથી ગામડાની શાળાઓમાં આઇસોલેશન સેન્ટરો સ્થાપવાનો સમાવેશ થાય છે,ઉપરાંત પ્લાઝ્મા દાનની સુવિધા પણ આપવામાં આવી હતી.
આ પ્રકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દેશના કોઈ પણ વિસ્તારમાં ગમે તે પ્રકારની હોનારત હોય મહામારી હોય કે પછી પૂર હોય પણ સંઘના સ્વયંસેવકો નિ:સ્વાર્થ અને અથાક રીતે સેવાકાર્ય કરવા તત્પર રહે છે.